SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ કર્મપ્રકૃતિ - અથ ચોથા પરાવર્તમાન અશુભ પ્રકૃતિવર્ગની અનુકૃષ્ટિ :-) जाणि असायजहन्ने, उदहिपुहुत्तं ति ताणि अण्णाणि । आवरणसमुपेवं, परित्तमाणीणमसुभाणं ॥ ६१ ॥ यान्यसातजघन्ये, उदधिपृथक्त्वमिति तान्यन्यानि । आवरणसममुपर्येवं, परावर्तमानानामशुभानाम् ॥ ६१ ॥ ગાથાર્થ :- અસાતાના જઘન્ય સ્થિતિબંધથી શતપૃથકત્વ સાગરોપમ પ્રમાણ સ્થિતિબંધ સ્થાનો સુધી તે સર્વ અને અન્ય એ અનુક્રમથી અનુકૃષ્ટિ જાણવી. અને તેથી ઉપરની સ્થિતિઓમાં જ્ઞાનાવરણની જેમ અનુકૃષ્ટિ જાણવી. તથા જેમ અસાતાની અનુકૃષ્ટિ છે તેવી જ રીતે સર્વ પરાવર્તમાન અશુભ પ્રવૃતિઓની પણ અનુકૃષ્ટિ જાણવી. ટીકાર્થ:- તૃતીયવર્ગની અનુકૃષ્ટિ કહી. હવે યંત્ર નં - ૨૨ ચોથા વર્ગને વિષે કહે છે. :- અસાતાની જઘન્ય સ્થિતિબંધની શરૂઆતમાં (૨૦માં) જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે, તેટલાં સમય અધિક જઘન્ય સ્થિતિબંધારંભમાં (૨૧માં) પણ હોય છે અને બીજા પણ હોય છે. જેટલાં સમય અધિક જઘન્ય સ્થિતિબંધની શરૂઆતમાં (૨૧માં) અધ્યવસાયસ્થાનો હોય છે, તેટલાં બે સમય અધિક જઘન્ય સ્થિતિબંધની શરૂઆતમાં હોય છે, અને બીજા પણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી હશે પૃથક- સાગરોપમ શતપૃથત્વ થાય. જ્યાં સુધી સાતા વેદનીય સ્થિતિને વિષે અધોમુખથી તાનિ ૨ કન્યાનિ- એ પ્રમાણે ક્રમ અનુક્રષ્ટિ કહી, તેટલા પ્રમાણે (૪૦ સુધી) અસતાવેદનીય સ્થિતિને વિષે ઉર્ધ્વમુખથી તને ૨ - એ પ્રમાણે જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ક્રમથી કહેવી, એ પ્રમાણે અર્થ છે. અને આ સ્થિતિઓ અસાતાની સર્વ જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય છે, કારણકે આટલી સ્થિતિઓ સાતાની સાથે પરાવર્તિ - પરાવર્તિને બંધાય છે, અને પરાવર્તમાન પ્રાયઃ મન્દ પરિણામી હોય છે, તેથી અહીં જઘન્ય અનુભાગ બંધનો સંભવ છે. અહીંથી આગળ ફક્ત અસાતા જ બાંધે અને તીવ્રતર પરિણામને કારણે ત્યાં જઘન્ય અનુભાગબંધનો સંભવ નથી. ” તિ પછી ઉપરની બાવરા સને - જ્ઞાનાવરણ આદિ તુલ્ય કહેવી, તે આ પ્રમાણે કહે છે. - જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય સ્થિતિઓના ચરમ (છેલ્લા) સ્થિતિબંધમાં (૪૦માં) જેટલાં અનુભાગબંધ અધ્યવસાયસ્થાનો છે. તેનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ પણ તેની ઉપરની સ્થિતિબંધની શરૂઆતમાં (૪૧માં) હોય છે, અને બીજા પણ હોય છે. તેથી ઉપરની સ્થિતિબંધની શરૂઆતમાં (૪૨માં) પૂર્વની સ્થિતિસ્થાન સંબંધી (૪૧નો) અનુભાગબંધ અધ્યવસાયસ્થાનોનો અસંખ્યાતમો ભાગ મૂકીને બાકીના સર્વ હોય છે. અને બીજા પણ હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યયભાગ માત્ર જેટલી સ્થિતિઓ (૪૪ સુધી) જાય. અહીં જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય ચરમસ્થિતિ સંબંધી અનુભાગ બંધ અધ્યવસાયસ્થાનની (૪૦ની) અનુકૃષ્ટિ પૂર્ણ પામે છે. તેથી ઉપર સ્થિતિબંધમાં (૪૫ માં) જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય ચરમ સ્થિતિની અનન્તર - તરતની (૪૧ની) સ્થિતિ સંબંધી અનુભાગબંધ અધ્યવસાયસ્થાનની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અસાતાની ઉત્કૃષ્ટ સ્થિતિ (૫૦ની) આવે. એ પ્રમાણે જેમ અસાતાવેદનીયની કહીં તે પ્રમાણે જ પરાવર્તમાન અશુભ- સ્થાવર-૧૦, નરકદ્રિક, આધજાતિ-૪, પ્રથમ સિવાયના સંસ્થાન-૫, સંઘયણ-૫, અપ્રશસ્તવિહાયોગતિરૂપ-૨૭ પ્રકૃતિઓ *(અસાતા સહિત - ૨૮ પ્રકૃતિઓ) ૧૦૪ ક્યાંથી ક્યાં સુધીના સ્થિતિસ્થાનકો પરાવર્તમાન - વારાફરતી બંધાય છે તે અહીં કહ્યું નથી પરંતુ પંચમ કર્મગ્રંથ ગાથા ૭રમી ટીકામાં સ્પષ્ટ રીતે કહ્યું છે. તેનો પાઠ આ - તવા સાતવેનવ ચિનામ ગુમનામ યશ:ર્તિનાત્યતાકતસ્ત્રઃ શ્થિતીઃ સેતાઃ સતિષક્ષા નીવચિરાગુમાવી દૌર્તિનામહેતાઃ સર્વ अध्यै प्रकृतीः 'संमोब' त्ति सम्यग्दृष्टिः वाशब्दान्मिथ्याइष्टिा, सामान्योक्तावपि परावर्तमानमध्यमपरिणामो जघन्यानुभागाः करोति । कथम् ? इति चेद, उच्यते - इह पूर्वे सातस्य पञ्चदशसागरोपमकोटीकोटय उत्कृष्ट स्थितिरभिहिता, असातस्य तु त्रिंशत्सागरोपमकोटीकोटयः तत्र प्रमत्तसंयतस्तत्प्रायोग्यविशुद्धो असातस्य सम्यग्दृष्टियोग्यस्थितिषु सर्वजघन्यामन्तःसागरोपमकोटीकोटीप्रमाणां स्थितिं बध्नाति, ततोऽन्तर्मुहूर्तात् परावृत्य सात बध्नाति , पुनरप्यसातमित्येवं देशविरताविरतसम्यग्दृष्टिसम्यग्मिथ्याद्दष्टयोऽपि परावृत्य सातासाते बध्नन्ति । नत्र च मिथ्याद्दष्टिः सातासाते परावृत्य तावद् बध्नाति यावत् सातस्य पञ्चदशसागरोपमकोटीकोटीलक्षणा ज्येष्ठ स्थितिः, ततः परतोऽपि संक्लिष्टः संक्लिष्टतरः संक्लिष्टतमोऽसातमेव केवलं तावद् वनति यावत् त्रिशत्सागरोपमकोटीकोटयः । प्रमत्तादपि परतोऽप्रमत्तादयो विशुद्धा विशुद्धतराः सातमेव केवलं बध्नन्ति यावत् सूक्ष्मसंपराये दादश मुहूर्ताः । तदेवं व्यवस्थिते सातस्य समयोनपञ्चदशसागरोपमकोटीकोटीलक्षणायाः स्थितेरारभ्यासातेन सह परावृत्य बनतो जघन्यानुभागवन्धोचितः पराक्र्तमानमध्यमपरिणामस्तावल्लभ्यते यावठामत्तगुणस्थानके अन्तःसागरोपमकोटीकोटीलक्षणा सर्वजघन्या असातस्थितिः । एतेषु हि सम्यग्दृष्टिमिथ्याद्दष्टियोग्येषु स्थितिस्थानेषु प्रकृते : प्रकृत्यन्तरसंक्रमे मन्दः परिणामो जघन्यानुभागबन्धयोग्यो लभ्यते, नान्यत्र । આ પાઠમાં સ્પષ્ટપણે બતાવ્યું છે કે પ્રમત્ત ગુણઠાણે અસાતા વેદનીયની જે જઘન્ય સ્થિતિ બંધાય છે, ત્યાંથી આરંભી સાતાવેદનીયની પંદર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy