SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ કર્મપ્રકૃતિ ( -: અથ બંધનકરણ – પ્રસ્નોત્તરી :-) પ્રશ્ન-૧ પ્રકૃતિ શબ્દનો શું અર્થ છે ? જવાબ-૧ અહીં ભાષ્યકારને અનુસારે “ભેદ' નવતત્ત્વમાં “સ્વભાવ' અને પંચસંગ્રહ બંધનકરણ ગા, ૪૦માં ‘સ્થિતિ આદિ ત્રણનો સમુદાય' એમ પ્રકૃતિ શબ્દના ત્રણ અર્થ છે. પ્રશ્ન-૨ નામકર્મની પ્રકૃતિઓની સંખ્યા કેટલી રીતે છે? તેમજ કઈ કઈ સંખ્યા ક્યાં ક્યાં ઉપયોગી છે? જવાબ-૨ નામકર્મની પ્રકૃતિઓની સંખ્યા ૪૨, ૬૭, ૯૩, અને ૧૦૩ એમ ચાર પ્રકારે જણાવેલ છે. તેમાં ૪૨ માત્ર મૂળ ભેદ અથવા દલિક વહેંચણીમાં ૬૭-બંધ-ઉદય-ઉદીરણામાં અને ૯૩ અથવા ૧૦૩ની સંખ્યા સત્તામાં ઉપયોગી છે. પ્રશ્ન-૩ એવી કઈ પ્રકૃતિઓ છે કે જે બંધ વિના પણ ઉદય-ઉદીરણા અને સત્તામાં હોય ? જવાબ-૩ સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીય. પ્રશ્ન-૪ જેની એક પણ ઉત્તરપ્રકૃતિ સર્વઘાતી નથી એવું કયું ધાતી કર્મ છે? જવાબ-૪ અંતરાય કર્મ. પ્રશ્ન-૫ એવું કયું કર્મ છે કે જે બંધાયા પછીના તરતના ભવમાં જ ઉદયમાં આવે પણ જે ભવમાં બાંધ્યું તે જ ભવમાં કે પછીના તરતના ભવને મુકીને પછીના ભાવોમાં ઉદયમાં ન જ આવે ? તેમજ જીવનના ૩ ભાગ પહેલાં ન જ બંધાય ? જવાબ-૫ આયુષ્ય કર્મ. પ્રશ્ન-૬ એક ભવમાં આયુષ્ય એક જ વાર બંધાય કે તેમાં કંઈ અપવાદ છે? જવાબ-૬ પ્રજ્ઞાપના સૂત્રમાં પોતાના આયુષ્યના બે ભાગ ગયા પછી જે આયુષ્યનો બંધ થયો તેનું તે આયુષ્ય તે ભવના બાકીના કાળમાં અનેકવાર બંધાય એમ બતાવી તેને આકર્ષે કહ્યા છે. પરંતુ કર્મગ્રંથાદિક ચાલુ ગ્રંથોમાં આખા ભવમાં આયુષ્ય એક જ વાર બંધાય એ હકીકત પ્રસિદ્ધ હોવાથી પમા પ્રશ્નના ઉત્તરમાં આયુષ્ય એક ભવમાં એક જ વાર બંધાય એમ બતાવેલ છે. પ્રશ્ન-૭ પોતપોતાના હેતુઓ વિદ્યમાન હોય ત્યાંસુધી જે પ્રકૃતિઓ અવશ્ય બંધાય તે ધ્રુવબંધી કહેલ છે. તો પંચસંગ્રહ ચોથાદ્વારમાં અનંતાનુબંધિ આદિ પાંત્રીસ પ્રવૃતિઓનો મુખ્યત્વે અવિરતિ બંધહેતુ કહી છે, અને થીણદ્વિત્રિક તથા અનંતાનુબંધિ પ્રવૃતિઓ ૪થે ધ્રુવબંધી ગણાવી છે. તેથી આ સાતે પ્રકૃતિઓનો ચોથા ગુણસ્થાનક સુધી બંધ હોવો જોઈએ. પરંતુ એઓનો બંધ બીજા ગુણસ્થાનક સુધી જ છે. તે જ પ્રમાણે નિદ્રા-પ્રચલા તથા નામકર્મની નવ ધ્રુવબંધી વગેરે પ્રકૃતિઓનો બંધહેતુ કષાય છે છતાં તે પ્રકૃતિઓ પણ કષાય છે ત્યાં સુધી બંધાતી નથી પરંતુ અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમાદિ ભાગ સુધી જ બંધાય છે તો આ બધી પ્રવૃતિઓ ધ્રુવબંધી કેમ કહેવાય ? જવાબ-૭ અનંતાનુબંધિ આદિ પાંત્રીસ પ્રકૃતિઓનો “અવિરતિ બંધહેતુ સામાન્યથી કહેલ છે, કેમકે બીજે ગુણસ્થાનકે બંધવિચ્છેદ થનાર અનંતાનુબંધિ આદિ પચીશ પ્રકૃતિઓનો કેવળ અવિરતિ બંધહેતું નથી પણ અનંતાનુબંધિ ઉદયવિશિષ્ટ અવિરતિ બંધહેતુ છે, અનંતાનુબંધિનો ઉદય બે ગુણસ્થાનક સુધી જ છે માટે થીણદ્વિત્રિકાદિ સાત પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાછતાં બે ગુણસ્થાનક સુધી જ બંધાય છે. પણ ચોથા ગુણસ્થાનક સુધી બંધાતી નથી. એ જ પ્રમાણે નિદ્રા-પ્રચલા આદિ પ્રકૃતિઓનો “કષાય' સામાન્યથી બંધહેતુ કહેલ છે, પરંતુ કેવળ કષાય બંધહેતુ નથી, “તે તે પ્રકૃતિ બંધ યોગ્ય અધ્યવસાય વિશિષ્ઠ તથા તથા પ્રકારનો કષાયોદય” તે તે પ્રકૃતિના બંધમાં હેતુ હોવાથી બંધવિચ્છેદ પછીના સ્થાનોમાં સામાન્ય કષાય હોવા છતાં તે તે પ્રકૃતિબંધ યોગ્ય અધ્યવસાય વિશિષ્ઠ તથા તથા પ્રકારનો કષાયોદય નહીં હોવાથી અપૂર્વકરણના બીજા આદિ ભાગોમાં તેમજ અનિવૃત્તિકરણ વગેરે ગુણસ્થાનકે નિદ્રા-પ્રચલાદિ ધ્રુવબંધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy