SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ બંધનકરણ - સારસંગ્રહ પ્રતિપક્ષ બન્ને પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન હોવા છતાં અમુક મર્યાદા સુધીની બન્ને પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરનારા જીવો એક ન હોય પણ ભિન્ન સ્વરૂપવાળા હોય તો તે અર્થાતુ સ્થિતિસ્થાનો આક્રાંત નથી પણ હોતા પણ શુદ્ધ હોય છે. જેમ નરકદ્ધિક અને તિર્યંચદ્વિકની ૨૦ કોટકસાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન હોવા છતાં સમયાધિક ૧૮ કોકો, સાગ, થી ૨૦ કોકો, સાગ, સુધીની નરકદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ મનુષ્ય-તિર્યંચો અને તિર્મયદ્વિકની દેવો તથા નારકો જ બાંધે છે. એ જ પ્રમાણે સમયાધિક ૧૮ કોકો સાગ, થી ૨૦ કોકો સાગ, સુધીની સ્થાવર નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ફક્ત ઈશાન સુધીના દેવો અને ત્રસ નામકર્મની ઈશાન સુધીના દેવો વર્જી શેષ ૪ ગતિના જીવો બાંધે છે, માટે તે પણ સઘળા સ્થિતિસ્થાનો શુદ્ધ હોય છે. સાતાવેદનીય વગેરે શુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ રસબંધના જે અધ્યવસાયો છે, તે સર્વે અને તેથી પણ તીવ્ર શક્તિવાળા થોડા નવા અધ્યવસાયો સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હોય છે. સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં જે અધ્યવસાયો હોય છે તે સર્વે અને તેથી પણ તીવ્ર શક્તિવાળા થોડા નવા વધારે અધ્યવસાયો બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હોય છે. બે સમયોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં જે અધ્યવસાયો છે તે સર્વે અને તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા નવા વધારે અધ્યવસાયો ત્રિસમોન ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં હોય છે. એ પ્રમાણે અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી સમાન સાતાવેદનીયનો જઘન્ય સ્થિતિબંધ આવે ત્યાં સુધી ઉપર ઉપરના સ્થિતિસ્થાનમાં જેટલાં જેટલાં અધ્યવસાયો હોય છે તે સર્વે અને તેનાથી વધારે તીવ્ર શક્તિવાળા થોડા નવા વધારે વધારે અધ્યવસાયો હોય છે. - અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની સમાન સાતવેદનયના જઘન્ય સ્થિતિબંધમાં જે રસબંધના અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ જેટલાં છોડી શેષ સર્વે અને છોડ્યા તેથી વધારે નવા અધ્યવસાયો સાતાના સમયોન જઘન્ય સ્થિતિબંધમાં હોય છે. સમયોન જઘન્ય સ્થિતિબંધમાં જે અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગ જેટલાં છોડી શેષ સર્વે અને છોડયા તેથી થોડા વધારે નવા સાતાના બે સમયોન જઘન્ય સ્થિતિબંધમાં હોય છે. એમ અસાતાના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સમાન સાતાના જઘન્ય સ્થિતિબંધસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ પ્રથમ કંડકના ચરમ સ્થિતિબંધમાં પૂર્ણ થાય છે. સમયોન જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડક પછીના નીચેના સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. એમ સાતાના જઘન્ય સ્થિતિબંધના છેલ્લા કંડકના પહેલા સ્થિતિસ્થાનની અનુકષ્ટિ તે જ કંડકના ચરમ સ્થિતિસ્થાન રૂ૫ જઘન્ય સ્થિતિબંધમાં પૂર્ણ થાય છે. શેષ સર્વે પરાવર્તમાન શુભપ્રકૃતિઓની અનુકૃષ્ટિ પણ આ જ પ્રમાણે હોય છે. * અસાતાવેદનીય વગેરે પરાવર્તમાન અશુભપ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધમાં જે રસબંધના અધ્યવસાયસ્થાનો છે તે સર્વે અને તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા વધારે નવા અધ્યવસાયો સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં હોય છે, અને સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં જે અધ્યવસાયો છે તે સર્વે તેમ જ તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા નવા બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં હોય છે. એમ સાતાવેદનીય વગેરે પ્રતિપક્ષ પ્રકૃતિઓના ૧૫ કોકો, સાગ, વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી આસાતાવેદનીય વગેરે પ્રકૃતિઓના પૂર્વ પૂર્વના નીચેના સ્થિતિસ્થાનમાં રસબંધના જે અધ્યવસાયો છે તે સર્વે અને તેનાથી તીવ્ર શક્તિવાળા થોડા વધારે નવા નવા અધ્યવસાયો ઉત્તરોત્તર ઉપર-ઉપરના સ્થિતિસ્થાનમાં હોય છે. સાતવેદનીય વગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ સમાન અસતાવેદનીય વગેરેના ૧૫ કોકો, સાગરોપમના સ્થિતિબંધસ્થાનમાં જે અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગના અધ્યવસાયો છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે તીવ્ર શક્તિવાળા અધ્યવસાયો સમયાધિક ૧૫ કોકો, સાગરોપમના સ્થિતિબંધસ્થાનમાં હોય છે. વળી એ સ્થિતિબંધસ્થાન માં જે અધ્યવસાયો છે, તેઓમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી-શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે નવા બે સમયાધિક ૧૫ કોકોસાગ0ના સ્થિતિબંધસ્થાનમાં હોય છે.અહીં જે અધ્યવસાયો છે તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગના છોડી શેષ સર્વે અને છોડેલ સંખ્યાથી થોડા વધારે નવા અધ્યવસાયો ત્રિસમયાધિક ૧૫ કોકોસાગ0ના સ્થિતિબંધસ્થાનમાં હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy