SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રમણકરણ ૩૫૫ ( - અથ સ્થિતિસંક્રમ વિષે ૬ અનુયોગ દ્વાર:-) ठिइसंकमो त्ति बुच्चइ, मूलुत्तरपगइतो उ जा हि ठिई । उबट्टिया व ओवट्टिया व, पगई णिया वऽण्णं ॥ २८ ॥ स्थितिसंक्रम इत्युच्यते, मूलोत्तरप्रकृतिभ्यां तु या हि स्थितिः । उद्वर्तिता वा ऽपवर्त्तिता वा, प्रकृतिं नीता वाऽन्याम् ॥ २८ ॥ ગાથાર્થ :- મૂળ અને ઉત્તર પ્રવૃતિઓને આશ્રયી જે સ્થિતિ તેની ઉદ્વર્તના કરવી, અપવર્ણના કરવી અથવા અન્ય પ્રકૃતિરૂપે પરિણાવવી, એ ત્રણ પ્રકારે સ્થિતિસંક્રમ કહેવાય છે. ટીકાર્થ : - તે પ્રમાણે પ્રકૃતિસંક્રમ કહ્યો. હવે સ્થિતિસંક્રમ કહેવાનો અવસર છે. અને ત્યાં આ અર્વાધિકાર છે. તે આ પ્રમાણે (૧) ભેદ, (૨) વિશેષલક્ષણ (૩) ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ પ્રમાણ (૪) જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ (૫) સાઘાદિ પ્રરૂપણા અને (૬) સ્વામિત્વ પ્રરૂપણા એ ૬ અનુયોગ દ્વાર છે. -: અથ ૧લી - ૨જી - ભેદ – વિશેષલક્ષણ પ્રરૂપણા - ત્યાં ભેદ વિશેષલક્ષણનું નિરૂપણ કરવાને કહે છે. અહીં ““મૂજીત્તરો ” એ પ્રમાણે અહીં “ લત” = ઘર પર ચઢીને જોવે છે. એ પ્રમાણે અહીં ““ત્યા'' (સંબંઘક ભૂતકૃદન્ત) નો લોપ થયે તેના કર્મમાં પંચમી છે. ધતo (“સખ્યમારા પ્રેક્ષ'') તેથી આ અર્થ “દિ''સ્પષ્ટ છે. મૂલપ્રકૃતિની ૮ અને ઉત્તરપ્રકૃતિની ૧૫૮ સંખ્યાને આશ્રયીને જે સ્થિતિ ““ઉર્જિતા'' એટલે કે અલ્ય થયેલી છતી લાંબી (મોટી) કરવી અથવા “પર્તિતા' લાંબી હોવા છતાં અલ્પ કરે. અથવા અન્ય પ્રકૃતિને લઇ જવી, પતગ્રહ પ્રકૃતિની સ્થિતિરૂપે લઇ જઇને તે સ્થિતિરૂપે સ્થાપના કરવી. તેને સ્થિતિસંક્રમ કહેવાય છે. આ પ્રમાણે કહે છે. - સ્થિતિસંક્રમ બે પ્રકારે છે. મૂલપ્રકૃતિ વિષય અને ઉત્તરપ્રકૃતિ વિષયનું પહેલાના ૮ પ્રકાર તે આ પ્રમાણે – જ્ઞાનાવરણીયથી અંતરાય સુધી, બીજો ૧૫૮ પ્રકારે. તે આ પ્રમાણે - મતિજ્ઞાનાવરણથી વીયતરાય સુધી. તે પ્રમાણે - મૂનુત્તરપત્રો એનાથી ભેદ પ્રરૂપણા કહીં. વિશેષ લક્ષણ પ્રરૂપણા ઃ- “ઉવદિયા ' ઇત્યાદિનું વિશેષ લક્ષણ ૩ પ્રકારે છે. ત્યાં કર્મ પરમાણુઓનો અલ્પ સ્થિતિકાલ દૂર કરીને દીર્ધકાલપણે વ્યવસ્થા (સ્થાપના) કરાય તે ઉદ્વર્તન, અને તે જ દીર્ધ સ્થિતિકાલને દૂર કરીને અલ્પ સ્થિતિકાલપણે સ્થાપના કરાય તે અપવર્તના, તથા સંક્રમ પામતી પ્રકૃતિની સ્થિતિને પતઘ્રહ પ્રકૃતિની સ્થિતિરૂપે લઇ જઇને સ્થાપવી તે પ્રત્યંતરનયન નામે સ્થિતિસંક્રમ કહેવાય. અને સ્થિતિઓને બીજે સ્થાપવું તે સ્થિતિ યુક્ત પરમાણુ દ્વારા જ જાણવું સ્થિતિને સાક્ષાત્ બીજે લઇ જવી અશક્ય છે. અને આ વિશેષ લક્ષણ તે સામાન્ય લક્ષણને અનુસરીને જ પ્રવર્તે છે. પણ તેને મુકીને નહીં. તેથી મૂલપ્રકતિઓને વિષે પરસ્પર સંક્રમનો નિષેધ હોવાથી તેઓનો મુલપ્રકૃતિઓનો પ્રત્યંતરનયન લક્ષણ સ્થિતિ સંક્રમ થતો નથી. પરંતુ બે જ ઉદ્વર્તના અને અપવર્ણના લક્ષણવાળા સંક્રમ થાય છે અને ઉત્તર પ્રવૃતિઓનો તો ત્રણે પણ સંક્રમ સંભવે એ પ્રમાણે જાણવું. (૫૦નં - ૩૬૬ જુઓ). ઇતિ ૧લી - રજી - ભેદ - વિશેષલક્ષણ પ્રરૂપણા સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy