SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૧૩૧ નું નામ લઇને અનુકુષ્ટિ કહેવી. (પરિશિષ્ટ-૨ માં ચિત્ર નંબર-૬ જુઓ) ઇતિ ૪થા પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ સમાપ્ત ( - અથ તિર્યગુદ્ધિક અને નીચગોત્રની અનુકૃષ્ટિ :-) से काले सम्मत्तं, पडिवज्जंतस्स सत्तमखिईए । નો રિતિબંધો રસ્સો, પત્તો ગાવરકુcો ૩ / ૬૨ जा अभवियपाउग्गा, उप्पिमसायसमया उ आजेट्ठा । સા તિરિવારિ, નીયારો ગણુટ્ટી ૬૩ .. तस्मिन् काले सम्यक्त्वं, प्रतिपद्यमानस्य सप्तमक्षितौ । થઃ સ્થિતિરંગો દૂરત ગાવાતુ તુ // ૬૨ / यावदभव्यप्रायोग्या, उपर्यसातसमयात् त्वाज्येष्ठा । gષા વિનિધિ, નીરે રાગનુરઃ || ૬૩ ગાથાર્થ - અનંતર સમયે સમ્યકત્વ પ્રાપ્ત કરનાર સાતમી નરક પૃથ્વીના જીવનો જે જઘન્ય સ્થિતિબંધ હોય, તે સ્થિતિબંધથી પ્રારંભીને જ્ઞાનાવરણાદિ તુલ્ય સ્થિતિબંધ સુધી અનુકૃષ્ટિ કહેવી. અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધી જ્ઞાનાવરણાદિવતુ અનુકૃષ્ટિ કહેવી. તેથી ઉપર ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધીની અનુકૃષ્ટિ અસાતવેદનીયવત્ કહેવી. આ રીતે તિયગુદ્ધિક તથા નીચગોત્રની અનુકૃષ્ટિ જાણવી. ટીકાર્ય - તે પ્રમાણે ચારે વર્ગોની અનુકૃષ્ટિ કહીં. હવે તિર્યગુદ્ધિક - નીચગોત્રની અનુકૃષ્ટિ કહેવાની ઇચ્છાવાળા કહે છે. સાતમી નરકનો વર્તતો જીવ ““સે વાલે” સમ્યકત્વ પામવાના અનંતર સમયે (એટલે કે સમ્યકત્વ પામવાનો આગલો સમય મિથ્યાત્વનો છેલ્લો સમય) જે જઘન્ય સ્થિતિબંધથી ઉર્ધ્વ સ્થિતિબંધ અનુકૃષ્ટિ આશ્રયીને આવરણ તુલ્ય-જ્ઞાનાવરણની જેમ જાણવી, અને તે ત્યાં સુધી કે જ્યાં સુધી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ આવે. તિર્યંચદ્ધિક - નીચગોત્રની સ્થાપનામાં પોતાની પ્રિતિપક્ષ (વિરુદ્ધ) પ્રકૃતિ જઘન્ય સ્થિતિબંધથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્યતર સ્થિતિબંધ સ્થાપવી. પછી અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિ સુધી જ્ઞાનાવરણ તુલ્ય જાણવી. ત્યાં તિર્યંચગતિ આશ્રયીને ભાવના કરાય છે. યંત્ર નં-૨૩:- સાતમી નારકનો વર્તતો જીવ સમ્યકત્વ પામવાની ઇચ્છાવાળો તિર્યંચગતિની જઘન્ય સ્થિતિને (પની) બાંધતો જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે. તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બીજા સર્વ પણ બીજા સ્થિતિબંધની (૬ની) શરૂઆતમાં હોય છે, અને બીજા પણ હોય છે. બીજા સ્થિતિબંધમાં (૬માં) જેટલાં અનુભાગ અધ્યવસાયસ્થાનો છે, તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બીજા સર્વપણ ત્રીજા સ્થિતિબંધની (૭ની) શરૂઆતમાં હોય છે, અને બીજા પણ હોય છે. જે તેશ કન્યને વ) એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમનો અસંખ્યયભાગ કોડાકોડી સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીની સ્થિતિઓ પરાવર્તમાન પરિણામે બંધાય છે. અને પરાવર્તમાન પરિણામ વડે તેટલી સ્થિતિઓમાં તે અને અન્ય એ અનુક્રમે રસબંધાધ્યવસાયોની અનુકૃષ્ટિ જાય છે. જે સ્થિતિસ્થાનકથી જે સ્થિતિસ્થાનક પર્વત એકલી જ સાતા કે અસાતા બંધાય ત્યાં અપરાવર્તમાન શુભ-અશુભ વર્ગમાં જે ક્રમ છે તે ક્રમે અનુકુષ્ટિ થાય છે. આ પ્રમાણે સ્થિર-અસ્થિરાદિ અન્ય પ્રવૃતિઓમાં પણ યથાયોગ્ય રીતે સમજવાનું છે. . અહીં સામાન્યથી અસાતા વેદનીયની જેમ શેષ સત્તાવીશ પ્રકૃતિઓની અનુકૃષ્ટિની ભલામણ કરી છે, પરંતુ સૂક્ષ્મત્રિક વિકલત્રિક તેમજ મધ્યમના ચાર સંઘયણ અને ચાર સંસ્થાનો એમ આ ચૌદ પ્રકૃતિઓની જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તેના કરતાં તેની પ્રતિપક્ષભૂત બાદરત્રિક, એકેન્દ્રિય તથા પંચેન્દ્રિયજાતિ, અંતિમસંઘયણ તથા સંસ્થાન એ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ અધિક છે, માટે જેમ સતાવેદનીયની પંદર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધની ઉપર અસાતાની ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન સુધીમાં તેનો એક દેશ અને અન્ય • અધ્યવસાયોની જે પ્રમાણે અનુકૃષ્ટિ થાય છે તેમ સૂક્ષ્મત્રિકાદિ ચૌદ પ્રકૃતિઓમાં થશે નહીં પણ પોતપોતાના જઘન્ય સ્થિતિબંધથી પોતપોતાના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી તે અને અન્ય એ પ્રમાણે અધ્યવસાયોની અનુકુષ્ટિ થાય છે, તેથી આ ચૌદ પ્રકૃતિઓમાં આટલી વિશેષતા છે અને શેષ તેર પ્રકૃતિઓની અનુકૃષ્ટિ બરાબર અસાતાની સમાન છે. (પરિશિષ્ટ -૨ માં ચિત્ર નંબર ૭ જુઓ). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy