SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ -: અથ ત્રસચતુષ્કની તીવ્રમંદતા : ૧૦૭. યંત્ર નં. - ૩૦ :- હવે ત્રસનામને કહે છે. ત્રસનામની સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૯)થી શરૂ કરીને નીચે નીચે કંડકમાત્રની સ્થિતિઓને વિષે પશ્ચાનુપૂર્વીથી જઘન્ય અનુભાગ અનંતગુણ (૯૦) સુધી કહેવો. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૯)માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડકથી નીચે પ્રથમ સ્થિતિમાં (૮૯) જધન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં એક સમય ઓછી તેમાં (૯૮) નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડકની નીચેની બીજી સ્થિતિમાં (૮૮) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં બે સમય ઓછીમાં (૯૭) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી ૧૮ કોડાકોડી સાગરોપમની ઉપરની છેલ્લી સ્થિતિ (૭૦) આવે. તેથી ૧૮ કોડાકોડી સાગરોપમ સંબંધી (નીચેની) ઉત્કૃષ્ટ સ્થિતિ (૬૯) માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. ઉત્કૃષ્ટ સ્થિતિમા એક સમય ઓછી તેમાં (૬૮) તેટલાં જ પ્રમાણે, બે સમય ઓછી (૬૭) તેમાં તેટલો જ હોય છે. એ પ્રમાણે નીચે નીચે ઊતરીને તેટલો જ અનુભાગ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જધન્ય સ્થિતિ (૫૦) આવે. તેથી નીચેની પ્રથમ સ્થિતિ (૪૯) માં જધન્ય અનુભાગ અનંતગુણ, તેથી નીચે બીજી સ્થિતિ (૪૮)માં જઘન્ય અનુભાગ અનંતગુણ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કંડકના અસંખ્યાતભાગ (૪૩ સુધી) જાય. એક ભાગ (૪૨ - ૪૧ - ૪૦) બાકી રહે. તેથી ૧૮ કોડાકોડી સાગરોપમની ઉપર જે કહેવાની બાકી હતી તે કંડકની અંત્ય (૭૯ થી ૭૦) કંડકમાત્રની સ્થિતિઓની સ્થિતિમાં (૭૯) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી દ્વિચરમસ્થિતિ (૭૮) માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ, તેથી ત્રિચરમ સ્થિતિ (૭૭)માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ, એ પ્રમાણે નીચે નીચે ઊતરીને ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કંડંક (૭૦) સુધી અતિક્રાન્ત (પસાર) થઈ જાય. પછી જે સ્થિતિસ્થાને (૪૩) જઘન્ય અનુભાગ મૂકીને અટકેલાં તેની નીચેના સ્થિતિસ્થાન (૪૨)માં જધન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી ૧૮ કોડાકોડી સાગરોપમ સંબંધીની છેલ્લી સ્થિતિ ૭૦થી શરૂ કરીને નીચે નીચે કંડકમાત્રની સ્થિતિઓનો (૬૯ થી ૬૦) ઉત્કૃષ્ટ અનુભાગ ક્રમથી અનંતગુણ અનંતગુણ કહેવો. તેથી પહેલાં કહેલ (૪૨)ની જધન્ય અનુભાગથી નીચેના સ્થિતિસ્થાનમાં (૪૧) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી પહેલાં કહેલ (૬૯ થી ૬૦) કંડકની નીચેના કંડકમાત્ર (૫૯ થી ૫૦) ની સ્થિતિઓનો નીચે નીચે ક્રમથી ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. એ પ્રમાણે એકનો જધન્ય અનુભાગ અને કંડકમાત્રની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેતાં ત્યાં સુધી જવું કે જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જધન્ય અનુભાગબંધ વિષયની જઘન્ય સ્થિતિ (૫૦) આવે. પછી જે સ્થિતિસ્થાનથી (૪૧) જઘન્ય અનુભાગ મૂકીને અટકેલાં તેની નીચેની સ્થિતિસ્થાન (૪૦) માં જધન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધ વિષયની જઘન્ય સ્થિતિ (૫૦) ની નીચે પ્રથમ સ્થિતિ (૪૯)નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક એક સ્થિતિનો જઘન્ય અનુભાગ એક એક સ્થિતિનો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ નીચે નીચે કહેતાં ત્યાં સુધી ઊતરવું જ્યાં સુધી જધન્ય સ્થિતિ (૩૦) આવે. અને કંડકમાત્ર સ્થિતિનો (૩૯ થી ૩૦) ઉત્કૃષ્ટ અનુભાગ કહેવાનો બાકી રહ્યો તેનો નીચે નીચે ક્રમથી અનંતગુણ કહેવો. એ પ્રમાણે બાદર- પર્યાપ્ત - પ્રત્યેક નામની તીવ્રમંદતા કહેવી. તે પ્રમાણે તીવ્રમંદતા કહી. (પરિશિષ્ટ-૨માં ચિત્ર નં૦૯ જુઓ) ઇતિ ત્રસચતુષ્કની તીવ્રમંદતા સમાપ્ત ઇતિ અનુભાગ અધ્યવસાયની તીવ્રમંદતા સમાપ્ત -: અર્થ અનુભાગબંધ વિષે સાદ્યાદિ પ્રરૂપણા ઃ Jain Education International ૧૪૭ હવે અનુભાગબંધમાં સાદિ અનાદિ પ્રરૂપણા અને સ્વામિત્વ પ્રરૂપણા કરાય છે. ત્યાં મૂલપ્રકૃતિના વિષયમાં ... નામકર્મ અને વેદનીયકર્મની અનુત્કૃષ્ટ અને ઘાતિકર્મ ચાર (જ્ઞાના દર્શ૰ મોહ૰ અંત)નો અજઘન્ય અનુભાગ ચાર પ્રકારે છે. સાદિ - અનાદિ- ધ્રુવ અને અધ્રુવ. તે આ પ્રમાણે કહે છે. નામ - વેદનીયનો ઉત્કૃષ્ટ અનુભાગ સૂક્ષ્મસંપ૨ાયના છેલ્લા સમયે ક્ષપકને હોય છે. અને તે બીજા સમયે વિચ્છેદ પામે છે તેથી સાદિ-અધ્રુવ. પછી બીજે સર્વ પણ અનુત્કૃષ્ટ અને તે ઉપશાંતમોહે (બંધ) ન હોય, અને ત્યાંથી પડેલાને હોય માટે સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) ન પામેલાને અનાદિ, અભવ્યને ધ્રુવ, ભવ્યને અધ્રુવ હોય છે. તથા મોહનીયનો અનિવૃત્તિબાદર ગુણસ્થાનકના અંત્ય સમયે, તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો સૂક્ષ્મસં૫રાયના અંત્ય સમયે ક્ષપકને જધન્ય અનુભાગબંધ હોય છે. અને તે ૧ સમય હોવાથી સાદિ - અધ્રુવ. પછી તો સર્વ પણ અજઘન્યબંધ સમજવો. અને ઉપશમશ્રેણિમાં મોહનીયનો સૂક્ષ્મસંપરાયે અને જ્ઞાનાવરણાદિ ત્રિકનો ઉપશાંતમોહે બંધ ન હોય. ત્યાંથી પડેલાને (બંધ) હોય, માટે સાદિ, તે સ્થાન (ઉપશાંતમોહ) નહીં પામેલાને અનાદિ, ધ્રુવ-અધ્રુવ અભવ્ય-ભવ્યની અપેક્ષાએ હોય છે. (પેઇજ નંબર - ૧૫૨ જુઓ) ૧૦૭ અહીં ટીકામાં ‘‘બ્રેતિખ્તે’’ એ શબ્દ નથી. પણ જરૂરી છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy