SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ કર્મપ્રકૃતિ થાય. એ પ્રમાણે નરકદ્ધિક પંચેન્દ્રિયજાતિ સિવાયની જાતિ-૪, પ્રથમ સિવાય-સંસ્થાન-૫, સંઘયણ-૫, અપ્રશસ્તવિહાયોગતિ, સ્થાવરદશક એ ર૭ પ્રકૃતિઓ (અસાતા સાથે-૨૮ પ્રકૃતિઓ) જે પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓ કહેવી. (પરિશિષ્ટ-૨માં ચિત્ર નં.૬ જુઓ). ઇતિ ચતુર્થ પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા સમાપ્ત. -: અથ તિર્યંચદ્ધિક - નીચગોત્રની તીવ્રમંદતા : યંત્ર નં. ૨૯- હવે તિર્યંચગતિની તીવ્રમંદતા કહે છે. - સાતમી નારકીમાં વર્તતો નારકનો જીવ સર્વ જઘન્ય સ્થિતિસ્થાન (૧૧) માં જઘન્યપદે જઘન્ય અનુભાગ સર્વથી અલ્પ છે. તેથી બીજી સ્થિતિ (૧૨) માં આ પણ ત્રીજી સ્થિતિ (૧૩) માં અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી નિવર્તન કંડક (૨૦) સુધી અતિક્રાન્ત થાય. તેથી જઘન્ય સ્થિતિ (૧૧) માં ઉત્કૃષ્ટપદે ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી નિવર્તન કંડકથી ઉપર પ્રથમ સ્થિતિમાં (૨૧માં) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી નીચે બીજી સ્થિતિ (૧૨) માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી કંડકથી ઉપર બીજી સ્થિતિ (૨૨) માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક એક જઘન્ય અને એક એક ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણપણે ત્યાં સુધી લઇ જવું (કહેવું) કે જ્યાં સુધી અભવ્યપ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધની નીચેની છેલ્લી સ્થિતિ (૪૦) આવે. અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધની નીચેની કંડક માત્ર સ્થિતિઓ (૩૧ થી ૪૦) ઉત્કૃષ્ટ અનુભાગ હજૂ કહ્યા વગરની છે, બાકીની કહી છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધ વિષયમાં પ્રથમ સ્થિતિ (૪૧) માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. બીજી સ્થિતિ (૪૨)માં જઘન્ય અનુભાગ તેટલાં જ પ્રમાણે છે. ત્રીજી સ્થિતિ (૪૩) માં પણ તેટલાં જ પ્રમાણે છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી સાગરોપમ શતપૃથકત્વ માત્ર સ્થિતિઓ (૪૧ થી ૬૦) અતિક્રાન્ત થાય, અને આ સ્થિતિઓને પૂર્વ પૂરુષોવડે પરાવર્તમાન જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય એ પ્રમાણે નામ કર્યું છે. અને આ સ્થિતિઓની ઉપરની પ્રથમ સ્થિતિ (૬૧) માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી પણ બીજી સ્થિતિ (૬૨)માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી પણ ત્રીજી સ્થિતિ (૬૩)નો અનંતગુણ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી નિવર્તન કંડકનો અસંખ્યયભાગ (૬૭) સુધી જાય, એક ભાગ (૬૮, ૬૯, ૭૦) બાકી રહે. પછી જે સ્થિતિસ્થાનથી (૩૦થી) ઉત્કૃષ્ટ અનુભાગ મૂકીને નિવૃત્ત થયા, તેથી ઉપરના બીજા સ્થિતિસ્થાન (૩૧)માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી પણ ઉપરના સ્થિતિસ્થાન (૩૨) માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી ઉપર ઉપરના સ્થિતિસ્થાનો અનંતગુણ છે. એ પ્રમાણે ઉપર ઉપરના સ્થિતિસ્થાનો અનુભાગનું અનંતગુણપણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધની નીચેની ચરમ (છેલ્લી) સ્થિતિ (૪૦) આવે. પછી જે સ્થિતિસ્થાનથી (૬૭) જઘન્ય અનુભાગ મૂકીને નિવૃત્ત થયેલા (અટકેલાં) તેની ઉપરની સ્થિતિસ્થાન (૬૮) નો જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગ વિષયમાં પ્રથમ કંડક માત્રની સ્થિતિઓ (૪૧ થી ૫૦)નો યથા ઉત્તરક્રમે ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. પછી જે સ્થિતિસ્થાને (૬૮) જઘન્ય અનુભાગ મૂકીને અટકેલાં તેની ઉપરની સ્થિતિસ્થાન (૬૯)માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગ સંબંધી કંડકથી ઉપર કંડકમાત્રની સ્થિતિઓનો (૫૧ થી ૬૦) નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. એ પ્રમાણે એક સ્થિતિનો જઘન્ય અનુભાગ અને કંડકમાત્રની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ કહેતા ત્યાં સુધી જવું કે જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગ વિષય સંબંધી છેલ્લી સ્થિતિ (૬૦) આવે. પછી જે સ્થિતિસ્થાન (૬૯)માં જઘન્ય અનુભાગ મૂકીને નિવૃત્ત (અટકેલા) થયા તેની ઉપરની સ્થિતિ (૭૦)નો જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય અનુભાગબંધની ઉપરની પ્રથમ સ્થિતિ (૬૧)માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી ઉપરની પહેલા કહેલ જધન્ય અનુભાગથી બીજી સ્થિતિ (૭૧)માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી પહેલા કહેલ ઉત્કૃષ્ટ અનુભાગની ઉપરના સ્થિતિસ્થાન (૬૨)માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક ઉપર એક નીચે સ્થિતિનો જઘન્ય અને ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેતાં ત્યાં સુધી જવું જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ (૮૦)માં જઘન્ય અનુભાગ અનંતગુણ થાય. અને કંડકમાત્ર સ્થિતિઓનો (૭૧ થી ૮૦) ઉત્કૃષ્ટ અનુભાગ કહેવાનો બાકી રહ્યો તે યથા ઉત્તરક્રમે અનંતગણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ (૮૦) થાય. એ પ્રમાણે તિર્યંચાનુપૂર્વી અને નીચગોત્રની તીવ્રમંદતા નિરૂપણ કરવી. (કહેવી) (પરિશિષ્ટ ૨માં ચિત્ર નં ૮ જુઓ). ઇતિ તિર્યંચદ્ધિક - નીચગોત્રની તીવ્રમંદતા સમાપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy