SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ સુનિકાચિત આહારકદ્વિકની તો ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યેયભાગ છે. ૧૨૫. અલ્પનિકાચિત એવા તીર્થંકર અને આહારકદ્વિકની અંતઃકોડાકોડી સાગરોપમનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. એ પ્રમાણે પંચસંગ્રહમાં વિવેચન કર્યું અને અહીં પણ અંતર્મુહુર્ત્ત અખાધા છે, અને કૃષ્ટ સ્થિતિમાં પણ આનો તેટલો જ અબાધાકાલ કહ્યો. પછી આગળ લિક રચનાના સદ્ભાવથી અવશ્ય પ્રદેશના ઉદયનો સંભવ થાય છે. કેટલાક તો તીર્થંકરનામકર્મ અંતમુહૂર્તથી આગળ કંઈક પ્રદેશથી ઉદય થાય છે, અને તેના ઉદયે આશા-ઐશ્વર્ય આદિ હિ બીજા જીવોથી વિશેષ વિશેષતર હોય તેને સંભવે છે. એ પ્રમાણે સંભાવના કરે છે. અને અહીં તીર્થંકરનામકર્મની જધન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ અને આહારકઢિકની અંતર્મુહૂર્ત પ્રમાણે પંચસંગ્રહમાં પ્રતિપાદન કરી છે. અને તે કર્મપ્રકૃતિના અભિપ્રાયથી ઉત્તીર્ણ (જુદી) હોવાથી બીજા આચાર્ય ભગવંતનો માંતર છે એ પ્રમાણે જાણવું. बग्गुक्कोसठिईणं, मिच्छत्तुक्कोसगेण जं लद्धं । सेसाणं तु जहन्नो, पल्लासंखेज्जगेणूणो ।। ७९ ।। || ॥ ૧૭૦ वर्गोत्कृष्टस्थितीनां मिथ्यात्वोत्कृष्टकैन यल्लब्धं । " શેષાનાં તુ નધન્ય:, વાસંધ્યેયનોનઃ ।। ૭૧ ।। ગાથાર્થ :- સ્વ વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે ભાગ આપતાં જે પાપ્ત થાય તેમાંથી પલ્યોપમનો અસંખ્યાતમનો ભાગ હીન કરતાં જે સ્થિતિ એ તેટલો શેષ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ જાણો.. ટીકાર્ય :- પૂર્વ કહેલ સિવાયની બાકીની પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ પરૂપણા કરે છે. અહીં જ્ઞાનાવરણીય પ્રકૃતિનો સમુદાય તે જ્ઞાનાવરણીયવર્ગ, દર્શનમોહનીય પ્રકૃતિનો સમુદાય તે દર્શનમોહનીયવર્ગ, કષાયોહનીય પ્રકૃતિનો સમુદાય તે કાયમોહનીયવર્ગ, નોકષાયોહનીય પ્રકૃતિનો સમુદાય તે નોકષાયમોહનીયવર્ગ, નામ પ્રકૃતિનો સમુદાય તે નામવર્ગ, ગોત્ર પ્રકૃતિનો સમુદાય તે ગોત્રવર્ગ, અંતરાય પ્રકૃતિનો સમુદાય તે અંતરાયવર્ગ. આ વર્ગોને જે પોતાપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ આદિનો તેની મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ સાથે ભાગે છને જે પ્રાપ્ત થાય, તેના પોપમના અસંખ્યયભાગ ન્યુન તે પ્રમાણે કહેલ બાકીની પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ થાય. તે આ પ્રમાણે કહે છે-દર્શનાવરણીય, વેદનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડીસાગરોપમ પ્રમાણ, તેને મિથ્યાત્વની સ્થિતિ ૭૦ કોડાકોડીસાગરોપમ સાથે ભાગે છતે શૂન્ય શૂન્ય વડે નાશ પમાડવું (ઉડાડી દેવું) એ વચનથી - સાગરોપમમાં તેનો પલ્યોપમનો અસંયભાગહીન નિદ્રાપંચક-અસાતાવેદનીય ૩ ૧૨૫ આયુ શેષ હોય અને ગાઢ નિકાચિત કરે ત્યાંથી આરંભી જ્યાં ઉત્પન્ન થાય ત્યાં જેટલું આયુ હોય અને તીર્થંકરના ભવમાં જેટલું આસુ હોય તેટલી તીર્થંકર નામકર્મની સ્થિતિ ગાઢ નિકાચિત થાય એમ સમજવું. આ રીતે બંનેની સ્થિતિ અનિકાચિત, અલ્પનિકાચિત અને ગાઢનિકાચિત એમ ત્રણ પ્રકારે છે.. બંનેની અનિકાચિત ઉત્કૃષ્ટ સ્થિતિ અંત:કોડાકોડી સાગરોપમ, અને અલ્પનિકાચિત અંતઃકોડાકોડીનો સંખ્યાતામો ભાગ જ થાય છે. તથા ગાઢનિકાચિત ઉપર કહ્યા પ્રમાણે ૩૩ સાગરોપમાદિ છે. અનિકાચિત એ એવી સ્થિતિ છે કે જો તેને નિકાચિતરૂપમાં પરિણામ ન પામે તો વધે, ઘટે અને કદાચિત્ સત્તામાંથી નીકળી પણ જાય. નિકાચિત ત્રીજે ભવે જ થાય છે. તે પણ અંતઃકોડાકોડીનો સંખ્યાતમો ભાગ જ થાય અને ગાઢનિકાચિત તો જે ભવમાં નિકાચિત કરે છે તે ભવનું જેટલું આયુ શેષ હોય ત્યાંથી વૈમાનિક દેવોમાં કે ત્રીજી નરક સુધી જાય ત્યાં જેટલું આયુ હોય અને ત્યાંથી આવી મનુષ્ય થાય ત્યાં જેટલાં આયુએ ઉત્પન્ન થાય તેટલી થાય છે. ઉપર ગાઢનિકાચિત સ્થિતિનું ઉત્કૃષ્ટ પ્રમાણ બતાવ્યું છે. કારણકે ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ વરસના આયુવાળા મનુષ્ય જ જિનનામ બાંધે છે. ત્યાંથી અનુત્તર વિમાનવાસી દેવ થાય અને ત્યાંથી આવી (ચોરાશી લાખ પૂર્વના આયુવાળા) તીર્થંકર થાય. તીર્થંકરનું ઉત્કૃષ્ટ તેટલું જ આયુ હોય છે. એટલે કંઈક ન્યૂન બે પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ ગાઢનિકાચિતનું ઉત્કૃષ્ટ પ્રમાણ થાય છે. અલ્પનિકાચિત અને ગાઢનિકાચિતમાં એમ બે તફાવત છે કે અલ્પનિકાચિત કરણ સાધ્ય છે અને ગાઢ નિકાચિત કરણ અસાધ્ય છે. અલ્પનિકાચિત સ્થિતિની અપવર્ત્તના થઈ ઓછી થશે અને ગાઢનિકાચિત જેટલી જ સ્થિતિ થઈ હશે તેટલી બરાબર ભોગવશે. જો કે ૨સોદયે તો જે ભવમાં તીર્થંકર થવાના છે તે ભવમાં જેટલું આયુ બાકી હોય અને કેવળજ્ઞાન થાય તેટલી જ અનુભવે શેષ સઘળી સ્થિતિને પ્રદેશોદયે અનુભવે છે. પ્રદેશોદય અનુભવાતી પ્રકૃતિનું ફળ બીજા જીવોની અપેક્ષાએ માન-મહત્ત્વ પૂજા-સત્કાર વધારે હોય છે. અષ્ટમહાપ્રાતિહાર્યાદિ ફળ તો રસોદય થાય ત્યારે જ પ્રાપ્ત થાય છે. ગમે તેવી તીવ્ર રસવાળી પ્રકૃતિ પણ જ્યાં સુધી સ્વ સ્વરૂપે નથી અનુભવાતી ત્યાં સુધી તે યથાર્થરૂપે કાર્ય કરતી નથી જ્યારે સ્વ સ્વરૂપે અનુભવાય છે ત્યારે સંપૂર્ણપણે પોતાની શક્તિનો અનુભવ કરાવે છે. આહારકક્રિકની પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ગાઢનિકાચિત થાય છે. તેની સ્થિતિ ત્રીજે ભવે નિકાચિત થાય છે. એ કંઈ નિયમ નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy