SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૪૧ તેથી પણ બે સમય ઓછી ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૭નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે નીચે નીચે ઉતરીને ઉત્કૃષ્ટ અનુભાગ ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી કંડકમાત્ર સ્થિતિઓ (૯૦સુધી) થાય, પછી જે સ્થિતિસ્થાનથી જઘન્ય અનુભાગ મૂકીને પાછા વળ્યા હતા, તેથી નીચેના સ્થિતિસ્થાન (પરમાં) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી ફરી પણ પૂર્વે કહેલ કંડક માત્ર ઉત્કૃષ્ટ અનુભાગ સંબંધી સ્થિતિઓથી નીચેની કંડક પ્રમાણ સ્થિતિઓમાં (૮૯ થી ૮૦ સુધીમાં) ઉત્કૃષ્ટ અનુભાગ ક્રમથી અનંતગણ કહેવો. તેથી જે સ્થિતિસ્થાને (પરમાં) જઘન્ય અનુભાગ કહીને નિવર્યા હતા, તેથી નીચેના સ્થિતિસ્થાનનો (૫૧નો) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી ફરી પણ કંડક પ્રમાણ સ્થિતિઓનો (૭૯ થી ૭૦ સુધીનો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક એક સ્થિતિનો જઘન્ય અનુભાગ અને કંડકમાત્રની સ્થિતિનો ઉત્કૃષ્ટ અનુભાગ ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી જઘન્ય અનુભાગ વિષયની એક એક સ્થિતિનો તાનિ ૧ કન્યાને (તે સર્વ અને અન્ય) એ પ્રમાણે અનુકૃષ્ટિની સ્થિતિઓ, ઉપલક્ષણથી......સાકરોપયોગ કંડકસંજ્ઞાનું કંડક પરિપૂર્ણ (૫૦સુધી) થાય. ઉત્કૃષ્ટ અનુભાગ વિષયક સ્થિતિઓ અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધી સાગરોપમ શતપૃથકત્વ પ્રમાણ (૬૦) સુધી પૂર્ણ થાય. તેથી સાકરોપયોગ કંડકથી નીચેની પ્રથમ સ્થિતિનો (૪૯) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્યસ્થિતિ નીચેની પ્રથમ સ્થિતિનો (૫૯) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેનાથી સાકરોપયોગ કંડકની બીજી સ્થિતિનો (૪૮) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ નીચે બીજી સ્થિતિનો (૫૮) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક એક જઘન્ય અને ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણપણે ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી સર્વ જઘન્ય સ્થિતિ (૩૦) આવે. અને કંડકમાત્રની સ્થિતિનો ઉત્કૃષ્ટ અનુભાગ કહ્યા વિનાનો છે. તે પણ નીચે નીચેના ક્રમથી અનંતગુણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી સર્વ જઘન્ય સ્થિતિ (૩૦) આવે. એ પ્રમાણે મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી - દેવગતિ - દેવાનુપૂર્વી - પંચેન્દ્રિયજાતિ - સમચતુરઅસંસ્થાન, વજ>ષભનારાચસંઘયણ, પ્રશસ્તવિહાયોગતિ, સ્થિરાદિ-૬, ઉચ્ચગોત્ર આદિ ૧૫ (સાતા સહિત ૧૬ પ્રકૃતિઓનું) કહેવું. (પરિશિષ્ટ-૨માં ચિત્ર નં-૫ જુઓ) | ઇતિ તૃતિય પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા સમાપ્ત ( -: અથ ચતુર્થ પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા - ) યંત્ર નં- ૨૮:- અસાતાની જઘન્ય સ્થિતિ (૧૧) માં જઘન્ય અનુભાગ સર્વથી અલ્પ છે. તેથી બીજી આદિ (૧૨ આદિ) સ્થિતિમાં સાગરોપમ શતપથકત્વ સુધી (૫૦ સુધી) તેટલાં જ પ્રમાણમાં કહેવો. પછી ઉપરની * પ્રમાણમાં કહેવો. પછી ઉપરની સ્થિતિ (૫૧)માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી બીજી સ્થિતિમાં (૫૨) જઘન્ય અનુભાગ અનંતગુણ. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી કંડકના અસંખ્યયભાગો (૫૭) જાય, અને એક જ ભાગ (૫૮-૫૯-૬૦) બાકી રહે. તેથી જઘન્ય સ્થિતિ (૧૧)નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગણ છે. તેથી બીજી આદિ (૧૨ આદિ) સ્થિતિઓને વિષે યથા ઉત્તરક્રમે - ઉત્કૃષ્ટ અનુભાગ કંડકમાત્ર સ્થિતિઓ જ્યાં સુધી જાય (૨૦સુધી) ત્યાં સુધી અનંતગુણ કહેવો. તેથી જે સ્થિતિસ્થાને (૫૭) જઘન્ય અનુભાગ કહીને અટક્યાં હતાં તેથી ઉપરના સ્થિતિસ્થાનમાં (૫૮) જઘન્ય અનુભાગ અનંતગુણ કહેવો. તેથી પૂર્વે કહેલ ઉત્કૃષ્ટ અનુભાગ વિષયથી કંડકથી ઉપરની કંડકમાત્રની સ્થિતિઓ (૨૧ થી ૩૦) નો ઉત્કૃષ્ટ અનુભાગ યથા ઉત્તરક્રમે અનંતગુણ કહેવો. એ પ્રમાણે એક એક સ્થિતિનો જધન્ય અનુભાગ અને કંડકમાત્ર સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી જઘન્ય અનુભાગ વિષયોની એક એક સ્થિતિઓની (૫૦સુધી) તાનિ ૫ કન્યાને એ પ્રમાણે અનુકૃષ્ટિથી પર આગળનું કંડક પૂર્ણ થાય. ઉત્કૃષ્ટ અનુભાગ વિષય (૫૦ સુધી) સાગરોપમ શતપૃથત્વ માત્ર થાય. જ્યાં સુધી સાતારૂપ પ્રતિપક્ષ (વિરુદ્ધ) પ્રકૃતિઓ આક્રાન્ત સ્થિતિઓ પૂર્ણ પામે એ પ્રમાણે અર્થ છે. પછી ફરી પણ પહેલા કહેલ સ્થિતિસ્થાનથી ઉપરના સ્થિતિસ્થાન (૬૧માં) જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી સાગરોપમ શતપૃથકત્વથી ઉપરની સ્થિતિ (૫૧માં) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. તેથી ફરી પણ પહેલા કહેલ સ્થિતિસ્થાનથી ઉપરના સ્થિતિસ્થાન (૬૨)માં જઘન્ય અનુભાગ અનંતગુણ છે. તેથી સાગરોપમ શતપૃથકત્વથી ઉપરની બીજી સ્થિતિ (૫૨) માં ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે એક એક જઘન્ય અનુભાગ અને એક એક ઉત્કૃષ્ટ અનુભાગ ઉપર નીચે અનંતગુણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી અસાતાની સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ((૮૦) નો જઘન્ય અનુભાગ અનંતગણ થાય અને કિચરમકંડકની ચરમસ્થિતિ (૭૦)નો ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ) થાય. અને કંડકમાત્રની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ જે હજી પણ કહ્યા વગર રહેલ છે તે યથા ઉત્તરક્રમે અનંતગુણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી સુધી ઉત્કૃષ્ટ સ્થિતિ (૮૦) ની ૧૦૬ ટીકામાં દેવગતિ - દેવાનુપૂર્વી - નથી પણ અહીં તે પ્રકૃતિ ગણવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy