SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ કર્મપ્રકૃતિ જવાબ-૧૩ જેનો ઉદય ન હોય તે અનુદયવતી પ્રવૃતિઓનું પ્રથમની ઉદયસ્થિતિમાં રહેલું દલિક તેના અનંતર પૂર્વ સમયે જ સ્વજાતીય ઉદયવતી પ્રવૃતિઓમાં તિબૂક સંક્રમ દ્વારા સંક્રમી જાય છે, ત્યારે ઉદયવતી પ્રવૃતિઓનું પ્રથમસ્થિતિનું લિક સ્વ સ્વરૂપે હાજર હોય છે. તેથી ઉદય વખતે બંધ અથવા અન્ય પ્રકૃતિઓના સંક્રમથી જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા થાય છે તેના કરતાં તેને ઉદય ન હોય ત્યારે પોતાના બંધથી અથવા અન્યપ્રકૃતિના સંક્રમથી પણ એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા પ્રાપ્ત થાય છે. તેથી અસાતાવેદનીય વગેરે અનુદય બધોત્કૃષ્ટા અને મનુષ્યગતિ વગેરે અનુદય સંક્રમોત્કૃષ્ટા ન જ કહી શકાય. પરંતુ ઉદયબંધોસ્કૃષ્ટા અને ઉદયસંક્રમોત્કૃષ્ટા જ કહેવાય. પ્રશ્ન-૧૪ અતિસંકિલષ્ટ મિથ્યાદૃષ્ટિને કેટલી અને કઈ કઈ શુભપ્રકૃતિઓ બંધમાં આવી શકે ? જવાબ-૧૪ તે આ પંચેન્દ્રિયજાતિ, આહારક સિવાયના ચાર શરીર અને બે અંગોપાંગ, શુભવર્ણચતુષ્ક, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, નિર્માણ, અગુરુલઘુ તથા ત્રસચતુષ્ક તેમાં પણ આતપ, ઉદ્યોત અને ઔદારિકદ્વિક તિર્યંચગતિ સાથે જ, વૈક્રિયદ્ધિક નરકગતિ સાથે જ અને શેષ પંદર પ્રવૃતિઓ બન્ને ગતિ સાથે બંધમાં આવી શકે છે. પ્રશ્ન-૧૫ અંતર્મુહુર્તથી ઓછો બંધકાળ જ ન હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ ? જવાબ-૧૫ ૪૭- ધ્રુવબંધી, ચાર આયુષ્ય અને જિનનામ કુલ બાવન, (૫૨). પ્રશ્ન-૧૬ જેનો જઘન્યથી એક સમય બંધ હોય તેવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ ? જવાબ-૧૬ ચાર આયુષ્ય અને જિનનામ સિવાય શેષ અઘુવબંધી અડસઠ (૬૮). પ્રશ્ન-૧૭ અધવબંધી હોવા છતાં જે જઘન્યથી પણ સતત અંતર્મુહર્ત બંઘાય જ એવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ? જવાબ-૧૭ ચાર આયુષ્ય અને જિનનામ. કુલ પાંચ. (૫) પ્રશ્ન-૧૮ ક્ષપક સુક્ષ્મસંપરાયને પણ જઘન્યથી જેનો દ્વિસ્થાનિક રસ બંધાય તેવી પ્રવૃતિઓ કઇ કઇ ? જવાબ-૧૮ કેવળજ્ઞાનાવરણ અને કેવળદર્શનાવરણ. પ્રશ્ન-૧૯ જે અંતર્મુહુર્તથી વધારે કાળ સતત ન જ બંધાય એવી પ્રવૃતિઓ કેટલી અને કઇ કઇ ? જવાબ-૧૯ પીસ્તાલીશ, તે આ-અશુભવિહાયોગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, અન્તિમ પાંચ સંઘયણને પાંચ સંસ્થાન. આહારકદ્રિક, નરકદ્રિક, આતપ, ઉદ્યોત, સ્થિર, શુભ, યશ, હાસ્ય, રતિ, શોક, અરતિ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અસાતાવેદનીય, સ્થાવરદશક અને ચાર આયુષ્ય. પ્રશ્ન-૨૦ કેટલી અને કઇ કઇ પ્રકૃતિઓ એવી છે કે જે સંપૂર્ણ ક્ષય થયા પછી ફરીથી બંધ અને સત્તામાં ન આવે ? જવાબ-૨૦ અનંતાનુબંધિ વિના ધ્રુવસત્તાવાળી એકસો છવીશ પ્રકૃતિઓ. પ્રશ્ન-૨૧ બંધનાદિ આઠ પ્રકારના કરણો બતાવ્યાં ત્યાં કરણ એટલે શું ? જવાબ-૨૧ બંધાદિ ૮ પ્રકારની ક્રિયાઓમાં હેતભૂત કષાય સહિત અથવા કષાય રહિત એવો જીવનો વીર્ય-વ્યપાર અર્થાતુ પ્રવૃત્તિરૂપ વીર્ય તે કરણ કહેવાય છે. તેમાં બંધન, ઉપશમના, ઉદ્વર્તના, નિદ્ધત્તિ અને નિકાચનામાં સકષાય જીવનું જ પ્રવૃત્તિવીર્ય કરણ છે. અને અપવર્તના, ઉદીરણા તેમજ સંક્રમમાં કષાય સહિત અને કષાય રહિત એમ બન્ને પ્રકારના જીવોનું પ્રવૃત્તિવીર્ય કરણ છે, કારણ કે ૧૧-૧૨ અને ૧૩મા ગુણસ્થાને કષાયનો અભાવ હોવા છતાં યથાસંભવ અપવર્તના, સંક્રમણ અને ઉદીરણા કરણ પ્રવર્તે છે. જો કે ઉપશાન્તાદિ ૩ ગુણસ્થાનકે સકષાય વીર્યથી સાતા વેદનીય બંધાય છે. પણ તેની વિવક્ષા નથી. પ્રશ્ન-૨૨ પ્રવૃત્તિવીર્ય એટલે શું ? જવાબ-રર વીયાંતરાયકર્મના ક્ષયોપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલ જે આત્માની શક્તિ તે લબ્ધિવીર્ય કહેવાય છે. તેમાંથી મન વચન અને કાયા દ્વારા થતો વીર્યનો વ્યાપાર અર્થાતુ આત્મપ્રદેશોનું આંદોલન=હલન-ચલન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy