SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - સારસંગ્રહ ૨૨૭ ચારે આયુષ્યના જઘન્ય સ્થિતિબંધમાં ૨સબંધના અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ છે, અને સમયાધિક જઘન્ય સ્થિતિબંધમાં અસંખ્યાતગુણા છે, એમ પોત-પોતાના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધી પછી-પછીના સ્થિતિબંધસ્થાનમાં રસબંધના અધ્યવસાયો તથાસ્વભાવે અસંખ્યાતગુણા જ હોય છે, તેથી અહીં પરંપરોપનિધા સંભવતી નથી. ઇતિ સ્થિતિબંધના કારણભૂત અધ્યવસાયનું સ્વરૂપ સમાપ્ત -: અથ અધ્યવસાયોની અનુકૃષ્ટિ તીવ્રમંદતા : હવે રસની તીવ્ર-મંદતા સમજવા માટે પ્રથમ અનુભાગબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ બતાવે છે. અનુકૃષ્ટિ એટલે પહેલા-પહેલાના સ્થિતિસ્થાનોમાં રહેલ ૨સબંધના હેતુભૂત અધ્યવસાય સ્થાનોનું ઉપર-ઉપરના સ્થિતિસ્થાનોમાં ખેંચાવું, અર્થાત્ જવું. ત્યાં અમુક અમુક પ્રકૃતિઓની અનુકૃષ્ટિ એક સમાન હોવાથી પ્રકૃતિઓના ચાર વર્ગો પાડવામાં આવ્યા છે. તે આ પ્રમાણે...મતિજ્ઞાનાવરણીય વગેરે ૪૫ ધાતી, અશુભવર્ણાદિ-૯ અને ઉપધાત આ ૫૫ પ્રકૃતિઓનો અપરાવર્તમાન અશુભ વર્ગ છે. પરાધાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, ૫ શ૨ી૨, ૧૫ બંધન, ૫ સંધાતન, ૩ અંગોપાંગ, અગુરૂલ, નિર્માણ, શુભવર્ણાદિ-૧૧, અને જિનનામકર્મ, એ ૪૬ પ્રકૃતિઓનો અપરાવર્તમાન શુભ વર્ગ છે. સાતાવેદનીય, પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન, સ્થિરષટ્ક, શુભવિહાયોગતિ, મનુષ્યદ્ઘિક, દેવદ્વિક, પંચેન્દ્રિયજાતિ અને ઉચ્ચગોત્ર આ ૧૬ પ્રકૃતિઓનો પરાવર્તમાન શુભ વર્ગ છે. અસાતાવેદનીય, નરકક્િ, પ્રથમની ૪ જાતિ, અશુભવિહાયોગતિ, અન્ય ૫ સંઘયણ - ૫ સંસ્થાન અને સ્થાવર દશક આ ૨૮ પ્રકૃતિઓનો પરાવર્તમાન અશુભ વર્ગ છે. લગભગ બધી પ્રકૃતિઓની અભવ્ય જીવને ગ્રંથી દેશ પાસે જે જઘન્ય સ્થિતિબંધ થાય છે. ત્યાંથી શરૂ કરી પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી અનુકૃષ્ટિ બતાવવામાં આવી છે. તિર્યંચદ્ધિક અને નીચગોત્ર આ ત્રણ પ્રકૃતિઓની અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિથી નીચેના સ્થિતિસ્થાનોમાં પણ અનુકૃષ્ટિ વ્યવસ્થિત હોવાથી બતાવવામાં આવેલ છે, અને તેથી જ આ ત્રણ પ્રકૃતિઓ પરાવર્તમાન અશુભ વર્ગની હોવા છતાં તેમાં ન ગણતાં અલગ પાડી ભિન્ન રીતે અનુકૃષ્ટિ બતાવવામાં આવી છે. મતિજ્ઞાનાવરણીય વગેરે ૫૫ અપરાવર્તમાન અશુભપ્રકૃતિઓના અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં પછીના સ્થિતિસ્થાનોની અપેક્ષાએ ઓછા હોવા છતાં અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ રસબંધના અધ્યવસાયો હોય છે. તે અધ્યવસાયોમાંના શરૂઆતના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો બાદ કરી શેષ તે સર્વ અને બાદ કરેલ અધ્યવસાયોની સંખ્યાથી થોડા વધારે નવા અધ્યવસાયો સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનમાં હોય છે. પુન: તેમાંના શરૂઆતના અસંખ્યાતમા ભાગ જેટલાં અધ્યવસાયો છોડી શેષ સર્વ અને છોડયા તેનાથી કંઈક વિશેષ સંખ્યા પ્રમાણ નવા અનુભાગબંધના અધ્યવસાયો બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધસ્થાનમાં હોય છે. એ પ્રમાણે દરેક સ્થિતિસ્થાનમાં રહેલ રસબંધના અધ્યવસાયોમાંના શરૂઆતના એક એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધ્યવસાયો છોડી શેષ તે સર્વે અને છોડેલા અધ્યવસાયોથી થોડા વધારે નવા-નવા અધ્યવસાયો ઉપર ઉપરના સ્થિતિસ્થાનમાં જાય છે અને એમ થવાથી સર્વ જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાયો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક સ્થિતિબંધ સુધી જાય છે. અર્થાત પહોંચે છે. જે સ્થિતિબંધના અધ્યવસાયો જે સ્થિતિબંધ સુધી પહોંચે છે તેટલાં સ્થિતિસ્થાનોને એક કંડક કહેવામાં આવે છે અને તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. તેથી જ જઘન્ય સ્થિતિબંધના અધ્યવસાયોની અનુકૃષ્ટિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના ચરમ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. સમયાધિક જધન્ય સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડક ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનમાં, બે સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડક ઉપરના દ્વિતીય સ્થિતિસ્થાનમાં, ત્રણ સમયાધિક જઘન્ય સ્થિતિસ્થાનના અધ્યવસાયોની કંડક ઉપરના તૃતીય સ્થિતિસ્થાનમાં, એમ કોઈ પણ વિવક્ષિત સ્થિતિસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ તે સ્થિતિસ્થાનના કંડકના ચરમ સ્થાનમાં પૂર્ણ થાય છે. તેથી જ એ પ્રમાણે સર્વોત્કૃષ્ટ સ્થિતિબંધના અંતિમ કંડક પ્રમાણ સ્થિતિસ્થાનોમાં પ્રથમ સ્થિતિસ્થાનના અધ્યવસાયોની અનુકૃષ્ટિ કંડકના ચરમ સ્થિતિરૂપ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનમાં પૂર્ણ થાય છે. For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy