SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કર્મપ્રકૃતિ મલે તેનાથી અધિક તે ત્રીજું અનુભાગબંધસ્થાન. એ પ્રમાણે જે જે અનુભાગ બંધસ્થાનને જેનો જેનો અનંતભાગવૃદ્ધ પ્રાપ્ત થાય તેને તેને સર્વજીવ સંખ્યાપ્રમાણ રાશિ વડે ભાગે છતે જે પ્રાપ્ત થાય તે અનંતતમ અંશ વડે અધિક જાણવું. તથા અસંખ્યેયભાગાધિક અનુભાગસ્થાન એટલે પૂર્વના અનુભાગબંધસ્થાનને અસંખ્યેયલોકાકાશ પ્રદેશ રાશિ વડે ભાગે છતે જે પ્રાપ્ત થાય તેટલાં અસંખ્યાતમા ભાગે કરીને અધિક અસંખ્યેયભાગાધિક અનુભાગસ્થાન જાણવું. તથા સંધ્યેયભાગાધિક અનુભાગસ્થાન એટલે પૂર્વના અનુભાગબંધસ્થાનને ઉત્કૃષ્ટ સંખ્યાવડે ભાગે છતે જે પ્રાપ્ત થાય. તેટલાં સંખ્યેયતમભાગે કરીને અધિક તે સંધ્યેયભાગાધિક અનુભાગસ્થાન જાણવું. તથા સંધ્યેયગુણાધિક એટલે પૂર્વના અનુભાગબંધસ્થાનને ઉત્કૃષ્ટ સંખ્યા વડે ગુણતાં છતાં જેટલી રાશિ પ્રાપ્ત થાય - તેટલાં પ્રમાણે સંધ્યેયગુણાધિક અનુભાગસ્થાન જાણવું. તથા અસંખ્યયગુણાધિક એટલે પૂર્વના અનુભાગબંધસ્થાનને અસંખ્યયલોકાકાશપ્રદેશ પ્રમાણ રાશિવડે ગુણતાં જેટલી રાશિ થાય. તેટલાં પ્રમાણ તે અસંખ્યેયગુણાધિક અનુભાગબંધસ્થાન જાણવું. તથા અનંતગુણાધિક એટલે પૂર્વના અનુભાગબંધસ્થાનમાં સર્વ જીવ સંખ્યાપ્રમાણ રાશિ વડે ગુણતાં જેટલી રાશિ આવે તેટલાં પ્રમાણે અનંતગુણાધિક અનુભાગબંધસ્થાન જાણવું. પ્રથમ ષસ્થાનકની પરિસમાપ્તિ થયે ઉપરનું જે બીજું અનુભાગસ્થાન અનંતભાગાધિક થાય તે બીજા ષસ્થાનકનું પ્રથમ અનુભાગસ્થાન જાણવું. પછી પૂર્વે કહેલ ક્રમ વડે સંપૂર્ણ બીજું ષસ્થાનક કહેવું એ પ્રમાણે અસંખ્યયલોકાકાશ પ્રદેશપ્રમાણ ષસ્થાનકો થાય છે. અને તે આ પ્રમાણે કહ્યું છે. ‘‘છઠ્ઠાળમસંધ્યા હોગા'' અર્થાત્ ષસ્થાનકો અસંખ્યેયલોક પ્રમાણ છે. અહીં કોઇ પ્રશ્ન કરે છે કે : પ્રથમ અનુભાગસ્થાનનો જે સર્વજીવરાશિવડે ભાગાકાર કરાય છે તે સ્પર્ધક અપેક્ષાએ કે પરમાણુ અપેક્ષાએ કે રસાવિભાગ અપેક્ષાએ ? જવાબ :- ત્યાં સ્પર્ધક અપેક્ષાએ તેટલાં પ્રમાણ સંભવે નહીં કારણકે તદ્ગત સ્પર્ધકો અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ પ્રમાણ હોવાથી, અત્યંત અલ્પપણું છે. પરમાણુ અપેક્ષાએ પણ નહીં, કારણકે જેમ જેમ અનુભાગવૃદ્ધિ થાય તેમ તેમ પુદ્ગલો અલ્પ અલ્પતર પ્રાપ્ત થાય છે. પ્રથમાદિ સ્થાનથી બીજા આદિસ્થાને પરમાણુઓની હાનિ જ સંભવે છે. અનંતભાગ અધિકત્વ નથી. રસાવિભાગ અપેક્ષાએ પણ નહીં. કારણકે પ્રથમસ્થાનથી બીજા સ્થાનમાં પણ ૨સાવિભાગ સંધ્યેય આદિથી ગુણતાં પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે કહે છે. - પ્રથમ સ્થાનમાં, પ્રથમ સ્પર્ધકમાં, પ્રથમ વર્ગણામાં જો કે અનંત રસાવિભાગ છે તો પણ અસત્ કલ્પનાથી-૭, તેથી બીજી (વર્ગણામાં) ૮, ત્રીજીમાં-૯, ચોથીમાં-૧૦, ૨સાવિભાગ છે. આ એક સ્પર્ધક થયું. અહીંથી આગળ રસાવિભાગ એકોત્તર વૃદ્ધિથી પ્રાપ્ત નથી પરંતુ સર્વજીવ અનંતગુણાધિક પ્રાપ્ત થાય છે. પછી બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં-૧૭, બીજીમાં-૧૮, ત્રીજીમાં-૧૯, ચોથીમાં-૨૦, આ બીજુ સ્પર્ધક થયું. પછી ૨૭, ૨૮, ૨૯, ૩૦ તે ત્રીજું સ્પર્ધક. પછી ૩૭, ૩૮, ૩૯, ૪૦ સુધી ચોથું સ્પર્ધક અને આ અસત્કલ્પનાથી પ્રથમ અનુભાગ બંધસ્થાન થયું. અને અહીં સર્વ ૨સાવિભાગ ૩૭૬ સંખ્યા થઇ. પછી ૪૭, ૪૮, ૪૯, ૫૦ સુધી ૨સાવિભાગ, ચારે વર્ગણામાં વૃદ્ધિથી બીજા સ્થાનનું પ્રથમ સ્પર્ધક. પછી ૫૭, ૫૮, ૫૯, ૬૦ સુધી રસાવિભાગ તે બીજું સ્પર્ધક. પછી ૬૭, ૬૮, ૬૯, ૭૦ સુધી રસાવિભાગ તે ત્રીજું સ્પર્ધક. પછી ૭૭, ૭૮, ૭૯, ૮૦ સુધી ૨સાવિભાગ તે ચોથું સ્પર્ધક. અને આ અસત્કલ્પનાથી બીજું અનુભાગ બંધસ્થાન થયું. અહીં સર્વ રસાવિભાગ ૧૦૧૬ થયા તે પ્રમાણે પ્રથમ સ્થાનગત રસાવિભાગ અપેક્ષાએ બીજા સ્થાનમાં ૨સાવિભાગ સંખ્યેયગુણ પ્રાપ્ત થાય છે. ઉત્તરોત્તર સ્થાને રસાવિભાગ પૂર્વ પૂર્વ સ્થાનની અપેક્ષાએ અધિક પ્રાપ્ત થાય છે. પણ અનંતભાગાધિકપણું ક્યાંય પણ પ્રાપ્ત થતું નથી. અહીં ઉત્તર કહે છે. આ ષસ્થાનક પ્રરૂપણા બહુસંભવ અભિપ્રાયથી તે અનંતગુણાધિક સ્થાનથી પૂર્વના સ્થાનોમાં સર્વ જીવ પ્રમાણ રાશિથી ભાગાકાર સંભવે નહીં. તો પણ ઉપરના એટલે કે (આગળના સ્થાનોમાં બીજા પણ જે દ્વિતીયાદિ ષસ્થાનકોમાં સર્વ પણ સંયમશ્રેણિ` આદિ ગયે છતે સંભવે છે, તેથી બાહુલ્યથી સર્વત્ર પણ સંભવ હોવાથી ૯૧ સંયમશ્રેણિ વિગેરે સ્થાને જે પદ્ધતિએ સર્વ ષસ્થાનકની પ્રરૂપણા કરી છે તે જ રીતને અનુસરીને આ અનુભાગ ષસ્થાનક પ્રરૂપણા પણ કરી છે. ઇતિ ભાવ: કદાચ શંકા થાય કે સંયમશ્રેણિના પ્રથમ અધ્યવસાયસ્થાનથી દ્વિતીય અધ્યવસાય સ્થાનમાં અનંતભાગાધિકપણું કેમ સંભવે ? તો એ સંબંધમાં જાણવા યોગ્ય છે કે અનુભાગસંબંધી કંઇ ષસ્થાનક વ્યતીત થયે સંયમશ્રેણિ સંબંધી ષસ્થાનકનો પ્રારંભ થાય છે. ને અનંતભાગાધિકપણું તો પ્રથમ અનુભાગષસ્થાનકવર્તિ અનંતગુણાધિક ષસ્થાનકથી જ પ્રારંભાય છે. માટે સંયમશ્રેણિ સંબંધી પ્રથમ અધ્યવસાયસ્થાનમાં સ્પર્ધકોનો સર્વજીવરાશિથી ભાગાપહાર થતો હોવાથી દ્વિતીય અધ્યવસાય સ્થાનમાં સર્વજીવરાશિ ભાગાકાર વિશિષ્ટ અનંતભાગાધિકત્વ વસ્તુતઃ ઘટી શકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy