SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ કર્મપ્રકૃતિ થાય ૧૧૯છે. આ પૂર્વકોડીના આયુષ્યવાળા ચારેગતિમાં ગમન યોગ્યની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક તિર્યંચ મનુષ્યો જાણવાં તેને જ આશ્રયીને જે પ્રમાણે કહ્યો તે પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ અને ઉત્કૃષ્ટ અબાધાકાળ પ્રાપ્ત થાય છે. आउचउक्कुक्कोसो, पल्लासंखेज्जभागममणेसुं । સેસાળ પુજોડી, સાતિમાનો ગવાહા સિં ।। ૭૪ ॥ आयुश्चतुष्कोत्कृष्टः, पल्यासङ्ख्येयभागोऽमनस्सु । શેષાનાં પૂર્વòોટિ:, સ્વાધુસ્લિમાનોવાધેષામ્ ।। ૭૪ || ગાથાર્થ :- અસંક્ષિપંચેન્દ્રિય જીવો ચારે આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ બાંધે છે, અને શેષ ૬ જીવોની પરભવ આયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વ સ્વ ભવ સંબંધી ત્રીજા ભાગે અધિક પૂર્વક્રોડ વર્ષનો હોય છે. ટીકાર્થ :- હવે અસંશિ પંચેન્દ્રિય આદિના બંધકોને આશ્રયીને આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. - ગમનસ્વેપુ - અસંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્તને વિષે આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિબંધકને વિષે ચાર આયુષ્યની પરભવ સંબંધીની ઉત્કૃષ્ટસ્થિતિ પલ્યોપમનો અસંખ્યેયભાગ માત્ર પૂર્વક્રોડનો ત્રીજોભાગ અધિક છે. અને પૂર્વક્રોડનો ત્રીજો ભાગ અબાધાકાળ છે, અબાધાકાલ પૂર્ણ થયે કર્મદલિક નિષેક થાય છે. અને બાકીની એકેન્દ્રિય સૂબા, બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્તનો ૫ × ૨ = ૧૦ અને અસંક્ષિપંચેન્દ્રિય સંક્ષિપંચેન્દ્રિય અપર્યાપ્તાની ૧૦ +૨ =૧૨નો ઉત્કૃષ્ટ આયુષ્યના સ્થિતિબંધકનો પરભવ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વક્રોડી પોત-પોતાના ભવના ત્રીજો ભાગ અધિક જાણવો. કારણકે તેઓ ઉત્કૃષ્ટથી પણ પૂર્વક્રોડી આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચને વિષે ઉત્પન્ન થતા હોવાથી સિં’' તિ તેઓનો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ અર્થાત્ સ્વ સ્વ ભવના ત્રીજો ભાગ અબાધાકાલ છે, અને અબાધાકાલ રહિત કર્મદલિક નિષેક થાય છે. वाससहस्समबाहा, कोडाकोडीदसगस्स सेसाणं । अणुवाओ अणुवट्टण - गाउसु छम्मासिगुक्कोसो ।। ७५ ।। वर्षसहस्त्रमबाधा, कोटाकोटीदशकस्य शेषाणाम् । अनुपातोऽनपर्वतनीयायुकेषु षण्मासिक्युत्कृष्टः ।। ७५ ।। ગાથાર્થ ઃ ૧૦ કોડાકોડીસાગરોપમની ૧૦૦૦ વર્ષ અબાધા હોય છે. એ અનુસારે શેષ સ્થિતિઓનો અબાધાકાળ જાણવો. અને અનપવર્તનીય આયુષ્યવંત જીવોમાં આયુની અબાધા ઉત્કૃષ્ટથી છ માસ જેટલી જાણવી. ટીકાર્થ :- હમણાં આયુષ્ય સિવાય સર્વ કર્મોની ઉત્કૃષ્ટ અબાધા પ્રતિપાદન કરતાં કહે છે. ૧૦ કોડાકોડીસાગરોપમ માત્રની સ્થિતિ ૧૦૦૦ વર્ષ અબાધા. શેષાળાં - બાકીની ૧૨ - ૧૪ - ૧૫ - ૧૬ - ૧૮ - ૨૦ - ૩૦- ૪૦ - ૭૦ કોકોસાગ પ્રમાણ સ્થિતિઓનો અબાધાકાળ અનુપાત અનુસરવો. જ્યારે ૧૦ કો કો સાગરોપમની અબાધા ૧૦૦૦ વર્ષ હોય ત્યારે ૧૨ કો કો૦ સાગ૰ ની ૧૨૦૦ વર્ષ અબાધા ૧૪ કોકોસાગ ની ૧૪૦૦ વર્ષ એ પ્રમાણે સર્વ ઠેકાણે ત્રરાશિક તે રીતે ગણતરી કરવી. એ પ્રમાણે અર્થ છે. ૧૨૦ Jain Education International ૧૧૯ આયુષ્યમાં વર્તમાન ભવનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલાં પૂર્વભવ સંબંધીના આયુષ્યનો અબાધાકાળ કહેવાય છે. માટે ચારે આયુષ્યના બંધક પૂર્વકોટી વર્ષના આયુષ્યવાળા કહ્યા છે. કારણકે તેમને ઉત્કૃષ્ટ અબાધાકાળ પૂર્વક્રોડ વર્ષ `/૩ ભાગ જેટલો પ્રાપ્ત થઇ શકે છે. બીજા કોઇને ઉત્કૃષ્ટ અબાધાકાળ પ્રાપ્ત થઇ શકતો નથી. તેથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ અબાધા સહિતનો તેમને જ પ્રાપ્ત થાય છે. બીજાઓને અબાધારહિત-૪ આયુષ્યનો ઉ સ્થિતિબંધ પર્યાપ્ત પંચે તિર્યંચ સંશિ અને મનુષ્યને થઇ શકે દેવ નારકોને તેમજ એકેન્દ્રિયાદિ શેષ જીવોને પણ અબાધા રહિત પણ તિર્થગાયુ મનુષ્યાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થઇ શકતો નથી. કારણકે પૂર્વક્રોડ વર્ષથી અધિક આયુષ્ય બંધાતુ નથી. અને અસંજ્ઞિ પંચેન્દ્રિયને ૪ આયુષ્યનો પલ્યોપમનો અસંખ્યેયભાગથી વધારે બંધાતુ નથી. ઉત્કૃષ્ટ અબાધા પૂર્વક્રોડ ‘/૩ વર્ષ પ્રાપ્ત થતું હોવા છતાં ૪ આયુષ્યનો પલ્યોપમના અસંખ્યેય ભાગથી વધારે ન બંધાતુ હોવાથી તે જીવોને છોડી દીધા છે. ૧૦૦ વર્ષના અબાધાનો નિયમ આયુષ્ય વિના ૭ કર્મો માટે છે, અને તે એ છે કે જેટલાં કોડાકોડી વર્ષનો સ્થિતિબંધ તેટલાં ૧૦૦ વર્ષનો અબાધાકાળ થાય છે. = ૧૨૦ ૧૦ કોડાકોડીએ ૧૦૦૦ અબાધા તો ૧૨ કોડાકોડીએ કેટલી ? ૧૦૦૦ × ૧૨ =એકેક શૂન્યની ઉપ૨ નીચે અપવર્તના કરતાં ૧૨૦૦ વર્ષ અબાધા. આ બૈરાશિક ગણિત વર્તમાન પદ્ધતિનું છે. ૧૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy