SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ કર્મપ્રકૃતિ “પત્નસંખ્તમદ'' ત્તિ પલ્યોપમનો અસંખ્યયભાગહીન (ઓછો) તે ઈતર એટલે જઘન્ય સ્થિતિબંધ થાય. પંચસંગ્રહમાં તો જે એકેન્દ્રિયની જઘન્યસ્થિતિને પલ્યોપમનો અસંખ્યયભાગ અધિક કરી ૨૫ આદિ વડે ગુણતાં બેઈ૦ આદિની ઉત્કૃષ્ટસ્થિતિ થાય. તથા એકેન્દ્રિયની જે જઘન્યસ્થિતિ છે તેને ૨૫ વડે ગુણતાં બેઈ૦ વગેરેની જઘન્યસ્થિતિ આવે એ પ્રમાણે કહ્યું છે. તત્ત્વ કેવલિગમ્ય.(યંત્ર નં૦૩૭ જુઓ) ઈતિ સર્વપ્રવૃત્તિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ - અબાધા સમાપ્ત ( - અથ જઘન્ય - ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું અલ્પબદુત્વ :-) હવે સર્વ પણ (પ્રકૃતિઓનો) જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિબંધનું અલ્પબહુત કહે છે. (૧) ત્યાં યતિનો જઘન્ય સ્થિતિબંધ મૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકે સર્વથી અલ્પ અંતર્મુહૂર્ત માત્ર છે માટે (અપ્રમત્ત ક્ષપકશ્રેણિવંત જીવ નવમાં ગુણસ્થાનકે મોહનીયની અને ૧૦ માં ગુણઠાણે જ્ઞાઅંત ની અંતર્મુહૂર્ત, વેદનીયની ૧૨ મુહુર્ત, તથા નામ-ગોત્રની ૮ મુહુર્તની જઘન્યસ્થિતિ બાંધે છે. તે બાદર પર્યાપ્ત એકેન્દ્રિયાદિકના જઘન્ય સ્થિતિબંધથી અતિ અલ્પ છે.) (૨) તેથી બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો જધન્ય સ્થિતિબંધ અસંખ્યાતગુણ છે. (કારણકે બાદર એકેન્દ્રિયો કર્મની દેશોન 1 - 3 સાગરો, ઈત્યાદિ જઘન્યસ્થિતિ બાંધે છે. અને અંતર્મુહૂર્તથી 3 આદિ સાગરો, અસંખ્યગુણ છે.) (૩) તેથી સૂક્ષ્મ પર્યાપ્ત એકેજિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણ કે બાદર પર્યાપ્ત એકેડની વિશુદ્ધિથી સૂક્ષ્મ પર્યાપ્ત એકેડની વિશુદ્ધિ અલ્પ હોવાથી સૂપ એકે, નો જઘન્ય સ્થિતિબંધ પણ બા,૫ એકે, ના જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક (દ્વિગુણથી) ન્યૂન હોય છે.) (૪) તેથી પણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. (કારણકે સુક્ષ્મ પર્યાપ્ત કરતાં બાદર અપર્યાપ્તની વિશુદ્ધિ અલ્પ હોય છે.) (૫) તેથી પણ અપર્યાપ્ત સુક્ષ્મ એકેજિયનો જઘન્ય સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. (કારણકે બા અપથી સૂક્ષ્મ અપની વિશુદ્ધિ અલ્પ હોય છે.) (૬) તેથી પણ અપર્યાપ્ત સુક્ષ્મ એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. (કારણકે જધન્ય સ્થિતિબંધ કરતાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં પલ્યોપમના અસંખ્યાત ભાગનો વધારો છે) (૭) તેનાથી પણ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે.(કારણકે બા, અપ, એકે, નો સંકુલેશ સૂક્ષ્મ અપર્યાપ્તના સંકલેશથી અધીક હોય છે.) (૮) તેનાથી પણ સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે. (કારણકે સૂઇ પર્યાપ્તાનો સંકલેશ બાઝઅપ થી વિશેષ હોય છે.) (૯) તેનાથી પણ બાદર પર્યાપ્ત એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક હોય છે.(કારણકે બાદર પર્યાપ્તાનો સંકુલેશ સુ-પર્યાના સંક્લેશથી અધિક હોય છે.) (૧૦) તેનાથી બેઇન્દ્રિય પર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ છે. (કારણકે જે પ્રકૃતિ સંબંધી બા, પર્યા. નો ઉ0 સ્થિતિબંધ પલ્યો, અસં, ભાગ ન્યૂન ૧ સાગરો હોય છે તો તે પ્રકૃતિ સંબંધી બેઇપર્યા, નો જધન્ય સ્થિતિબંધ પલ્યોપમનો સંખ્યયભાગ ન્યૂન ૨૫ સાગરો હોય છે, જેથી દેશોન ૨૫ ગુણો સ્થિતિબંધ તે સંખ્યાતગુણ કહેવાય.) (૧૧) તેનાથી તેજ બેઇન્દ્રિય અપર્યાપ્તનો જધન્ય સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે અપર્યા, બેઇટ ની વિશુદ્ધિ પર્યાપ્ત બેઇડ થી અલ્પ છે. તેથી સ્થિતિ વધારે બંધાય અને બેઇડ નો સર્વ સ્થિતિબંધ પલ્યોપમના સંખ્યાતમાભાગ જેટલાં સ્થાનમાંથી હોય છે.) (૧૨) તેનાથી બેડકિય અપર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે જ, સ્થિ, બંધ કરતાં ઉસ્થિ, બંધમાં પલ્યો સં.ભાગ જ વધે છે) (૧૩) તેનાથી બેઇન્દ્રિય પર્યાપ્તનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વિશેષાધિક છે. (કારણકે અપર્યાપ્તથી પર્યાપ્તનો સંકુલેશ અધિક હોય છે. તેથી પૂર્વના સ્થિ, બંધ કરતાં પલ્યો, સં. ભાગ વધે આ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ તે એકે ના ૧ સાગરો, આદિ તે સ્થાને ૨૫ સાગરો, આદિ જેટલો એકે થી ૨૫ ગુણો જાણવો.) ૧૨૬ સામાન્યથી સંકુલેશ કે વિશુદ્ધિનો આધાર યોગ ઉપર છે. જેને યોગ વધારે હોય તેને તેના લાયક સારામાં સારા કે ખરાબમાં ખરાબ પરિણામ થઈ શકે છે. એકેન્દ્રિયમાં બાદર પર્યાપ્ત એકેન્દ્રિયને બીજા એકેન્દ્રિયથી યોગ વધારે હોવાથી તેને જ યોગ્ય સારા કે ખરાબ પરિણામ થાય છે, તેથી એકેન્દ્રિય લાયક જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ તેને જ થાય છે. તેનાથી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય ઓછો સંકલેશ અને ઓછી વિશુદ્ધિ હોય છે, તેથી તે બાદર પર્યાપ્ત જેટલી જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી શકતો નથી. પરંતુ જઘન્ય કરતાં વધારે બાંધે છે અને ઉત્કૃષ્ટ કરતાં ઓછી બાંધે છે. ઘખલા તરીકે બાદર પર્યાપ્ત ઉત્કૃષ્ટ ૧૧૦ વર્ષ અને જધન્ય ૪૦ વર્ષની સ્થિતિબંધ કરતો હોય તો સુક્ષ્મ પર્યાપ્ત ઉત્કૃષ્ટ ૮૦ અને જઘન્ય ૭૦ વર્ષનો કરે છે. એ જે ક્રમે બાદર અપર્યાપ્ત અને સૂક્ષ્મ અપર્યાપ્ત માટે પણ સમજવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy