SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર કર્મપ્રકૃતિ ગોત્રકર્મનો અનુકષ્ટ અને અજઘન્ય બંને ૪ પ્રકારે છે. તે આ પ્રમાણે..... ગોત્રનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ સૂક્ષ્મસંપાયના અંત્ય સમયે શપકને હોય, અને તે ૧ સમયમાત્ર હોય છે માટે સાદિ-અધ્રુવ. એ સિવાય બીજા આદિ સમયથી સર્વ પણ અનુત્કૃષ્ટ, અને તે ઉપશાંતમોહે (બંધ) ન હોય. ત્યાંથી પતિતને આશ્રયીને સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય-ભવ્ય અપેક્ષાએ હોય છે. તથા ગોત્રકર્મનો જઘન્ય અનુભાગબંધ ૭મી નારકીનો જીવ ઔપથમિક સમ્યકત્વ પામતી વખતે અંતરકરણ કરીને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિને અનુભવતો અને ક્ષય કરતો અન્ય સમયે વર્તતો નીચગોત્રને આશ્રયીને (જઘન્ય બંધ) કરે, અને તે ૧ સમય છે, માટે સાદિ-અધ્રુવ ત્યાર પછીના બીજા સમયથી માંડીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ ન થાય ત્યાં સુધીનો બધો અજઘન્ય અને તે પથમિક સમ્યક્ત્વના પ્રાપ્તિ સમયે ઉચ્ચગોત્રને આશ્રયીને વર્તતાં સાદિ, તે સ્થાન (પથમિક સભ્ય) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ સમજવું. આ સાતે કર્મના બાકીના વિકલ્પો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે.. વેદનીય અને નામકર્મનો ઉત્કૃષ્ટ અનુભાગ સાદિ-અધ્રુવ પહેલા કહ્યો. જ્યારે પરાવર્તમાન મધ્યમ પરિણામે મિથ્યાદૃષ્ટિ અથવા સમ્યગુદૃષ્ટિ આ બંને (વનામ) નો જઘન્ય અનુભાગબંધ થાય છે. સંફિલષ્ટ અથવા વિશુદ્ધ પરિણામ થાય ત્યારે અજઘન્ય થાય છે. આ પ્રમાણે તે બંને પણ જઘન્ય-અજઘન્ય મિથ્યાષ્ટિ કે સમ્યગુદૃષ્ટિને ક્રમપૂર્વક થતાં હોવાથી સાદિ-અધ્રુવ છે. ઘાતકર્મનો જઘન્ય અનુભાગબંધ સાદિ-અધૂવરૂપે પૂર્વે કહ્યો. ઉત્કૃષ્ટ-અનુત્કૃષ્ટ ક્રમથી મિથ્યાદૃષ્ટિ પામે. સર્વ સંક્લિષ્ટ હોય ત્યારે ઉત્કૃષ્ટ અને મધ્યમ પરિણામે અનુત્કૃષ્ટ એ પ્રમાણે સાદિ-અધ્રુવ છે. ગોત્રનો જઘન્ય - ઉત્કૃષ્ટ - સાદિ-અધ્રુવ પહેલાની જેમ સમજવો. આયુષ્ય અધુવબંધિ હોવાથી તેના ચારે પણ વિકલ્પો સાદિ-અધ્રુવ સુપ્રસિદ્ધ છે. (યંત્ર નં-૩૧ જુઓ). ઉત્તરપ્રકૃતિઓને વિષે શુભધ્રુવબંધિની તૈજસ - કામણ, પ્રશસ્તવર્ણ-ગંધ-રસ-સ્પર્શ-અગુસ્લઘુ, નિર્માણરૂ૫ ૮ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગબંધ ચાર પ્રકારે તે આ પ્રમાણે કહે છે. આ ૮ પ્રકૃતિઓનો ક્ષપકને યોગ્ય અપૂર્વકરણે ૩૦ પ્રકૃતિના બંધવિચ્છેદ સમયે સમયમાત્ર ઉત્કૃષ્ટ અનુભાગબંધ પામે છે. અને તે એક સમયપણું હોવાથી સાદિ-અધ્રુવ છે. પછી બીજે સર્વે પણ અનુત્કૃષ્ટ છે. અને તે ઉપશમશ્રેણિમાં બંધવિચ્છેદથી આગળ (બંધ) ન હોય, અને ત્યાંથી પડેલાને ફરી પણ બંધ હોય છે માટે સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ પૂર્વની જેમ. ( મૂલપ્રકૃતિઓના જઘન્યાદિ ૪ અનુભાગબંધ વિષે સાદ્યાદિ ભાંગા પ્રદર્શક યંત્ર નં ૩૧ ) ક્રમો મૂલપ્રકૃતિનું નામ જઘન્ય અનુભાગ અજઘન્ય અનુભાગ ઉત્કૃષ્ટ અનુભાગ અનુત્કૃષ્ટ અનુભાગ ભાંગા| (૧૦ જ્ઞાનાવરણીય | સાદિ-અધ્રુવ | સાદિ,અનાદિ, ધ્રુવ, અધ્રુવ | સાદિ –અધ્રુવ | સાદિ –અધ્રુવ દર્શનાવરણીય સાદિ –અધ્રુવ ૩ | વેદનીય સાદિ-અધ્રુવ " " | સાદિ અનાદિ, ધ્રુવ, અધ્રુવ ૪ | મોહનીય સાદિ,અનાદિ, ધ્રુવ, અધ્રુવ સાદિ –અધ્રુવ ૫ | આયુષ્ય સાદિ-અધ્રુવ ૬ | નામ સાદિ અનાદિ, ધ્રુવ, અધુવ| ૧૦ ૭] ગોત્ર » » * * | ૧૨ સાદિ,અનાદિ, ધ્રુવ, અધ્રુવ " | " " " " ૮ | અંતરાય " " " | સાદિ –અધવ કુલ ભાંગા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy