SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ કર્મપ્રકૃત્તિ ( - અથ ૧૧મી યવમધ્ય પ્રરૂપણા:दुसु जवमझं थोवाणि अट्ठसमयाणि दोसु पासेसु । समऊणियाणि कमसो, असंखगुणियाणि उपिं च ॥ ४० ॥ . द्वयोर्यवमध्यं स्तोकान् ,अष्टसमयान् द्वयोः पार्श्वयोः । समयोनानि क्रमशो, ऽसङ्ख्येयगुणितान्युपरि च ।। ४० ॥ ગાથાર્થ :- અનંતગુણવૃદ્ધિને અનંતગુણહાનિ એ બેના યવમધ્યરૂપ અષ્ટસામયિક અનુભાગસ્થાનો અલ્પ છે, તેથી (અરસામયિકાનુભાગ સ્થાનોથી) યવમધ્યના બંને પાર્શ્વના (પડખે રહેલાં) સપ્તસામયિકાદિ એકેક સમયહીન અનુભાગ સ્થાનો અનુક્રમે અસંખ્યગુણ છે. તે ઉપરના (ત્રિસામયિક તથા દ્વિસામયિક યોગસ્થાનો પણ) અસંખ્યગુણ છે. ટીકાર્થ :- પ્રમાણે સમયપ્રરૂપણા કરી. હવે જે અનુભાગબંધસ્થાનો છે તેના વૃદ્ધિ અથવા હાનિ પ્રાપ્ત થાય છે. તે કહે છે. અનંતગુણવૃદ્ધિ ને અનંતગુણહાનિ બંને યવનો મધ્યભાગ છે. એટલે અષ્ટસામયિક અનુભાગસ્થાનો જાણવાં. તે આ પ્રમાણે કહે છે. - જેમ યવનો મધ્યભાગ પૃથુલ (સ્થૂલ) હોય છે ને બંને બાજુએથી હીન હીનતર હોય છે, તેમ અહીં પણ કાલથી અષ્ટસામયિક અનુભાગબંધસ્થાન પૃથુલ (વિશાલ) છે. અને બંને બાજુ સપ્તસામયિક આદિ કાલથી હીન-હીનતર હોય છે. તેથી અષ્ટસામયિક તે યવમધ્ય છે. તે પ્રથમ અરસામયિક સ્થાનથી શરૂ કરીને સર્વ પણ (સ્થાનો) અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ અનંતગુણવૃદ્ધ પ્રાપ્ત થાય છે. સપ્તસામયિકના જે ચરમ અનુભાગબંધસ્થાનથી (અહીં ચરમ એટલે અષ્ટસામયિકથી ઉત્તરવર્તિ સપ્તસામયિક નહીં પરંતુ ઉભયપાર્થવતિ સપ્તસામયિકનું અંતિમ અનુભાગ સ્થાન જાણવું, એ પ્રમાણે જ પ્રથમ સપ્તસામયિકાદિમાં પણ સમજવું.) પ્રથમ અષ્ટસામયિક સ્થાન અનંતગુણવૃદ્ધ છે તેથી તેની (પ્રથમ અષ્ટસામયિક) અપેક્ષાએ બાકીના (અષ્ટસામયિક) અનુભાગસ્થાનો પણ અનંતગુણવૃદ્ધિવાળા જ હોય છે તથા અષ્ટસામયિકનું અંતિમ અનુભાગબંધસ્થાનથી ઉપરનું (આગળનું) પ્રથમ સપ્તસામયિક અનુભાગસ્થાન અનંતગુણવૃદ્ધ હોય છે. તેથી તેની (પ્રથમ સપ્તસામયિક સ્થાનની) અપેક્ષાએ પૂર્વના અસામયિકના સર્વ પણ અનંતગુણહીન જ છે. તે પ્રમાણે અષ્ટસામયિક અનંતગુણવૃદ્ધ અને હાનિમાં પ્રાપ્ત થાય છે. અને અષ્ટસામયિક ઉપલક્ષણરૂપ (જે કહેવાથી તદ્ અન્ય વિવક્ષા અનુક્ત હોતે છતે જે કહ્યું નથી તે સિવાયનું પણ બીજું ગ્રહણ કરાય છે તે ઉપલક્ષણરૂપ કહેવાય.) તેથી તે ઉપલક્ષણ વડે પ્રથમનું ચતુઃસામયિક અને સર્વ અંતિમ દ્વિસામયિકને છોડીને બાકીના સર્વ પણ (પંચસામયિક આદિ) પૂર્વે કહ્યા તેમ અનંતગુણવૃદ્ધ અને અનંતગુણહીનમાં જાણવાં. પ્રથમના ચતુઃસામયિક તો અનંતગુણહીન જ હોય છે, તેની ઉપરના (આગળના) અનંતગુણવૃદ્ધ છે. અંત્ય દ્વિસામયિક તો અનંતગુણવૃદ્ધ જ હોય છે, કારણકે તેની નીચેના અનંતગુણહીન જ છે. એ પ્રમાણે યવમધ્યપ્રરૂપણા કરી. હવે ચતુઃસામયિક આદિ (અનુભાગસ્થાનોનું) અલ્પબદ્ધત્વ કહે છે. - સર્વથી થોડા યવમધ્ય અષ્ટસામયિક, અતિ લાંબા કાલ બંધ યોગ્ય અનુભાગસ્થાનો અતિ અલ્પ પ્રાપ્ત થાય છે. તેથી પૂર્વ - ઉત્તરરૂપ ઉભય પાર્થવર્તિ સપ્તસામયિક - અસંખ્યયગુણ છે, કારણકે અલ્પતર બંધકાલ યોગ્ય છે, ને સ્વસ્થાને તો પરસ્પર તુલ્ય છે. એ પ્રમાણે બંને બાજુ ક્રમથી સમય ઉન અસંખ્યયગુણ કહેવાં. જ્યાં સુધી ચતુઃસામયિક થાય, સ્વસ્થાને તો પરસ્પર તુલ્ય છે. અને તેથી ઉપર ત્રિસામયિક અને દ્વિસામયિક અસંખ્ય ગુણ હોય છે. (ચિત્ર નં. ૯ જુઓ). सुहुमगणिपवेसणया, अगणिकाया य तेसिं कायठिई । कमसो असंखगुणिया, यऽऽझवसाणाणि अणुभागे ॥४१॥ सूक्ष्माग्निप्रवेशनका, अग्निकायश्च तेषां कायस्थितिः। क्रमशोऽसंख्येयगुणिता-श्चाध्यवसानान्यनुभागे ॥४१॥ ગાથાર્થ :- સુક્ષ્મ અગ્નિકાયમાં પ્રવેશ કરતાં, તથા અગ્નિકાયપણે અવસ્થિત રહેલા, (જીવો) અને અગ્નિકાયની કાયસ્થિતિ એ ત્રણ વસ્તુ અનુક્રમે અસંખ્યગુણ છે. ને તેથી પણ અસંખ્યગુણ અનુભાગસ્થાનો છે. ટીકાર્થ :- હવે સમુદાયની અપેક્ષાએ સર્વ અનુભાગબંધસ્થાનોની વિશેષ સંખ્યા નિરૂપણ કરવાને માટે કહે છે. સૂક્ષ્મ અગ્નિકાયને વિષે જે જીવો ઉત્પન્ન થાય છે. તે સૂક્ષ્મ અગ્નિ પ્રવેશક જીવો કહેવાય. તથા અગ્નિકાયપણે જે અવસ્થિત છે. (પ્રથમથી ઉત્પન્ન થયેલા છે.) તથા તે અગ્નિકાયની કાયસ્થિતિ કાળ (એટલે લાગલગાટ ભવ પરાવતિ થતાં પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy