SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ કર્મપ્રકૃતિ ટીકાર્ય - ચારે પણ આયુષ્યની જઘન્ય સ્થિતિ બાંધીને બંધાવલિકાથી આગળ સમયાધિક આવલિકા બાકી રહે ત્યાં સુધી જઘન્ય અનુભાગસંક્રમ પ્રાપ્ત થાય છે. જઘન્ય સ્થિતિનો બંધક જઘન્ય અનુભાગ બાંધે છે તેથી જઘન્ય સ્થિતિનું ગ્રહણ કર્યું છે. તથા નરકદ્ધિક, મનુષ્યદ્રિક, દેવદ્રિક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક, ઉચ્ચગોત્ર - એ ઉદ્વલન યોગ્ય ૨૧ પ્રકૃતિઓ, તીર્થકર, સંયોજના કષાય = અનંતાનુબંધિ-૪, એ ૨૬ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ બાંધીને પ્રથમ આવલિકા =બંધાવલિકા પસાર કરીને, અર્થાતુ બંધાવલિકાથી આગળ જઘન્ય અનુભાગ સંક્રમાવે છે. કોણ સંક્રમાવે ? તો કહે છે. - અસંજ્ઞિ પંચેન્દ્રિય જીવ વૈક્રિયસપ્તક, દેવદ્રિક, નરકદ્ધિક - એ ૧૧ પ્રકૃતિઓનો, સૂક્ષ્મનિગોદ જીવ મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રનો, અપ્રમત્ત સંયત આહારકસપ્તકનો, અવિરત સમ્યગુદૃષ્ટિ જીવ જિનનામનો, સમ્યત્વ સન્મુખ થયેલ મિથ્યાદૃષ્ટિ જીવ અનંતાનુબંધિ-૪ નો જઘન્ય અનુભાગ સંક્રમાવે છે. सेसाण सुहुम हयसंत - कम्मिगो तस्स हेट्टओ जाव । વંઘ તારં રિમો, ૩ કિશો વા વિ . ૧૨ / शेषाणां सूक्ष्मो हतसत्कर्मा - तस्याऽधस्तात् यावत् । बध्नाति तावदेकेन्द्रियो, वाऽनेकेन्द्रियो वाऽपि ॥ ५९ ॥ ગાથાર્થ :- ટીકાની જેમ ટીકાર્થ ઃ- “ષાન'. પૂર્વે કહ્યા સિવાયની શુભ અને અશુભ ૯૭ પ્રકૃતિઓનો જે સૂક્ષ્મ એકેન્દ્રિય વાઉકાય. અથવા તેઉકાયના જીવે ફતે- સંક્રમથી સત્તાકર્મનો ઘણો અનુભાગ નાશ કર્યો છે જેણે તે તથા તે તેના પોતાના અનુભાગાસત્તાથી અલ્પ અનુભાગબંધ ત્યાં સુધી કરે છે કે જ્યાં સુધી તે એકેન્દ્રિય તે જ એકેન્દ્રિય ભવમાં અથવા અન્ય એકેન્દ્રિય ભવમાં વર્તતો છતો અથવા અનેકેન્દ્રિય ભવમાં એટલે તેજ એકેન્દ્રિય કે જેનો સત્તાકર્મનો ઘણો અનુભાગ હણાયેલ છે, બીજા બેઇન્દ્રિયાદિ ભવમાં વર્તતો છતો જ્યાં સુધી અન્ય મોટો અનુભાગ ન બાંધે ત્યાં સુધી તે જ જઘન્ય અનુભાગને સંક્રમાવે છે. (યંત્ર નં.-૨૮ જુઓ) ઇતિ જઘન્ય અનુભાગસંક્રમ સ્વામિત્વ સહિત ૭મી સ્વામિત્વ પ્રરૂપણા સમાપ્ત ઇતિ ૩જ અનુભાગસંક્રમ સમાપ્ત ( - અથ ૪ થો પ્રદેશસંક્રમ - ) जं दलियमन्नपगई, णिज्जइ सो संकमो पएसस्स । उब्बलणो विज्झाओ, अहापवत्तो गुणो सबो ॥६०॥ यद् दलिकमन्यप्रकृति, नीयते सः संक्रमः प्रदेशस्य । હવતનો વિધ્યાત, યથાપ્રવૃત્તો ગુજઃ સર્વ: ૬૦ || ગાથાર્થ: દલિકને જે અન્ય પ્રકૃતિ પ્રત્યે લઇ જવાં (અન્ય પ્રકૃતિરૂપે પરિણાવવાં) તે પ્રદેશનો સંક્રમ (પ્રદેશસંક્રમ) ઉદ્વલના - વિધ્યાત - યથાપ્રવૃત્ત - ગુણસંક્રમ - ને સર્વસંક્રમ એ પ્રમાણે ૫ પ્રકારનો છે. ટીકાર્થ :- તે પ્રમાણે અનુભાગસંક્રમ કહ્યો, હવે પ્રદેશસંક્રમ કહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને ત્યાં આ અર્થાધિકાર છે. (૧) સામાન્ય લક્ષણ (૨) ભેદ (૩) સાદિ - અનાદિ પ્રરૂપણા (૪) ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સ્વામી (૫) જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામી. ૬૩ કોઇ પણ કર્મની ઉદ્ધના તેનો બંધ થયો હોય ત્યાં સુધી જ થાય છે. એટલે ઉદ્વર્તનાનો બંધ સાથે સંબંધ છે, અપવર્ણનાનો બંધ સાથે સંબંધ નથી, બંધ હોય કે ન હોય પણ અપવર્નના યોગ્ય અધ્યવસાય ગમે ત્યારે થાય છે. ચાર આયુની જઘન્ય સ્થિતિ બંધાતા તેનો રસ પણ જઘન્ય બંધાય છે, હવે જો તે જઘન્ય આયુના બંધકાળ સુધીમાં તેના રસની ઉદ્વર્તના ન થાય તો તેવો જ જઘન્ય રસ સત્તામાં રહે છે અને તેને સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી સંક્રમાવે છે. તથા જ્યાં જ્યાં અન્ય સ્વરૂપે કરવા રૂપ સંક્રમ ઘટી શકે ત્યાં ત્યાં તે સંક્રમ સમજવો, અન્ય સ્થળે ઉદ્ધત્તના, અપવર્નના જે સંભવે તે સમજવો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy