SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ सवप्पगुणा ते पढमवग्गणा सेसिया विसेसूणा । अविभागुत्तरियाओ, सिद्धाणमणंतभागसमा ॥ ३० ॥ सर्वाल्पगुणास्ते प्रथमवर्गणा शेषा विशेषोनाः । વિભાગોરા , સિદ્ધાના મનમાનસમાઃ | ૨૦ | ગાથાર્થ - સર્વથી અલ્પ રસવિભાગયુક્ત કર્મ પરમાણુઓની પ્રથમ વર્ગણા, તેમાં કર્મપરમાણુઓ ઘણાં છે, ને શેષ વર્ગણાઓના કમણુઓ વિશેષ વિશેષહીન છે. તેવી એકેક રસાવિભાગાધિક વર્ગણાઓ પણ સર્વ સિદ્ધ થી અનંતમાભાગ પ્રમાણ છે. ટીકાર્થ :- અહીં પ્રશ્ન કરે છે કે જીવ સર્વ પણ કર્મ પરમાણુઓને વિષે તુલ્ય રસાવિભાગોને ઉત્પન્ન કરે છે કે વિષમ (હીનાધિક) ? તો જવાબ કહે છે. વિષમ રસાવિભાગોને ઉત્પન્ન કરે છે. તે આ પ્રમાણે કહે છે. કંઇક પરમાણુઓમાં અતિ અલ્પ તો પણ જઘન્યથી સર્વજીવથી અનંતગણ રસાવિભાગોને ઉત્પન્ન કરે છે. કેટલાક (પરમાણુઓમાં) તેથી પણ અધિક રસાવિભાગોને ઉત્પન્ન કરે છે. ત્યાં જણાતું નથી કે ક્યાં (પરમાણુઓમાં) કેટલો રસ ઉત્પન્ન કરે તે માટે વર્ગણા આદિનું નિરૂપણ કરે છે. ઇતિ ૧લી અવિભાગ પ્રરૂપણા સમાપ્ત ( - અથ રજી વર્ગણા પ્રરૂપણા - ) અન્ય સર્વ પરમાણુની અપેક્ષાએ અલ્પ રસ રસાવિભાગયુક્ત હોય તે પરમાણુઓનો સમુદાય તે પ્રથમવર્ગણા અને તેમાં કર્મપરમાણુઓ અત્યંત ઘણા હોય છે. અને શેષ વર્ગણાઓ કર્મપરમાણુની અપેક્ષાએ વિશેષહીન હોય, તથા અવિભાગ ઉત્તર એક એક સ્નેહાવિભાગ અધિક તે સિદ્ધના અનંતભાગ સમાન હોય છે. તે આ પ્રમાણે કહે છે. - પ્રથમ વર્ગણાગત પરમાણુ અપેક્ષાએ જે પરમાણુઓ છે, એક રસાવિભાગની વૃદ્ધિ તેઓનો સમુદાય તે બીજી વર્ગા, અને તે પ્રથમ વર્ગણાગત પરમાણુ અપેક્ષાએ વિશેષહીન હોય છે. તેથી એક રસાવિભાગ વડે અધિકનો સમુદાય તે ત્રીજી વર્ગણા. અને તે બીજી વર્ગણાગત પરમાણુ અપેક્ષાએ વિશેષહીન હોય છે. એ પ્રમાણે ઉત્તરોત્તર રસાવિભાગવૃદ્ધિ પરમાણુ વિશેષતાનિ ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અભવ્યથી અનંતગુણ સિદ્ધથી અનંતભાગ પ્રમાણ વર્ગણાઓ કહેવી. ઇતિ ૨જી વર્ગણા પ્રરૂપણા સમાપ્ત (૨) તથા કર્મની ચિક્કસતા તે રસ કહેવાય ઇત્યાદિ અર્થ દષ્ટાંતરૂપ છે. “જેમ આ પુરુષ એવો ચીકણો છે કે એક પાઇ પણ છોડી શકતો નથી” એ કથનથી પુરુષમાં સ્નિગ્ધસ્પર્શનું બાહુલ્ય નહીં, પરંતુ કંજુસાઇનું બાહુલ્ય જ સમજાય છે. તે કર્મની ચિક્કસતા તે સ્નિગ્ધસ્પર્શનું બાહુલ્ય નહીં, પણ તદનુરૂપ અનુભવની તીવ્ર મંદતા જ સમજવી. (૩) તથા મોદકના દાંતમાં પરસ્પર સંયોજક ધૃતરૂ૫ સ્નેહને રસ કહ્યો છે, તે પણ કમનુભવની તીવ્રતા સુચવવાને જ કહ્યો છે. પરંતુ કર્માસુઓને સંયોજન કરવાની અપેક્ષાએ કહ્યો નથી. માટે કર્મનો અનુભાગ તે સ્નેહ વિશેષ અથવા રસવિશેષ હોઇ શકે નહીં. પુનઃકોઇક કહે છે કે કર્માણમાં રહેલા કટુ તિક્તાદિ પણ રસપર્યાય તે જ કર્મનો રસ કહેવાય, ને જે કર્મસ્કંધોમાં તિક્તાદિ અશુભરસયુક્ત પરમાણુઓ (ઘણાં) હોય તે અશુભકર્મ, ને જે કર્મઅંધોમાં મધુરાદિ શુભરસયુક્ત ઘણાં પરમાણુઓ હોય તે શુભકર્મ કહેવાય. અર્થાતુ અશુભ કર્મના અશુઓમાં કટુ તિક્ત રસ વધુ હોય છે, ને શુભકર્મના અણુઓમાં મધુરાદિ રસ વધુ હોય છે. તથા સર્વધાતી, દેશઘાતી, એકસ્થાન, દ્રિસ્થાનાદિ અનુભાગપ્રરૂપણા તે આ તિક્તાદિ ૫ રસની જ છે, તથા જીવને અશુભ વિપાક આપવાનું સામર્થ્ય તિક્તાદિ અશુભ રસમાં, ને શુભ વિપાક આપવાનું સામર્થ્ય મધુરાદિ શુભ રસમાં છે. અને એજ કારણથી અશુભકર્મ વિપાકમાં નિબંધોષાતકીના કટુ રસનું, ને શુભકર્મના વિપાકમાં લીરખાંડાદિના મધુર રસનું જ દૃષ્ટાંત આપેલું છે. આ કથન અતિ અસમંજસ હોવાથી એ પર વધુ ઉલ્લેખ કરવો અનુચિત છે. (ને કંઇક દિગ્ગદર્શન પ્રથમ દર્શાવ્યું છે.) માટે સુન્નબંધુએ સ્વતઃ શ્રી બહુશ્રુતની સહાયથી વિચારવું. (આ મન્તવ્યમાં શ્રી બહુશ્રત દષ્ટિએ કંઇક અન્યથાપણું હોય તો હું ત્રિવિધે કરીને મિચ્છામિ દુક્કડું આપું છું.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy