SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ કર્મપ્રકૃતિ ( -: અથ રજી ભેદ પ્રરૂપણા વિષે ૩જું ગુણસંક્રમ - ) गुणसंकमो अवज्झंतिगाण, असुभाणपुवकरणाई । बंधे अहापवत्तो, परित्तिओ वा अवंधे वि ॥ ६९ ॥ गुणसंक्रमो ऽबध्यमानानामशुभानामपूर्वकरणादि । बंधे यथाप्रवृत्तः, परावर्तमानानां वाऽबन्धेऽपि ॥ ६९ ॥ ગાથાર્થ - અપૂર્વકરણાદિ કરણમાં વર્તતો જીવ અબધ્યમાન અશુભ પ્રકૃતિના કર્મદલિકને જે પ્રતિસમય અસંખ્ય ગુણશ્રેણિએ સંક્રમાવે તે ગુણસંક્રમ કહેવાય. તથા ધ્રુવબંધિ પ્રવૃતિઓનો બંધ હોતે છતે અને પરાવર્તમાન પ્રવૃતિઓમાંની સ્વબંધયોગ્ય પ્રકૃતિઓનો બંધ હોતે વા નહીં હોતે છતે પણ યથાપ્રવૃત્તસંક્રમ થાય. ટીકાર્ય - હવે ગુણસંક્રમનું લક્ષણ કહે છે. “મપૂર્વ રહિયઃ'- અપૂર્વકરણાદિમાં વર્તતાં જીવો અનધ્યમાન અશુભ પ્રવૃતિઓ સંબંધી કર્મલિકને દરેક સમયે અસંખ્યયગુણશ્રેણિ વડે જે બંધાતી પ્રકૃતિઓનો વિષે જે સંક્રમાવે તે ગુણસંક્રમ કહેવાય છે. ગુણ એટલે પ્રતિ સમય અસંખ્ય ગુણાકારે (અસંખ્યગુણ - અસંખ્યગુણ) સંક્રમ કરવો તે ગુણસંક્રમ. તે આ પ્રમાણે કહે છે. મિથ્યાત્વ, આતપ, નરકાયુ, સિવાયની મિથ્યાદૃષ્ટિ યોગ્ય ૧૩ પ્રકૃતિઓ અનંતાનુબંધિ-૪, તિર્યંચાયુ, ઉદ્યોત સિવાયની સાસ્વાદન યોગ્ય ૧૯ પ્રકૃતિઓ, તથા મધ્યમ કષાય-૮, અસ્થિર, અશુભ, અયશ-કીર્તિ, શોક, અરતિ, અસાતાવેદનીય (એ-૧૪ પ્રકૃતિ) - સર્વસંખ્યા મળીને ૪૬ અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો અપૂર્વકરણથી આરંભીને ગુણસંક્રમ થાય છે. પ્રકૃતિ વર્જવાનું કારણ - મિથ્યાત્વ અને અનંતાનુબંધિ એ પનો અપૂર્વગુણસ્થાનક પહેલાંજ સમ્યગુદૃષ્ટિ આદિ જીવો ક્ષય કરે છે. આતપ, ઉદ્યોત એ શુભ હોવાથી ગુણસંક્રમ ન થાય, કારણકે અશુભ પ્રકૃતિઓનોજ ગુણસંક્રમ થાય છે. આયુષ્યનો પરપ્રકૃતિમાં સંક્રમ થતો જ નથી તેથી મિથ્યાત્વાદિ પ્રકૃતિઓનો અહીં ત્યાગ કર્યો છે. નિદ્રાદ્ધિક, ઉપઘાત, અશુભવર્ણાદિ-૯, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ ૧૬ પ્રકૃતિઓનો પોત પોતાના બંધવિચ્છેદથી શરૂ કરીને ગુણસંક્રમ જાણવો.૬ “મપૂર્વવરણાલયઃ'- એટલે (અપૂર્વકરણ નામનું જે ત્રણ કરણમાંનું દ્વિતીયકરણ) તે અપૂર્વકરણમાં વર્તતાં જીવો નહીં બંધાતી અશુભ પ્રકૃતિઓના પ્રદેશોને અસંખ્ય ગુણશ્રેણિએ બધ્યમાન ૭૮ આ ગુણસંક્રમ અબધ્ધમાન અશુભ પ્રકૃતિઓનો થાય છે, અને અપૂર્વકરણ આદિ ગુણઠાણે તેમજ ૪થા ગુણસ્થાનકાદિમાં ક્ષાયિક સમ્યક્ત્વાદિ પ્રાપ્ત કરતાં ત્રણ કરણ કરે છે ત્યાં અપૂર્વકરણ આદિ કરણમાં પ્રવર્તે છે તેમાં અપૂર્વકરણ ગુણસ્થાનકથી અબંધાતી તમામ અશુભ પ્રવૃતિઓનો ઉપશમ અને ક્ષપક બંને શ્રેણિમાં ગુણસંક્રમ થાય છે. અને ક્ષાયિક સમ્યકત્વાદિ પ્રાપ્ત કરતાં થતાં ત્રણ કરણમાંના અપૂર્વકરણાદિમાં મિથ્યાત્વ, મિશ્રમોહનીય અને અનંતાનુબંધિ એ ૬નોજ ગુણસંક્રમ થાય છે. ચોથાથી સાતમા સુધીમાં અનંતાનુબંધિની વિસંયોજના કરતાં અનંતાનુબંધિનો અને દર્શનત્રિકનો ક્ષય કરતાં મિથ્યાત્વ તથા મિશ્ર મોહનીય એ બે પ્રકૃતિનો ગુણસંક્રમ થાય છે. ૭૯ અહીં ટીકામાં અપ્રમત્ત ગુણસ્થાનક સુધીમાં બંધવિચ્છેદ થનાર પ્રકૃતિઓ ૪૬ અને અપૂર્વકરણ ગુણસ્થાનકે બંધવિચ્છેદ થનાર નિદ્રાદ્ધિક વગેરે સોળ - એમ બાસઠ પ્રકૃતિ તેમજ અપૂર્વકરણ સંજ્ઞાવાળા અપૂર્વકરણથી અનંતાનુબંધિ ચતુષ્ક, મિથ્યાત્વ અને મિશ્ર એ ૬ પ્રકૃતિઓ એમ કુલ ૬૮ પ્રકૃતિઓનો ગુણસંક્રમ બતાવ્યો છે. અને તેમાં વર્ણના ઉત્તરભેદો ન લેતાં સામાન્યથી અશુભ વર્ણચતુષ્ક લેવાથી પાંચ પ્રકૃતિ બાદ કરતાં કુલ ત્રેસઠ પ્રકૃતિનો ગુણસંક્રમ થાય છે. એમ બતાવવામાં આવ્યું છે. પરંતુ પુરુષવેદ અને લોભ વિના સંજવલનત્રિક એ ચાર પ્રકૃતિનો પણ ગુણસંક્રમ સંભવી શકે છે. કારણકે અપૂર્વકરણથી અબધ્યમાન સઘળી અશુભ પ્રવૃતિઓનો ગુણસંક્રમ થાય છે. તેથી જ નિદ્રાદ્રિકાદિ પ્રવૃતિઓનો ગુણસંક્રમ બતાવ્યો છે. એજ રીતે નવમા ગુણસ્થાનકે પોત પોતાના બંધવિચ્છેદ પછી આ ચાર પ્રકૃતિઓનો પણ ગુણસંક્રમ થવામાં કોઇ બાધ જણાતો નથી. તથા ષષ્ઠ કર્મગ્રન્થ ગાથા ૬૭ની ટીકામાં પણ બંધવિચ્છેદ સમયે સમય ન્યૂન બે આવલિકા કાલમાં બંધાયેલ સત્તાગત દલિકનો તેટલાં જ કાલે ગુણસંક્રમ દ્વારા ક્ષય કરે છે એમ જણાવેલ છે. અને ઉદ્વવનાસંક્રમ દ્વારા પણ જે પ્રકૃતિઓનો અંતર્મુહૂર્ત કાલે ક્ષય થાય છે ત્યાં પણ ઉદ્ધવનાસંક્રમની અંતર્ગત ગુણસંક્રમ માનેલો છે. છતાં તે ઉદ્ધવનાનુવિદ્ધ ગુણસંક્રમની જો વિવેક્ષા ન કરીએ તો નવમા ગુણઠાણે ઉદ્વલના સંક્રમ દ્વારા ક્ષય પામતી મધ્યમ આઠ કષાયાદિ શેષ પ્રકૃતિઓનો પણ ગુણસંક્રમ ઘટી શકે નહીં, છતાં તે પ્રકૃતિઓ ગુણસંક્રમમાં ગણાવી છે. માટે આ ચાર પ્રકૃતિઓનો પણ ગુણસંક્રમ અવશ્ય સંભવે છે તથાપિ ટીકાકાર મહર્ષિએ તેની વિરક્ષા કેમ નથી કરી તે બહુશ્રુત જાણે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy