SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ પાંચના પતગ્રહમાં ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અંતરક૨ણ ન કરે ત્યાં સુધી તથા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયનો ક્ષય ન કરે ત્યાં સુધી ૨૧, ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અંતરક૨ણ કર્યા પછી સંલોભ વિના ૨૦, એને જ નપુંસકવેદના ઉપશમ પછી ૧૯, સ્ત્રીવેદના ઉપશમ પછી ૧૮ તથા ક્ષપકશ્રેણિમાં આઠ કષાયના ક્ષય પછી ૧૩, અંતકરણ કર્યા બાદ સં૰ લોભ વિના ૧૨, નપુંસકવેદના ક્ષય પછી ૧૧, સ્ત્રીવેદના ક્ષય પછી ૧૦, અથવા ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંક્રોધની પતગ્રહતા નષ્ટ થયા બાદ પાંચના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૩, અપ્રત્યા પ્રત્યા૰ બે ક્રોધનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૧૧ અને સંક્રોધનો ઉપશમ થયા પછી અંતર્મુહૂર્ત સુધી ૧૦, એમ આઠ સંક્રમસ્થાનો હોય છે. ૪૪૫ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં પુરુષવેદ અપતગ્રહ થાય ત્યારે ચારના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૮, એને જ હાસ્યષટ્કનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૧૨, પુરુષવેદના ઉપશમ પછી ૧૧, અને ઔપશમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રણિમાં સંમાન અપતગ્રહ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૧૦, અથવા ક્ષપકશ્રેણિમાં પુરુષવેદ અપતગ્રહ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૧૦ અને ઔપમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા પ્રત્યા૰ બે માનનો ઉપશમ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૮, તથા એને જ સં માનનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી ૭, અને ક્ષપકશ્રેણિમાં હાસ્યષટ્કનો ક્ષય થયા પછી ચારના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૪, એમ સાત સંક્રમસ્થાનો હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંક્રોધ અપતગ્રહ થાય ત્યારે સંમાયા વગેરે ત્રણના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી મધ્યમના આઠ કષાય અને સંજ્વલન ક્રોધાદિક ત્રણ એ ૧૧, તથા એને જ અપ્રત્યા૰ પ્રત્યા એ બે ક્રોધનો ઉપશમ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી ૯, અને એને જ સંક્રોધનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી ૮, તેમજ ઔપમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંમાયા અપતગ્રહ થયા બાદ સંલોભ અને મિશ્ર તથા સમ્યક્ત્વમોહનીય એ ત્રણના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી અપ્રત્યા૰ પ્રત્યા વગેરે ત્રણ માયા, બે લોભ, મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ ૭, અને તેને જ બે માયાનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૫, અને સંમાયાના ઉપશમ પછી અંતર્મુહૂર્જા સુધી ૪, તેમજ ક્ષપકશ્રેણિમાં પુરુષવેદના ક્ષયની સાથે જ સંક્રોધ અપતગ્રહ થવાથી શેષ ત્રણના પતગ્રહમાં સં૰લોભ વિના ૩, એમ ત્રણના પતગ્રહમાં સાત સંક્રમસ્થાનો હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંમાન અપતગ્રહ થયા બાદ માયા અને લોભ એ ૨ના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ માન, ત્રણ માયા, અને બે લોભ એ ૮, અને બે માનનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૬, અને સંમાનના ઉપશમ પછી અંતર્મુહૂર્ત સુધી ૫, તેમજ ઔપમિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સં૰લોભની અપતગ્રહતા પછી મિશ્ર અને સમ્યક્ત્વમોહનીય રૂપ બેના પતગ્રહમાં મિથ્યાત્વ અને મિશ્ર એ ૨, અથવા ક્ષપકશ્રેણિમાં સંક્રોધના ક્ષયની સાથે જ સંમાનની અપતગ્રહતા થવાથી શેષ બેમાં સંમાન અને માયા એ ૨, એમ ચાર સંક્રમસ્થાનો હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંમાયાની પતગ્રહતા પછી લોભ રૂપ એકના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ માયા અને બે લોભ એમ ૫, બે માયાના ઉપશમ પછી સમયોન બે આવલિકા સુધી ૩, અને સં૰માયાના ઉપશમ બાદ અંતર્મુહૂત્ત સુધી ૨, તેમજ ક્ષપકશ્રેણિમાં એજ એકના પતગ્રહમાં સં૰ માયા ૧, એમ ચાર સંક્રમસ્થાનો હોય છે. મોહનીયકર્મમાં સંક્રમસ્થાન વાર પતદ્વ્રહો :- હવે કયા કયા સંક્રમસ્થાનો કયા કયા પતગ્રહમાં પડે છે, તે કહે છે. ૨૮ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિને મિથ્યાત્વ વિના ૨૭નો સંક્રમ બંધાતી ૨૨માં, ચોથે ગુણસ્થાનકે સમ્યક્ત્વમોહનીય વિના ૨૭નો ૧૯માં, પાંચમે ગુણસ્થાનકે ૧૫માં, અને છટ્ટે તથા સાતમે ગુણસ્થાનકે ૧૧માં, એમ કુલ ચાર પતગ્રહમાં હોય છે. ૨૭ની સત્તાવાળા મિથ્યાદૃષ્ટિ ને મિથ્યાત્વ વિના શેષ ૨૬નો સંક્રમ ૨૨માં, ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિની અત્યંતર આવલિકામાં વર્તમાન ૨૮ની સત્તાવાળા ઔપશમિક સમ્યદૃષ્ટિને સમ્યક્ત્વ તથા મિશ્રમોહનીય વિના શેષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy