SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ કર્મપ્રકૃતિ -: અથ તૃતીય પરાવર્તમાન શુભ પ્રકૃતિવર્ગની તીવ્રમંદતા : ताणत्राणि त्ति परं, असंखभागाहिं कंडगेक्काणं । उक्कोसियरे नेया, जा तक्कंडोवरि समत्ती ॥ ६७ ॥ तान्यन्यानीति परम् , असङ्ख्येयभागैः कण्डकैकेषाम् । उत्कृष्टेतरे ज्ञेया, यावत् तत्कण्डकोपरि समाप्तिः ।। ६७ ।। ગાથાર્થ :- “તે સર્વ અને અન્ય” એ ક્રમવાળી અનુકૃષ્ટિથી આગળ એક કંડકના અસંખ્યાતભાગ વ્યતિક્રમે ત્યાં સુધી એકેક સ્થિતિના અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય અનુભાગ ત્યાં સુધી કહેવાં કે જ્યાં સુધી ઉપરના જઘન્ય અનુભાગ કંડકની સમાપ્તિ થાય. ટીકાર્થ :- જ (પરાવર્તમાન પ્રકૃતિઓ) કહે છે. - જેટલી પ્રકૃતિઓની “તાનિ ૨ ૩ ચનિ'- એ પ્રમાણે અનુકૃષ્ટિ કહી. તેટલી સર્વ (પ્રકૃતિઓ) પણ જઘન્ય અનુભાગ તેટલાં માત્ર જ જાણવો. ‘તાનિ ૨ કન્યાનિ' એ પ્રમાણે અનુકષ્ટિની પર કંડકના અસંખ્યયભાગથી આગળ કંડકમાત્રની એક એકની સ્થિતિ યથાસંખ્ય ઉત્કૃષ્ટ અને “ફત' એટલે જઘન્ય અનુભાગ અનંતગુણ જાણવો. આ પ્રમાણે કહે છે – “તાનિ ૨ ૩ નિએ પ્રમાણે અનુકૃષ્ટિની પછી જઘન્ય અનુભાગ યથા ઉત્તરક્રમ પ્રમાણે ત્યાં સુધી અનંતગુણ કહેવો જ્યાં સુધી કંડકમાત્રની સ્થિતિનો અસંખ્યયભાગ જાય, એક ભાગ બાકી રહે, પછી જે સ્થિતિસ્થાનથી શરૂ કરીને “તાનિ ૨ કન્યાને' એ પ્રમાણે અનુકૃષ્ટિ શરૂ કરી તે વગેરે કંડકમાત્ર સ્થિતિઓનો યથા ઉત્તરક્રમે (એક પછી એક) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. પછી જે સ્થિતિસ્થાનથી જઘન્ય અનુભાગ કહીને પાછા વળ્યા તેનાથી ઉપરની સ્થિતિસ્થાનનો જઘન્ય અનુભાગ અનંતગુણ કહેવો. એ પ્રમાણે એકેક જઘન્ય અનુભાગ અને ઉત્કૃષ્ટ અનુભાગોનું કંડક કંડક ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી “તને ૨ ચનિ' એ પ્રમાણે અનુકૃષ્ટિની પર (આગળનું) જધન્ય અનુભાગ સંબંધી કંડક પરિપૂર્ણ થાય, અને ઉત્કૃષ્ટ અનુભાગ સાગરોપમ શતપૃથત્વ સમાન થાય છે. સાગરોપમ શતપૃથત્વ અસત્કલ્પનાથી લાખ છે, કંડકો હજાર છે, તેનો એક ભાગ સો, અને તે એક એક વ્યક્તિના આંતરાવાળા હજાર થતાં લાખ થાય છે. તેના પછી ઉપર જઘન્ય અનુભાગ અનંતગુણ. પછી એક ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ. પછી ફરી પણ એક જઘન્ય અનુભાગ અનંતગુણ. પછી ફરી પણ એક ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ. એ પ્રમાણે દરેક કંડકે એક ઉપર એક નીચે જઘન્ય અને ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ ત્યાં સુધી કહેવો કે જ્યાં સુધી જઘન્ય અનુભાગ વિષય સ્થિતિઓ પૂર્ણ થાય. અને ઉત્કૃષ્ટ અનુભાગ વિષય કંડકમાત્ર કહ્યા વગરનો રહેલ છે, તેઓનો યથા ઉત્તરક્રમે ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. અને તે આ પ્રમાણે કહે છે, “ના તવડોવાર સમર' જ્યાં સુધી તે જઘન્ય અનુભાગના કંડકની ઉપરની સ્થિતિ સમાપ્ત થાય. તે આ પ્રમાણે કહે છે- અસંખ્ય ભાગને વિષે યથા ઉત્તરક્રમે અનંતગુણપણે એક અંત્ય ભાગને વિષે ઉત્કૃષ્ટ અનુભાગ કંડક અંતરિત (વચમાં અંતર રહેવાથી) અનંતગુણપણે પૂર્ણ થયેલ જઘન્ય અનુભાગ સ્થિતિ કંડકથી ઉપર એક એક ઉત્કૃષ્ટ અનુભાગ અંતરિત જઘન્ય અનુભાગ ત્યાં સુધી કહેવો, જ્યાં સુધી સર્વની સમાપ્તિ (પૂર્ણ) થાય. પછી જે ઉત્કૃષ્ટ અનુભાગ ફક્ત (બાકી) રહ્યો તે પણ યથા ઉત્તરક્રમે અનંતગુણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી સર્વ સ્થિતિઓ સમાપ્ત થાય. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. યંત્ર નં - ૨૭ :- ત્યાં સાતા અસાતાને આશ્રયીને ભાવના કરાય છે. - સાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૯)માં જઘન્ય અનુભાગ સર્વથી અલ્પ. તેથી સમય ઓછી ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૮)માં જઘન્ય અનુભાગ તેટલાં જ પ્રમાણે બે સમય ઓછામાં (૯૭) તેટલાં માત્ર જઘ0 અનુભાગ હોય છે. એ પ્રમાણે નીચે નીચે ઊતરીને તેટલાં જ પ્રમાણે જઘન્ય અનુભાગ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી પ્રતિપક્ષ વિરુદ્ધ આક્રાન્ત થતી સાગરોપમ શત પૃથકત્વ પ્રમાણ સ્થિતિઓ (૬૦) જાય. પછી નીચે નીચે સ્થિતિઓનો જઘન્ય અનુભાગ ક્રમથી અનંતગુણ ત્યાં સુધી કહેવો જ્યાં સુધી કંડકના અસંખ્ય ભાગો જાય (૫૩સુધી) અને એક ભાગ (૫૨-૫૧-૫૦) બાકી રહે. અને આ સ્થિતિ અસંખ્ય ભાગહીન કંડકમાત્રની સાકારોપયોગ વડે જ બંધાતી હોવાથી પૂર્વગ્રંથોમાં સાકારોપયોગસંજ્ઞા એ પ્રમાણે વ્યવહાર કરાય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિનો (૯૯નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ કહેવો. તેથી સમય ઓછી એવી ઉત્કૃષ્ટ સ્થિતિ (૯૮નો) ઉત્કૃષ્ટ અનુભાગ અનંતગુણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy