SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૬૭ આવલિકા માત્ર કાળ સુધી સકલ કરણ અયોગ્ય કરીને સંક્રમાવલિકા પસાર થયે ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિ ત્યાંથી પણ પ્રકૃતિઓની અંદર (બીજી વાર) સંક્રમ થાય છે. તેથી સંક્રમોત્કૃષ્ટાનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ૩ આવલિકા હીન જ છે. તે આ પ્રમાણે - નરકદ્વિકની ઉત્કૃષ્ટ ૨૦ કોડાકોડી સાગરોપમ બાંધીને બંધાવલિકા પસાર થયે આવલિકાથી ઉપરની સ્થિતિને મનુષ્યદ્ધિકને બાંધતો ત્યાં મનુષ્યદ્વિકમાં સંક્રમે છે. અને ત્યાં સંક્રાન્ત થયે છતે આવલિકા માત્ર સકલ કરણ અયોગ્ય કરે, તેથી સંક્રમાવલિકા પસાર થયે ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિને દેવદ્રિક બાંધતો ત્યાં પણ સંક્રમે છે. એ પ્રમાણે બીજી પણ સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ૩ આવલિકા હીન જાણવો. (ચિત્ર નં. ૧ અને ૨ જુઓ). मिच्छत्तस्सुक्कोसो, भित्रमुत्तूणगो उ सम्मत्ते । મિસેવંતો દોડાવડી, માદારતિત્યારે આ રૂ૦ | मिथ्यात्वस्योत्कृष्टः, भित्रमुहानस्तु सम्यक्त्वे ।। બ્રેિવાડા:શોદાવશોરી, નાદાર-તીર્થવાયોઃ | ૨૦ || ગાથાર્થ :- મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અંતર્મુહર્ત હીન છે. તથા સમ્યકત્વ અને મિશ્રનો ઉ૦ સ્થિતિસંક્રમ ૨ આવલિકાધિક અંતર્મુહુર્ત હીન છે. તથા આહારક અને જિનનામનો ઉ0 સ્થિતિસંક્રમ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ટીકાર્ય - તે પ્રમાણે બંધ થયે છતે જેઓની સંક્રમથી ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, તે પ્રકૃતિઓનું ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પરિમાણ કહ્યું. હવે જે પ્રકૃતિઓ બંધ વિના ફક્ત સંક્રમથી જ ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે, તે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પરિમાણ નિરૂપણ કરતાં કહે છે. - - મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ ““મિત્રદૂર્વોનઃ ” એટલે અંતર્મુહૂર્ત ન્યૂન છે. તથા સમ્યકત્વને વિષે સમ્યત્વનો અને સમ્યક્ત્વ અથવા મિશ્રને વિષે મિશ્રનો ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ અંતર્મુહુર્ત ન્યૂન છે. તુ શબ્દ તે અધિક અર્થ સૂચન કરે છે તેથી (અંતર્મુહૂર્ત અને) બે આવલિકા હીન જાણવું. અહીં આ ભાવના છે. - *દર્શનમોહનીયત્રિકની સત્તાવાળો મિથ્યાષ્ટિ ઉત્કૃષ્ટ સંકલેશમાં વર્તતો મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધીને પછી અંતર્મહત્ત માત્ર સમય બાદ તરત મિથ્યાત્વથી પડીને વિશુદ્ધિ પામતો સમ્યકત્વ પામે છે. પછી મિથ્યાત્વની ૭૦ કોઇ કોઇ સાગરોપમ લક્ષણની ઉત્કૃષ્ટ સ્થિતિને અંતર્મુહુર્ત હીન સમ્યકત્વ અને મિશ્રને વિષે સંક્રમાવે છે, અને ત્યાં સંક્રાત થયે છતે આવલિકા માત્ર સુધી સકલ કરણને અયોગ્ય થાય છે. પછી સંક્રમાવલિકા પસાર થયે ઉદયાવલિકાથી ઉપરની સમ્યકત્વની સ્થિતિને અપવર્તનાકરણથી સ્વસ્થાને સંક્રમાવે છે. અને મિશ્રની સ્થિતિને પણ સંક્રમાવલિકા પસાર થયે છતે ઉદયાવલિકાથી ઉપરની સ્થિતિને સમ્યકત્વમાં સંક્રમાવે છે. અને તે અપવર્તનાકરણથી સ્વસ્થાનમાં સંક્રમાવે છે. એ પ્રમાણે મિથ્યાત્વનો અંતર્મુહૂર્ત ન્યૂન અને સમ્યકત્વ - મિશ્રનો અંતર્મુહુર્ત સહિત બે આવલિકા હીન અર્થાત્ બે આવલિકાધિક અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ થાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે દર્શનત્રિકની સત્તાવાળો મિથ્યાદૃષ્ટિ તેજ જે પૂર્વ સમ્યગુદૃષ્ટિ થઇને પતિત થયો છે. અને તેને મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંભવે નહીં. “વંધે વોન વિ'' એ પ્રમાણે આગમનું વચન હોવાથી, ગ્રન્થિભેદ કરવા છતાંય પડેલાંને પણ અતઃકોડાકોડીથી અધિક બંધનો નિષેધ છે. તેથી આ સર્વ વાત મૂળમાંથી જ નીકળી ગઇ એમ નથી. વધેખ ન હોત'' એ પ્રમાણે સિદ્ધાંતનો મત છે. કર્મગ્રંથના મતે સમ્યગુદૃષ્ટિથી પડીને મિથ્યાત્વે આવેલા ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ પામે છે. તેને તેવા પ્રકારના રસના અભાવથી જ વિશેષ સમર્થન નથી એટલે કાંઇ દોષ નથી. ૩૨ અહીં દર્શનમોહનીયત્રિકની સત્તાવાળો એટલે પ્રથમ ક્ષાયોપથમિક સમ્યક્ત્વ પામેલ જીવ હોય, પછી મિથ્યાત્વે ગયેલ હોય, ૧લા ગુણસ્થાનકે કરણ કરીને તેમજ કરણા કર્યા સિવાય એમ બે રીતે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, તે હકીકત ઉપશમના કરણમાં કહેવામાં આવશે. કરણ કરીને જે સમ્યકત્વ પ્રાપ્ત કરે છે તે તો અંતઃ કોઇ કોઇ ની સત્તા લઇને જ ઉપર જાય છે. કરણ કર્યા વિના જે ચઢે છે તે ઉપર કહ્યાં પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા લઈ ૪થા ગુણસ્થાનકે જાય છે, અને અંતર્મુહૂર્ત ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમાવે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરીને અંતર્મુહૂર્ત સુધી ૧લા ગુણસ્થાનકે રહીને જ સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. માટે અંતર્મુહૂર્ત જૂન ઉત્કૃષ્ટ સ્થિતિનો સંક્રમ થાય છે. એમ કહ્યું છે. ૪થા ગુણસ્થાનકે ગયા બાદ અંતર્મુહૂર્ત સુધી ઉત્કૃષ્ટ સ્થિતિની સત્તા રહે છે. તેટલાં કાળમાં વિશુદ્ધિના બળથી અંતઃ કોકો ની ઉપરાંત સ્થિતિનો નાશ કરે છે. એટલે અંતર્મુહૂર્ત બાદ અંતઃ કોડાકોડી સાગરોપમથી વધારે સ્થિતિ સત્તા હોતી નથી. ૩૩ સ્વસ્થાન એટલે શું? - જે પ્રકૃતિ પોતાના પરમાણુઓને અન્ય પ્રકૃતિરૂપે પરિશમાવે નહીં પરંતુ હીન વા અધિક સ્થિતિવાળા પોતાના જ પરમાણુઓમાં સંક્રમાવે તે સ્વસ્થાન સંક્રમ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy