SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ કર્મપ્રકૃતિ हस्सगुणसंकमद्धाइ, पूरयित्ता समीससम्मत्तं । चिरसंमत्ता मिच्छत्त - गयस्सुबलणथोगे सिं ॥१०॥ हूस्वगुणसंक्रमाद्धया, पूरयित्वा समिश्रसम्यक्त्वम् । चिरसम्यक्त्वान् मिथ्यात्व-गतस्यस्तोकोदलनेऽनयोः ॥१०० ॥ ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્થ:- “તૂસ્વગુણસંખ્યાહ'' 1"અલ્પકાલવાલા ગુણસંક્રમથી “સમ સચવર્ત” એટલે સમ્યકત્વ મિશ્રને મિથ્યાત્વના દલિક વડે પૂરીને અને ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વને ધારણ કરીને આટલા ઘણાં કાલે સમ્યકત્વથી મિથ્યાત્વે ગયેલો તે જીવ પલ્યોપમના અસંખ્યાતમાભાગ માત્ર કાલ વડે તે સમ્યક્ત્વ અને મિશ્રની ઉદ્દ્ગલના કરતાં અલ્પ ઉદ્દ્વનાસંક્રમ થયે છતે ઉપાજ્યખંડના અન્ય સમયે મિથ્યાત્વ રૂપ પરપ્રકૃતિમાં જે પ્રક્ષેપાય તે જ તે બન્નેનો એટલે સમ્યકત્વ અને મિશ્રનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. संजोयणाण चतुरुवसमित्तु, संजोयइत्तु अपद्धं । अयरच्छावद्विदुगं, पालिय सकहप्पवत्तंते ॥ १०१ ॥ संयोजनांश्चतुरुपशमय्य, संयोज्याऽल्पाद्धाम् । મતર પર, પાયિતા સ્વયથાપ્રવૃત્તાને એ ૧૦૧ '. ગાથાર્થ :- મોહનીયને ૪ વાર ઉપશમાવી અને અલ્પકાળ સુધી અનંતાનુબંધિ બાંધીને પુનઃ ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વ પાલન કરીને સ્વ યથાપ્રવૃત્તના અન્ય સમયે અનંતાનુબંધિનો જળપ્રસંક્રમ કરે.' ટીકા :- ચાર વાર મોહનીયને ઉપશમાવીને ચારિત્રમોહનીય પ્રકૃતિ ઉપશમાવતાં સ્થિતિઘાત - રસધાત - ગુણશ્રેણિ - ગુણસંક્રમ વડે અનંતાનુબંધિ પ્રકૃતિ પુગલોની નિર્જરા કરે છે. તેથી ચાર વાર મોહનીયનો ઉપશમ ગ્રહણ કર્યો છે, પછી મિથ્યાત્વે જઇને અલ્પકાળ સુધી સંયોજના = અનંતાનુબંધિ બાંધીને તે બંધાતે છતે અનંતાનુબંધિ ચાર વાર મોહના ઉપશમ વડે સ્થિતિઘાતાદિ વડે વાત કરવાથી અતિ અલ્પ જ ચારિત્રમોહનીયના દલિક રહેલ છે. તે સંક્રમાવીને પછી અંતર્મુહૂર્ત ગયે છતે ફરી પણ સમ્યકત્વને પામીને બે ૬૬ સાગરોપમ = ૧૩૨ સાગરોપમ સુધી સમ્યકત્વને પાલીને જે અનંતાનુબંધિ ક્ષય માટે તત્પર થયેલ જીવને અનંતાનુબંધિ સંબંધી યથાપ્રવૃત્તકરણના અન્ય સમયે વિધ્યાતસંક્રમથી તે અનંતાનુબંધિ-૪નો જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે. આગળ અપૂર્વકરણમાં ગુણસંક્રમ પ્રવર્તતો હોવાથી તે જ પ્રદેશ સંક્રમ પ્રાપ્ત થતો નથી. अट्ठकसायासाए य, असुभघुवबंधि अस्थिरतिगे य । सबलहुँ खवणाए, अहापवत्तस्स चरिमम्मि ॥ १०२ ॥ अष्टकषायाऽसातानां चाऽशुभधुवबन्ध्यस्थिरत्रिके च । सर्वलघु क्षपणायां , यथाप्रवृत्तस्य चरिमे ।। १०२ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્ય - મધ્યમ ૮ કષાય, અસતાવેદનીય, અશુભવદિ-૯, ઉપઘાત, એ ૧૯ અશુભધ્રુવબન્થિની, અસ્થિરત્રિક - અસ્થિર - અશભ - અયશ-કીતિ એમ સર્વ સંખ્યા - ૨૨ પ્રકતિઓનો “સવન” ત્તિ બીજા સર્વથી જલદીથી લપણને માટે તત્પર થયેલ જીવ આઠ કષાય રહિત ૧૪ પ્રકૃતિઓનો ૮ વર્ષ ઉપર ૭ માસ વ્યતિકાન્ત થતાં ૧૧૫ અહીં સમ્યકત્વ ઉત્પન્ન કરીને ત્યારબાદ અંતર્મુહર્ત સુધી ચડતાં પરિણામવાળો રહે છે. તેથી તેટલો કાલ મિથ્યાત્વના લિકોને સમ્યકત્વ અને મિશ્રમાં અને મિશ્રના સમ્યકત્વમાં ગુણસંક્રમથી સંક્રમાવે છે. અહીં જેટલો અલ્પકાળ હોઈ શકે તેટલો કાળ લેવાનો છે. કેમકે જ0પ્રસંક્રમ કહેવાનો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy