SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ કર્મપ્રકૃતિ (૩૧) તેથી તે જ અવિરતસમ્યગદષ્ટિ અપર્યાપ્ત નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (૩૨) તેથી તે જ અવિરતસમ્યગુદષ્ટિ પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (અહીં ૨૯ થી ૩૨ એ ચારમાં યુક્તિ પૂર્વની જેમ યથાસંભવ જાણી લેવી). અવિરતસમ્યગુદૃષ્ટિ પર્યાપ્તના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી (૩૩) સંક્ષિ-પંચેન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે.(૩૪) તેથી પણ તે જ, સંક્ષિ-પંચેન્દ્રિય અપર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (૩૫) તેથી પણ તે જ સંક્ષિ-પંચેન્દ્રિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (૩૬) તેથી પણ તે જ સંજ્ઞિ-પંચેન્દ્રિય પર્યાપ્તનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યયગુણ છે. (અહીં પણ યુક્તિ પૂર્વની જેમ યથાસંભવ જાણી લેવી) રિમંતરો ૩ ડિજોડી” ત્તિ સયતના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી શરૂ કરીને અપર્યાપ્ત સંજ્ઞિ પંચન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી (૨૬ થી ૩૫ સુધીના) સર્વપણ અત:કોડાકીડી સાગરોપમ જ જાણવાં. એકેન્દ્રિયના તો સર્વ જઘન્ય સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પૂર્વ હ્યા તે જ છે. સામાન્ય ઓઘથી ૭૦ કોડાકોડીસાગરોપમ આદિ જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યા તે સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તના જ જાણવાં. (યંત્ર નં. ૩૮ જુઓ). ઇતિ જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધના અભબહુત સહિત ૧લી સ્થિતિસ્થાન પ્રરૂપણા સમાપ્ત. -: અથ ૨જી નિષેક પ્રરૂપણા - मोत्तूण सगमवाहं, पढमाइ ठिईइ बहुतरं दबं । एतो विसेसहीणं, जावुक्कोसं ति सव्वेसि ॥८३॥ मुक्त्वा स्वकामबाधां, प्रथमायां स्थितौ बहुतरं द्रव्यम् । इत: विशेषहीनं, यावदुत्कृष्टमिति सर्वासाम् ।।८३॥ ગાથાર્થ :- સ્વપ્રયોગ અબાધાકાળ વર્જીને તુર્ત જ પ્રથમ સ્થિતિમાં ઘણા કર્મદલિકોને ગોઠવે અને દ્વિતીયાદિ સ્થિતિથી વાવતુ સર્વ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી વિશેષ હીન હીનતર કર્મદલિકોને ગોઠવે છે. ટીકાર્ય :- તે પ્રમાણે સ્થિતિસ્થાન પ્રરૂપણા કરી. હવે (૨) નિષેક પ્રરૂપણાનો પ્રસંગ હોવાથી તે કહે છે. - , ત્યાં બે અનુયોગ દ્વાર છે. અનંતરોપનિધા અને પરંપરોપનિધા ત્યાં પ્રથમ, (૧) અનંરોપનિધાને આશ્રયી કહે છે. સર્વ પણ કર્મને બંધાતા પોતપોતાના અબાધાકાલ મૂકીને (અર્થાતુ અબાધા પૂર્ણ છયે છતે) તેથી આગળ દલિયાઓને નાંખે છે. ત્યાં પ્રથમ સમય લક્ષણવાળી સ્થિતિમાં ઘણા કર્મદલિયાને (ઉદય સમયમાં) નાંખે. અહીં પ્રથમ સ્થિતિથી આગળ બીજી આદિ સમય સમયના પ્રમાણવાળી દરેક સ્થિતિઓમાં વિશેષહીન વિશેષહીન કર્મદલિયાઓને નાંખે છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી તે સમયે બંધાયેલ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો છેલ્લો સમય આવે. * એ પ્રમાણે અર્થ છે. અને આ અબાધા મૂકીને દલિકોને નાખવાની વિધિ આયુષ્ય સિવાયના ૭ કર્મની જાણવી. આયુષ્યની તો પ્રથમ સમયથી જ શરૂ કરીને દલિક રચના શરૂ કરે છે. પ્રથમ સમયે જ ઘણા દલિયાને નાંખે. બીજા આદિ સમયે તો યથાક્રમે વિશેષહીન યાવતુ છેલ્લા સમય સુધી નાંખે. એ પ્રમાણે પંચસંગ્રહના મતે જાણવું. पल्लासंखियभागं, गंतुं दुगुणूमेवमुक्कोसा । नाणंतराणि पल्लस्स मूलभागो असंखतमो ॥८४॥ पल्यासङ्ख्येयभागं, गत्वा द्विगुणोनमेवमुत्कृष्टम् । नानान्तराणि पल्यस्य मूलभागोऽसङ्ख्येयतमः ॥८४॥ ગાથાર્થ :- પલ્યોમનો અસંખ્યાતમો ભાગ વ્યતિકાન્ત થતાં યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી દ્વિગુણ દ્વિગુણ હાનિ થાય. એમાં દ્વિગુણહાનિયો અને અન્તરો પણ પલ્યોપમના વર્ગમૂળના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય. ૧૨૭ અસતુ કલ્પના એ ૨૫ સમય સ્થિતિ બંધવાળા કર્મના ૧૦૫૦ પરમાણુ બંધાય છે. તેથી ૫ સમય અબાધા વ્યતીત થતાં છઠ્ઠા સમયે ૧૦૦, ૭મે સમયે ૯૫, ૮મે સમયે ૯૦, ૯મે ૮૫, ૧૦મે ૮૦, ૧૧મે ૭૫, ૧૨મે ૭૦, ૧૩મે ૬૫, ૧૪મે ૬૦, ૧૫મે ૫૫, ૧૬મે ૫૦, ૧૭મે ૪૫, ૧૮મે ૪૦, ૧૯મે ૩૫, ૨૦મે ૩૦, ૨૧મે ૨૫, ૨૨મે ૨૦, ૨૩મે ૧૫, ૨૪મે ૧૦, ૨૫મા સમયે ૫ કર્મલિકોને ગોઠવે છે. જેથી તે રીતે તે ઉદયમાં આવી શકે. આ પ્રમાણે કર્મલિકોની ગોઠવણીને નિષેક રચના કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy