SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ સમ્યદૃષ્ટિ જીવની જે પંચેન્દ્રિયજાતિ, પ્રથમ સંસ્થાન, પરાઘાત, ઉચ્છવાસ, શુભવિહાયોગતિ, ત્રસચતુષ્ક, સુભગત્રિક એ ૧૨ પ્રકૃતિઓ શુભ સંધયણ સહિત એટલે વજ્રૠષભનારાચ સંઘયણ સહિત હોય. વજ્રૠષભનારાય તો સમ્યદૃષ્ટિ જીવને ધ્રુવબંધિ નથી, કારણકે મનુષ્ય - તિર્યંચભવમાં વર્તતાં સમ્યગ્દષ્ટિ જીવને દેવગતિ પ્રાયોગ્ય બંધનો સંભવ હોવાથી સંઘયણના બંધનો અભાવ છે. તેથી આ પ્રથમ સંઘયણને જુદુ કહ્યું છે. ૧૦૨ ૧૩૨ સાગરોપમ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. તે આ પ્રમાણે કહે છે. - ૬૬ સાગરોપમ સુધી સમ્યક્ત્વ ધારણ કરનારો જીવ આ ૧૨ પ્રકૃતિઓ બાંધે, તદનંતર અંતર્મુહૂર્ત કાલ સુધી મિશ્રપણું અનુભવીને ફરી પણ સમ્યક્ત્વ (ક્ષયોસમ્ય) પામીને તે (ક્ષયો૰) સમ્યક્ત્વને અનુભવતો જીવ ૬૬ સાગરોપમ સુધી એ ૧૨ પ્રકૃતિઓ બાંધે છે. તેથી એ પ્રમાણે ૧૩૨ સાગરોપમ સુધી સમ્યગ્દૃષ્ટિ જીવ એ શુભ ધ્રુવબંધિ ૧૨ પ્રકૃતિઓને આપૂરીને અને વજૠષભનારાચ સંઘયણ તો મનુષ્યભવ હીન યથાસંભવ ઉત્કૃષ્ટ કાળ પર્યંત આપૂરીને (બંધ અને સંક્રમ વડે ઘણાં પ્રદેશો ભેગા કરીને) તદનંતર સમ્યગ્દષ્ટિની ધ્રુવ ૧૨ પ્રકૃતિઓનો અપૂર્વગુણસ્થાનકે બંધવિચ્છેદ થયા બાદ એક આવલિકા અતિક્રમ્યા બાદ યશઃકીર્તિમાં સંક્રમાવતાં એ ૧૨ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ હોય છે. કારણ કે તે વખતે સંક્રમાવલિકા વ્યતિક્રાન્ત થવાથી અન્ય પ્રકૃતિના ઘણાં દલિકોની રાશિને ગુણસંક્રમ વર્ડ પ્રાપ્ત થયેલા હોય છે. માટે તે અવસરે એ ૧૨ પ્રકૃતિઓનો ઉપ્રસંક્રમ થાય છે. ૧૦૩ ૪૨૧ અને વજૠષભનારાચ સંધયણનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તો દેવભવથી અવીને આવેલ સભ્યષ્ટિ દેવગતિ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતો આવલિકા પસાર થયા બાદ કરે છે. ૧૦૪ पूरित्तु पुब्वकोडीपुहुत्त, संछोभगस्स निरयदुगं । સેવાનવાસ ય, સર્વયંતતિનું અંતું ॥ ૧૦ ॥ पूरयित्वा पूर्वकोटीपृथक्त्वं, संछोभकस्य नरकद्विकम् । વૈવાતિનવસ્ય હૈં, સ્વબંધાત્તાનિાં પા || ૧૦ || ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ :- નરહિમ્ - નરકગતિ - નરકાનુપૂર્વીરૂપ નરકદ્ધિકને પૂર્વક્રોડ પૃથ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાલા તિર્યંચ કે મનુષ્યના ૭ ભવમાં વારંવાર બાંધતો આપૂર્ણ કરે છે. ૮મા ભવે મનુષ્ય થઇને ક્ષપકશ્રેણિને પ્રાપ્ત થયેલો એવો જીવ અન્ય પ્રકૃતિમાં તે નરકદ્ધિકને અંત્ય પ્રક્ષેપ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. તથા દેવગતિ – દેવાનુપૂર્વી - વૈક્રિયસપ્તક લક્ષણવાળી દેવગતિનવક તે પૂર્વક્રોડ પૃથ વર્ષ સુધી૧૦૫ આપૂરણ કરીને ૮મા ભવે ક્ષપકશ્રેણિ પામે છે તે પોતાના બંધના વિચ્છેદ પછી અનંતર આવલિકા માત્ર પસાર થયા બાદ તે દેવગતિ૧૦૨ સમ્યગ્દૃષ્ટિ દેવ નારક (મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા હોવાથી) વજૠષભનારાચ સંઘયણ બાંધે, અને સમ્યગ્દષ્ટિ મનુષ્ય તિર્યંચ (દેવ પ્રાયોગ્ય પ્રકૃતિઓ બાંધતા હોવાથી) વજૠષભનારાચ સંઘયણ ન બાંધે. એ પ્રમાણે સમ્યગ્દૃષ્ટિ જીવને વજૠષભનારાચ સંઘયણનો બંધ હોય જ એવો નિયમ નહીં હોવાથી સમ્યગ્દૃષ્ટિને વજૠષભનારાચનો અવબંધ જ કહેવાય. Jain Education International ૧૦૩ અહીં એક શંકા થાય તેમ છે અને તે એ કે - બાર પ્રકૃતિઓની સાથે પ્રથમ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ ન કહ્યો ? ઉત્તરમાં સમજવાનું કે બાર પ્રકૃતિઓ તો આઠમાના છઠ્ઠા ભાગ સુધી નિરંતર બંધાય છે. કેમકે એ સમ્યગ્દૃષ્ટિ ધ્રુવસંજ્ઞાવાળી છે એટલે બંધવડે અને સાતમા સુધી યથાપ્રવૃત્ત સંક્ર્મવર્ડ અને આઠમાના પ્રથમ સમયથી અન્ય સ્વજાતીય અશુભ પ્રકૃતિઓના ગુણસંક્રમવડે અતિ ઘણા દળવાળી થાય છે, માટે આઠમા ગુણઠાણે બંધવચ્છેદ થયા બાદ એક આવલિકા - બંધાવલિકા ઓળંગીને બંધાતી યશઃકીર્તિમાં એ બારનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો છે. અને પ્રથમ સંઘયજ્ઞ તો સમ્યક્ત્વી મનુષ્યોને બંધાતું નથી કેમ કે તેઓ દેવભવ પ્રાયોગ્ય બંધ કરે છે, એટલે મનુષ્ય ભવમાં તે બંધ વડે પુષ્ટ થતું નથી અને બંધાતુ નહિ હોવાથી તેમાં અન્ય કોઇ પ્રકૃતિઓનું દળ સંમતું પણ નથી. ઉલટું જો આઠમા ગુણઠાણે બારની સાથે તેનો ઉત્કૃષ્ટ સંક્રમ કહેવામાં આવે તો તે નહિ ઘટે, કેમકે દેવમાંથી મનુષ્યમાં આવી જ્યાં સુધી આઠમે ગુણઠાણે બંધવિચ્છેદ સ્થાન નહિ પહોંચે ત્યાં સુધી વજૠષભના૨ાચ સંઘયણને અન્યમાં સંક્રમાવવા વડે હીન દળવાળું ક૨શે એટલે બારની સાથે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ઘટી શકશે નહિ. માટે દેવમાંથી મનુષ્યમાં આવી આવલિકા ગયા બાદ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો છે. સુધી આપૂર્ણ કરીને અર્થાત્ એ પ્રમાણે અર્થ છે. તદનંતર સર્વસંક્રમવડે સંક્રમાવે તે જીવ ૧૦૪ દેવભવમાં છેલ્લા સમયે જે પ્રથમ સંયણ નામકર્મ બાંધ્યું તેનો બંધાવલિકા ગયા બાદ સંક્રમ થાય તેથી દેવમાંથી મનુષ્યમાં આવી આવલિકા કાળ પછી ઉપ્રસંક્રમ કહ્યો છે. ૧૦૫ અર્થાત્ પૂર્વક્રોડ વર્ષના આયુષ્યવાલા મનુષ્ય અથવા તિર્યંચના સાતભવ સુધી આ ૯ પ્રકૃતિના દલિકોને આપુરણ કરીને. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy