SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ કર્મપ્રકૃતિ નવકને યશકીર્તિમાં પ્રક્ષેપે તે વખતે તે દેવનવકનો ઉ0પ્રસંક્રમ હોય છે. કારણકે તે વખતે સંક્રમાવલિકા પસાર થવાથી અન્ય પ્રકૃતિના ઘણાં દલિકો જે ગુણસંક્રમ વડે પ્રાપ્ત થયેલાં હોય તેથી તે દેવનવકનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. सबचिरं सम्मत्तं, अणुपालिय पूरईत्तु मणुयदुगं । सत्तमखिइनिग्गइए, पढमे समए नरदुगस्स ॥ ९१ ॥ सचिरं सम्यक्त्व - मनुपाल्य पूरयित्वा मनुजद्विकम् । सप्तमक्षितिनिर्गतस्य, प्रथमे समये नरद्धिकस्य ।। ९१ ।। ગાથાર્થ - ટીકાની જેમ ટીકાર્ચ - સર્વર - સર્વ ઉત્કૃષ્ટ કાલ સુધી એટલે અંતર્મુહુર્ણ ન્યૂન એવા ૩૩ સાગરોપમ સુધી સમ્યક્ત્વનું પાલન કરીને સાતમી પૃથ્વીમાં વર્તતો નારક જીવ સમ્યકત્વ પ્રત્યય (હેતુક) મનુષ્યદ્ધિકને પૂરીને - બાંધીને અંત્ય અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વને પામે તેથી તે ગુણિતકમાંશવાલો જીવ મિથ્યાત્વ હેતુક તિર્યંચદ્ધિકને બાંધતો સાતમી નારકીમાંથી નીકળીને પ્રથમ સમયે જ તે બધ્યમાન તિર્યંચદ્ધિકમાં મનુષ્યદ્ધિકને યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવે ત્યારે મનુષ્યદ્વિકનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે.૧૦૬ थावरतज्जाआया - वुज्जोयाओ नपुंसगसमाओ । आहारगतित्थयरं, थिरसममुक्कस्स सगकालं ॥ ९२ ॥ स्थावरतज्जात्यातापोद्योता नपुंसकसमाः। आहारक तीर्थंकरं, स्थिरसममुत्कृष्टखकालम् ।। ९२ ।। ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્ય :- સ્થાવરનામ, જ્ઞાતિ - એટલે સ્થાવરની જાતિ અર્થાતુ એકેન્દ્રિયજાતિ, આતપનામ, ઉદ્યોતનામ એ ૪ પ્રકૃતિઓ નપુંસવસમાં એટલે નપુંસકવેદના ઉ0પ્રસંક્રમની જેમ આ ૪ પ્રકૃતિઓનો ઉ0પ્રસંક્રમ કહેવો. તથા આહારકસપ્તક અને તીર્થંકર નામકર્મ તે સ્થિર સમાન કહેવું, ફક્ત આપૂર્ણતા પોત પોતાના ઉત્કૃષ્ટ બંધકાળ સુધી કહેવી. ત્યાં આહારકસપ્તકનો પોતાના બંધકાલ ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ સુધી સમયનું અનુપાલન કરનારો જેટલો અપ્રમત્ત કાલ છે, તેટલો બધો પણ જાણવો. અને તીર્થંકરનામનો ઉત્કૃષ્ટ બંધકાળ દેશોન% બે પૂર્વકોડ વર્ષ અધિક ૩૩ સાગરોપમ પ્રમાણ છે. તેથી તેટલો કાળ તે બન્ને આહારકસપ્તક અને જિનનામનો આપૂરણ કરીને ક્ષપકશ્રેણિ સ્વીકાર કરીને બંધવિચ્છેદ પછી એક આવલિકા માત્ર કાલ અતિકાન્ત જ્યારે થાય ત્યારે યશ-કીર્તિમાં તે બન્ને આહારકસપ્તક જિનનામનો સંક્રમ કરે છે. ત્યારે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ પામે છે. ૧૦૬ અહીં ૭મી નારકીમાં સમ્યકત્વ નિમિત્તક મનુષ્યદ્ધિક બાંધી છેલ્લા અંતર્મુહૂર્તમાં મિથ્યાત્વે જઈ મનુષ્યદ્વિકની બંધાવલિકા વીત્યા બાદ મિથ્યાત્વ નિમિત્તક બંધાતા તિર્યંચદ્ધિકમાં મનુષ્યદ્ધિક સંક્રમાવતાં તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ ન કહેવાય ? અંતર્મુહૂર્ત બાદ તિર્યંચગતિમાં જઇ તેટલો કાળ મનુષ્યદ્ધિકને અન્યમાં સંક્રમ વડે કંઇક ઓછું કરી તિર્યંચભવના પહેલા સમયે તિર્યંચદ્ધિકમાં સંક્રમાવતાં ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ કહેવાય ? એવો પ્રશ્ન અહીં થાય છે. ઉત્તરમાં સમજવાનું કે સાતમી નારકીમાં મિથ્યાત્વ ગુણઠાણે ભવનિમિત્તક મનુષ્યદ્રિકનો બંધ નથી. જે પ્રકૃતિઓ ભવ કે ગુણનિમિત્તક બંધાતી નથી તેનો વિધ્યાસક્રમ થાય છે. એ વાત પૂર્વે ગાથા - ૬૮માં કહી ગયા છે. એટલે સાતમી નારકીમાં છેલ્લા અંતર્મુહૂર્તમાં વિધ્યાતસંક્રમ વડે મનુષ્યદ્ધિક સંક્રમશે અને તિર્યંચભવના પહેલા સમયે યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમશે. કેમકે તિર્યંચભવમાં તેનો બંધ છે. વિધ્યાતસંક્રમ વડે જે દળ અન્યમાં સંમે છે તે બહુ અલ્પ હોય છે અને યથાપ્રવૃત્તસંક્રમ વડે જે સંક્રમે તે ઘણું હોય છે. માટે તિર્યંચભવમાં પહેલા સમયે ઉત્કૃષ્ટ સંક્રમ કહ્યો છે. ૧૦૭ દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી પણ સંયમની અનુપાલન કરતો જીવ અન્તર્મુહૂર્ત પ્રમત્તપણામાં અને અન્તર્મુહુર્ત અપ્રમત્તપશામાં જ વારંવાર ગમનાગમન કરતો રહે છે. ત્યાં પ્રમત્તપણાના સર્વ અન્તર્મુહૂર્તને એકત્ર કરતાં અન્તર્મુહૂર્તહીન પૂર્વક્રોડ વર્ષ થાય, અને અપ્રમત્તપણામાં સર્વ લઘુ અન્તર્મુહૂર્તોને એકત્ર કરતાં પણ માત્ર એક જ અન્તર્મુહૂર્ત થાય છે. એ ભગવતિ આદિ મટે છે. અને જેઓ પ્રમત્તાપ્રમત્તપણાનો કાળ બીજી રીતે માને છે, તેઓને મતે પણ અપ્રમત્તપણાનો કાળ અન્તર્યુ જ થાય છે તેથી અત્રે પણ સર્વ કાળ અન્તર્યુ પ્રમાણ જાણવો. ૧૦૮ મનુષ્યનું ઉઠઆયુ પાલન કરીને અનુત્તરવિમાને ઉ૮આયુષ્ય ઉપજે ત્યાંથી પુનઃ ઉષ્ઠઆયુર્વત મનુષ્ય થવાથી. અહીં દેશોન કાળ તે અંતર્મુહૂર્ત અધિક જિનનામોદયની જ સ્થિ૦ જેટલો સંભવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy