SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૪૦૭. પ્રકૃતિમાં જે નાંખે - સંક્રમે છે. તે ગુણસંક્રમ એ બીજો અર્થ છે. તેથી ક્ષયકાલે મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધિ એ ૬ પ્રકૃતિનો પણ અપૂર્વરૂપ કરણથી શરૂ કરીને ગુણસંક્રમ પ્રવર્તે તે વિરૂધ્ધ નથી.' અર્થાતુ એ ૬ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય. એ પ્રમાણે ગુણસંક્રમનું સ્વરૂપ કહ્યું. (યંત્ર નં- ૩૧ જુઓ) ઇતિ રજી ભેદ પ્રરૂપણા વિષે ૩૬ ગુણસંક્રમ સમાપ્ત - અથ ૨જી ભેદ પ્રરૂપણા વિષે ૪થું યથાપ્રવૃત્તસંક્રમ :-) હવે યથાપ્રવૃત્તસંક્રમનું લક્ષણ કહે છે. “વધે' ઇત્યાદિ ધ્રુવબંધિની પ્રકૃતિઓનો બંધ થયે છતે યથાપ્રવૃત્તસંક્રમ થાય છે. “પત્તિમો 'ત્તિ = પરાવર્તમાન પ્રવૃતિઓનો બંધ ન હોય તો પણ યથાપ્રવૃત્તસંક્રમ થાય છે. બંધ હોય તો પણ થાય તે મારે શબ્દનો અર્થ છે. અહીં ભાવાર્થ આ પ્રમાણે છે. - સર્વે પણ સંસારમાં રહેલ જીવો ધ્રુવબંધિ પ્રવૃતિઓનો બંધ પ્રવર્તતે છતે અને પોત પોતાના ભવ બંધ પ્રાયોગ્ય પરાવર્તમાન પ્રવૃતિઓનો બંધ હોય અથવા બંધ ન હોય તો પણ તેઓનો યથાપ્રવૃત્તસંક્રમ થાય છે. ત્યાં ધ્રુવબંધિની અથવા અધૂવબંધિની પ્રકૃતિઓનો જ્યારે તે સમયે ઘણાં દલિયા બંધાતા પ્રાપ્ત થાય છે. અથવા તભવ બંધ યોગ્ય કેટલીએક અધુવબંધિ પ્રવૃતિઓનો તે વખતે બંધ ન હોય પરંતુ પૂર્વે બંધાયેલું ઘણું દલિક સત્તામાં હોય તો ઘણું દલિક સંક્રમાવે છે, થોડું હોય તો થોડું સંક્રમાવે છે. અને તે જઘન્ય યોગે વર્તતો જઘન્ય દલિકને, મધ્યમ યોગે વર્તતો મધ્યમ લિકને અને ઉત્કૃષ્ટ યોગે ઉત્કૃષ્ટ દલિકને સંક્રમે છે. યથાપ્રવૃત્તસંક્રમ એટલે “યથા'- જેમ જેમ “પ્રવૃત્ત'યોગની પ્રવૃત્તિ થાય તેમ તેમ હીનાધિક દલિકનો સંક્રમ થાય તે યથાપ્રવૃત્તસંક્રમ કહેવાય છે. આ પાંચ સંક્રમને વિષે કયા સંક્રમનો બાધ કરીને કયો સંક્રમ પ્રવર્તે છે તો કહે છે. - પોતાના (ગુણ કે ભવરૂપ નિમિત્તને પ્રાપ્ત કરી અબંધ થવારૂ૫) હેતુની પ્રાપ્તિના સંબંધના સામર્થ્ય વડે યથાપ્રવૃત્તસંક્રમનો બાધ કરીને વિધ્યાતસંક્રમ કે ગુણસંક્રમ પ્રવર્તે છે. સર્વસંક્રમ પણ ઉલના સંક્રમના છેલ્લા ખંડે છેલ્લો દલિક નાંખે છે. તેથી તે પણ ઉદ્દ્વલના સંક્રમને બાધ કરીને પ્રવર્તે છે એ પ્રમાણે જાણવું. (યંત્ર નં-૩૨ જુઓ) ઇતિ રજી ભેદ પ્રરૂપણા વિષે ૪થું યથાપ્રવૃત્તસંક્રમ સમાપ્ત ગુણસંક્રમના સ્વામિત્વ પ્રદર્શક યંત્ર નં. ૩૧ સંખ્યા અબધ્ધમાન અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ કયાં ગુણસ્થાનકવાળા જીવો ૧૩| મિથ્યાત્વ, આતપ, નરકાય, એ ૩ સિવાયની મિથ્યાદૃષ્ટિ યોગ્ય ઉપશમ કે ક્ષપક અપૂર્વકરણના =૧૩ પ્રથમ સમયે ૧૯]. અનંતા.-૪, તિર્યંચાયુ, ઉદ્યોત એ ૬ સિવાય સાસ્વાદન યોગ્ય = ૧૯ | ઉપશમ કે ક્ષપક અપૂર્વકરણના પ્રથમ સમયે ૧૪] | મધ્યમ કષાય-૮, અસ્થિર, અશુભ, અપયશ, શોક, અરતિ, અસાતા ઉપશમ કે ક્ષપક અપૂર્વકરણના = ૧૪ પ્રથમ સમયે ૧૬ | નિદ્રાદ્ધિક, ઉપઘાત, અશુભવર્ણાદિ-૯, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, સ્વ બંધવિચ્છેદ ૮/ર થી ઉપશમ કે =૧૬ સં૫કને મિથ્યાત્વ, મિશ્ર, અનંતા-૪ =૬ ૪ થી ૭ ગુણઠાણે અપૂર્વકરણ કરે ત્યારથી કે ૮૦ ઉપશમ સમ્યકત્વ પામતાં અને ક્ષયોપશમ સમ્યકત્વ પામતાં જે અપૂર્વકરણ કરવું પડે છે તે અપૂર્વકરણમાં એ ૬ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થતો નથી એમ ઉપશમનાકરણ અધિકારમાં પ્રતિપાદન કર્યું છે, માટે અત્રે “પગલે' =ક્ષયકાળે (એ ૬ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય) એમ કહ્યું છે. વિશેષ એ કે ગુણવૃદ્ધિમાં ચઢતાં જીવને અનેકવાર ભિન્ન ભિન્ન અપૂર્વકરણો કરવા પડે છે. તે દરેક અપૂર્વકરણમાં ગુણસંક્રમ થાય એવો નિયમ નથી. જેમ મિથ્યાત્વ ગુણસ્થાનકે સમ્યક્ત્વ પ્રત્યધિક અપૂર્વકરણમાં ગુણસંક્રમ પ્રવર્તતો નથી. ૮૧ અહીં ઉપલક્ષણથી અનાદિ મિથ્યાદષ્ટિ અંતરકરણમાં રહેલ આત્મા પણ ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના પ્રથમ સંયમથી અંત સુધી મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ગુણસંક્રમ કરે છે. (જૂઓ ઉપશમનાકરણ - ગાથા - ૨૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy