SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - અથ પ્રદેશબંધ વિષે સ્વામિત્વ પ્રરૂપણા - (૧) ઉત્કૃષ્ટ પ્રદેશ વિષયની અને (૨) જઘન્ય પ્રદેશ વિષયની એમ બે પ્રકારે છે. ત્યાં અલ્પતર પ્રકૃતિ બંધક ઉત્કૃષ્ટ યોગી અને સંજ્ઞિ પર્યાપ્ત ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, અલ્પતર પ્રતિબંધમાં ભાગોનું અલ્પપણું અને ઉત્કૃષ્ટ યોગપણું હોવાથી ઘણાં પ્રદેશોનું ગ્રહણ થાય છે. આનાથી વિપરીતને જઘન્ય પ્રદેશબંધ થાય છે. ત્યાં આયુષ્યનો મિથ્યાદૃષ્ટિ અને અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ-૪ (૪ થી ૭ ગુણસ્થાનક) ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી થાય છે. આ સર્વનો ઉત્કૃષ્ટ યોગસ્થાન આયુષ્ય બંધને મલતો હોવાથી. પ્રશ્ન :- સાસ્વાદન કયા કારણથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી નથી ? જવાબ :- કહે છે - અલ્પકાલ ભાવિપણાથી તેનો ઉત્કૃષ્ટ યોગસ્થાનનો અસંભવ હોવાથી. અન્યથા મિથ્યાત્વ ભાગને મળતાં અનંતાનુબંધિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સાસ્વાદન જ પામે છે. તેથી તેઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ સાદિ-આદિ ૪ પ્રકારે હોય છે. અને તે ઇષ્ટ નથી. સાદિ ધ્રુવપણું જ તેનું પૂર્વ કહ્યું. બાકીની પ્રકૃતિઓનો મિથ્યાદૃષ્ટિ જ ઉત્કૃષ્ટ પ્રદેશબંધ - સ્વામી કહેવો. કારણકે સાસ્વાદનને ઉત્કૃષ્ટયોગનો સંભવ નથી. તેથી તેનું ગ્રહણ કર્યું નથી. સાસ્વાદન મિશ્ર વિના. મિથ્યાદૃષ્ટિ આદિ અનિવૃત્તિ બાદર સુધી સાતનો બંધક મોહનીયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી થાય. આ સર્વને પણ ઉત્કૃષ્ટ યોગસ્થાન અને મોહનીયબંધનું પ્રાપ્તપણું છે. પ્રશ્ન :- સાસ્વાદન મિશ્ર કયા કારણથી ત્યાગ કર્યો ? તો જવાબ :- કહે છે તે બંનેને ઉત્કૃષ્ટ યોગનો અભાવ હોવાથી. ત્યાં સાસ્વાદને ઉત્કૃષ્ટ યોગ અભાવની યુક્તિ કહી. તે બરોબર છે. મિશ્ન પણ ઉત્કૃષ્ટ યોગ પામે છતે ત્યાં બીજા કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પામવાનો પ્રસંગ છે તે બરાબર નથી, તેનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી અવિરત સમ્યગુદૃષ્ટિ જ કહ્યો છે. અને મિશ્રથી અલ્પતર પ્રકૃતિનો બંધક અવિરત સમ્યગુદૃષ્ટિ જ છે, તે જે કહ્યું તે યુક્ત છે. મૂલપ્રકૃતિ અપેક્ષાએ સાતનો બંધક છે, અને ઉત્તરપ્રકૃતિ અપેક્ષાએ ૧૭ મોહનીય પ્રકૃતિનો બંધક બંનેમાં અવિશેષ હોવાથી. તેથી ઉત્કૃષ્ટ યોગના અભાવને કારણે જ મિશ્રનો ત્યાગ કર્યો છે તે કેટલાક ગ્રંથમાં મળે છે. મલયગિરિ મહારાજ સમ્યક મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ યોગસ્થાન હીનત્વમાં “સાસાણસન્માનીછેસુશોલો બોલે ''ત્તિ સાસ્વાદન અને મિશ્રદૃષ્ટિને ઉત્કૃષ્ટ યોગ હોતો નથી. એ પ્રમાણે એ પૂર્વાચાર્યનું વચન જ પ્રમાણ કહે છે. મિશ્રનું વ્યંજના-વગ્રહ જેવાપણું હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ નથી. એ રીતે પણ અમે યુક્તિ સંગત જોઇએ છીએ. ( - અથ મૂલ-ઉત્તર પ્રવૃતિઓને વિષે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામિત્વ પ્રરૂપણા : જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, નામ, ગોત્ર, અંતરાયનો ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તી સૂક્ષ્મસંપાયે ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી થાય. આયુષ્ય અને મોહનીયનો ભાગ પણ ત્યાં મલવાથી આ મૂલપ્રકૃતિ વિષયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામિત્વ કહ્યું. - હવે ઉત્તરપ્રકૃતિ વિષયમાં તે સ્વામિત્વપણું કહે છે. ત્યાં જ્ઞાનાવરણ-૫, દર્શનાવરણ-૪, સાતવેદનીય, યશકીર્તિ, ઉચ્ચગોત્ર, અંતરાય-૫ = ૧૭ પ્રકૃતિઓનો સૂક્ષ્મસંપાયે ઉત્કૃષ્ટ યોગમાં વર્તતો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સ્વામી થાય. કારણકે અહીં મોહનીય-આયુષ્ય બાંધે નહીં, તેથી તેનો ભાગ અધિક મલે, દર્શનાવરણનો ભાગ અને નામકર્મનો ભાગ સર્વ પણ યથાસંખ્ય-દર્શનાવરણ ચતુષ્કને અને યશ-કીર્તિ એકને મળે છે તેથી સૂક્ષ્મસંપરાયનું જ ગ્રહણ કર્યું છે. અપ્રત્યાખ્યાનાવરણ-૪ નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધક અવિરત સમ્યગુદૃષ્ટિ સાત પ્રકૃતિનો બંધક ઉત્કૃષ્ટ યોગે વર્તતો હોય ત્યારે બાંધે, કારણકે મિથ્યાત્વ અનંતાનુબંધિને બાંધે નહીં. તેથી તેના ભાગનું દ્રવ્ય અધિક પામે, તેથી આનું જ (અવિરત-સમ્યગુદૃષ્ટિનું) ગ્રહણ કર્યું છે. પ્રત્યાખ્યાનાવરણ-૪ નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધક દેશવિરતિ કહેલ રૂ૫ પ્રમાણે છે, કારણકે અપ્રત્યાખ્યાનાવરણનો પણ આ અબંધક છે. તેથી તેના ભાગનું અધિક દ્રવ્ય મલે. પુરુષવેદ-સંજ્વલન-૪ :- નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધક અનિવૃત્તિનાદર સર્વ ઉત્કૃષ્ટ યોગ ૫-૪-૩-૨-૧ના બંધક ઉત્કૃષ્ટ પ્રદેશબંધસ્વામી થાય, કારણકે બંધને આશ્રયીને વિચ્છેદ થતી પ્રવૃતિઓનો ભાગ યથાક્રમે પ્રવેશ થાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy