SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૪૨૯ જલદી ક્ષય કરવાને તત્પર થયેલ ક્ષપકશ્રેણિ પામેલ જીવ યથાપ્રવૃત્તના અન્ય સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે જ»સંક્રમ કરે છે. અને ૮ કષાયનો દેશોન પૂર્વદોડ વર્ષ સુધી સંયમ પાલીને ક્ષપકશ્રેણિ પામેલ જીવને યથાપ્રવૃત્તના અન્ય સમયે વિધ્યાતસંક્રમથી જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. પંચસંગ્રહની મુલ ટીકામાં તો એ સર્વ પણ ૨૨ પ્રકૃતિઓને આશ્રયીને દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી સંયમ પાળીને એ પ્રમાણે કહ્યું છે. એ પ્રમાણે ક્ષપકશ્રેણિ પામેલ જીવને યથાપ્રવૃત્તના અન્ય સમયે ૮ કષાયનો વિધ્યાતસંક્રમથી અને બાકીની ૧૪ પ્રકતિઓનો યથાપ્રવૃત્તસંક્રમથી જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. पुरिसे संजलणतिगे, य घोलमाणेण चरमबद्धस्स । सगअंतिमे असाएण समा अरई य सोगो य ॥ १०३ ॥ पुरुषस्य संज्वलनत्रिकस्य, च घोलमानेन चरमबद्धस्स । સ્વનિને સાન, સમા •sતિ શોવ . ૧૦૩ / ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્થ :- પુરૂષવેદનો અને ક્રોધ - માન - માયા - રૂ૫ સંજ્વલનત્રિકના ક્ષય માટે તત્પર થયેલ ક્ષપકશ્રેણિ સ્વીકાર કરેલ જીવ પોત પોતાના બંધના અન્ય સમયે ““થોનમાળખ''ત્તિ ઘોલમાનવાલા જઘન્ય યોગ થયે છતે જે બાંધેલ દલિક તેના અન્ય પ્રક્ષેપ સમયે જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. આ ૪ પ્રકૃતિઓનો બંધવિચ્છેદ સમયે સમયોન બે આવલિકાએ બાંધેલ દલિક સિવાય બીજા દલિકની સત્તા નથી અને તે પણ ગુણસંક્રમથી સમયોન બે આવલિકા માત્ર કાલથી બાંધેલ દલિકમાંથી અન્ય સમયે બાંધેલ દલિકનો અસંખ્યાતમો ભાગ બાકી રહે ત્યાં સુધી પ્રત્યેક સમયે ક્ષય પામતું જાય છે. તેથી તે પ્રકૃતિઓનો સર્વસંક્રમથી સંક્રમ થાય તે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. અરતિ, શોકનો અસતાવેદનીયના જઘન્ય પ્રદેશસંક્રમની જેમ જાણવો એ પ્રમાણે અર્થ છે. वेउबिक्कारसगं, उबलियं बंधिऊण अप्पद्धं । जिट्ठठिई निरयाओ, उवट्टित्ता अबंधित्तु ॥ १०४ ॥ थावरगयस्य चिरउव्वलणे एयरस एव उच्चस्स । मणुयद्गस्स य तेउसु, वाउसु वा सुहुमवद्धाणं ॥ १०५ ॥ वैक्रियैकादशक-मुद्वलितं बयाऽल्पाद्धाम् । ज्येष्ठस्थिति नरकादुद्वाऽवध्वा ॥ १०४ ।। स्थावरगतस्य चिरोवलनया, एतस्यैवोच्चैर्गोत्रस्य । मनुजदिकस्य च तेजस्सु, वायुषु वा सूक्ष्मबद्धानाम् ॥ १०५ ॥ ગાથાર્થ :- વૈક્રિય સંબંધી-૧૧ પ્રકૃતિઓની પ્રથમ ઉદ્વલના કરીને પુનઃ અલ્પકકાળ પર્યન્ત બાંધીને ઉસ્થિતિ યુક્ત નારક થાય, ત્યાંથી નીકળીને તિcપંચેન્દ્રિયમાં એ ૧૧ પ્રકૃતિ બાંધ્યા વિના જ ! ૧૦૪ છે. ૧૧૬ ગુણ કે ભવનિમિત્તે અબધ્યમાન પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. એમ પહેલા આજ કરશની ૬૮મી ટીકામાં કહ્યું છે. અરતિ - શોક - અસ્થિરત્રિક અને અસતાવેદનીય એ ૬ પ્રકૃતિઓ બંધમાંથી ૬ઠ્ઠા ગુણસ્થાનકે જાય છે. એટલે ૭મા ગુણસ્થાનકે તેનો વિધ્યાતસંક્રમ વડે સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમ થવો જોઇએ. પરંતુ અહીં યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે. ૧૧૭ અહીં એવો નિયમ છે કે જે સમયે બાંધે તે સમયથી બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાની શરૂઆત કરે, તે સંક્રમાવલિકાના ચરમ સમયે સંપૂર્ણપણે - ખાલી કરે. આ નિયમ પ્રમાણે ઉપર કહેલ ૪ પ્રકૃતિઓનું બંધવિચ્છેદ સમયે જે દલિક બંધાય છે, તેની બંધાવલિકા ગયા બાદ સંક્રમાવવાની શરૂઆત કરે છે. તેને સંક્રમાવતાં સંક્રમાવતાં સંક્રમાવલિકાના ચરમ સમયે બંધવિચ્છેદ સમયે બંધાયેલા શુદ્ધ એક સમયનું જ દળ રહે છે, તે પણ બંધવિચ્છેિદ સમયે જે બાંધ્યું હતું તેનો અસંખ્યાતમો ભાગ જ શેષ રહે છે, તેને સર્વસંક્રમ વડે સંક્રમાવતાં તે પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy