SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૮૭ ઉત્તરપ્રકૃતિઓને વિષે જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, નિદ્રા, પહેલા ચાર નહીં તેવા ૧૨ કષાય, ભય, જુગુપ્સા, દર્શનાવરણ-૪, પ્રચલારૂપ ધ્રુવબંધીની-૩૦ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ-૪ પ્રકારે છે. સાદિ-અનાદિ-ધ્રુવ-અધ્રુવ તે આ પ્રમાણે કહે છે. જ્ઞાનાવરણ-૫, અંતરાય-૫, ચક્ષ-અચકું, અવધિ-કેવલદર્શનાવરણ રૂપ ૧૪ પ્રકૃતિઓનો સૂક્ષ્મસંપરાયગુણ, માં રહેલાને ઉત્કૃષ્ટ યોગવાલાને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ પ્રાપ્ત થાય છે. ઉત્કૃષ્ટ યોગથી ઘણાં દલિયા ગ્રહણ થવાથી, આયુષ્ય મોહનીયના બંધવિચ્છેદના કારણે તેનો ભાગ અધિક પ્રવેશ થવાથી, ચાર દર્શનાવરણ પ્રકૃતિઓનો સજાતીય અબધ્યમાન પ્રકૃતિનો ભાગ મલતો હોવાથી. અને તે પ્રતિનિયત-કાલપણું હોવાથી સાદિ-અધુવ છે. પછી સમયાંતરે (બીજા સમયે) તેનો જ મંદ યોગસ્થાનવર્તિ અથવા બંધવિચ્છેદ કરીને પડતાંને અનુત્કૃષ્ટ સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ અભવ્યની, અને અધુવ ભવ્યની અપેક્ષાએ છે. તથા નિદ્રા-પ્રચલા અવિરત સમગદ્રષ્ટિથી અપકરણની અંતરાલમાં ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ, મલ સાત પ્રકતિના બંધકને ઉત્કૃષ્ટ પ્રદેશબંધ એક અથવા બે સમય કરે, યોગસ્થાન ઉત્કૃષ્ટને કારણે ઘણાં દલિયા ગ્રહણ થતાં હોવાથી અને થીણદ્વિત્રિકને મલતો પ્રતિભાગ પ્રવેશ થવાથી અને આયુષ્ય ભાગના પણ દલિયા મલતા હોવાથી. અને તે નિયતકાલ ભાવિપણું છે માટે સાદિ-અધુવ છે. પછી બીજા સમયે અનુત્કૃષ્ટ અને તે સાદિ, ઉત્કૃષ્ટપ્રદેશબંધથી બંધવિચ્છેદ સ્થાને (૧૧મા ગુણ,) જઇને પડતો મંદ યોગસ્થાનના બંધને આરંભમાં અનુત્કૃષ્ટ અને તે પણ સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધુવ પૂર્વની જેમ.. અપ્રત્યાખ્યાનાવરણીય-૪નો અવિરતસમ્યગુદૃષ્ટિ ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ છે, કારણકે ઉત્કૃષ્ટ યોગસ્થાનથી બહુ દલિયા ગ્રહણ થતા હોવાથી, મિથ્યાત્વ-અનંતાનુબંધિને મલતા (દલિયાનો) ભાગ પ્રવેશ થવાથી, પછી ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી અથવા બંધવિચ્છેદ સ્થાનથી પડતાં મંદ પરિણામવાળાને અનુત્કૃષ્ટ અને તે સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધવ પૂર્વની જેમ. પ્રત્યાખ્યાનાવરણીય-૪નો દેશવિરતિને ઉત્કૃષ્ટ યોગસ્થાનવર્તિ એક અથવા ૨ સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ છે, કારણકે ઉત્કૃષ્ટ યોગથી બહુ દલિક ગ્રહણ થતા હોવાથી, મિથ્યાત્વ-અનંતાનુબંધિ, અપ્રત્યાખ્યાનને મલતા (દલિયાનો) ભાગ પ્રવેશ થવાથી અને તે નક્કી કાલપણું હોવાથી સાદિ-અધુવ. પછી ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી અથવા બંધવિચ્છેદ સ્થાનથી પડતાં મંદયોગસ્થાનવાળાને અનુત્કૃષ્ટ અને તે સાદિ, તે સ્થાન અપ્રાપ્તને - અનાદિ, ધ્રુવ-અધુવ પૂર્વની જેમ. ભય-જુગુપ્સાનો અપૂર્વકરણવાલા ઉત્કૃષ્ટ યોગીને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ હોય છે, કારણકે ઉત્કૃષ્ટ યોગથી ઘણાં દલિયા ગ્રહણ થતા હોવાથી. મિથ્યાત્વ આદિ સજાતીય નહીં બંધાતી પ્રકૃતિના (દલિયાનો) ભાગ પ્રવેશ થવાથી, અને તે સાદિ-અધુવ, ઉત્કૃષ્ટથી પણ બે સમય ભાવવું. પછી ઉત્કૃષ્ટ પ્રદેશબંધથી) અથવા બંધવિચ્છેદ સ્થાનથી પડતાં મંદ પરિણામવાળાને અનુત્કૃષ્ટ, અને તે સાદિ, તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અધુવ પૂર્વની જેમ. - સંજ્વલન ક્રોધનો અનિવૃત્તિ બાદરભંપરાયવાળાને ઉત્કૃષ્ટદ્યોગ અને ચાર પ્રકારના બંધકને એક અથવા બે સમય ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થાય છે, કારણ કે ઉત્કૃષ્ટ યોગથી ઘણાં દલિયા ગ્રહણ થતા હોવાથી, મિથ્યાત્વ આદિ અને પુરુષવેદના (દલિયાનો) ભાગ પ્રવેશ થવાથી, અને તે પ્રતિનિયતકાલપણું હોવાથી સાદિ-અધુવ છે. - સંવ,માન - તથા તેજ ઉત્કૃષ્ટ યોગાનવર્તિ ત્રણ પ્રકારનો બંધક એક અથવા બે સમય સંજવલન-માનનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે. સંજ્વલન ક્રોધના (દલિયાનો) ભાગ પ્રવેશ થતો હોવાથી. ૮૬ અહીં અબધ્યમાન મિથ્યાત્વ તથા અનંતાનુબંધિ આદિ ૧૨ કષાયનો ભાગ મલતો હોવાથી ભય-જુગુપ્સાનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અપૂર્વકરણ ગુણા કહ્યા છે. પરંતુ અબધ્યમાન મિથ્યાત્વાદિ ૧૩ પ્રકૃતિઓનો ભાગ છઠ્ઠા-સાતમા ગુણ પણ મળે છે. તેથી આ બે ગુણઠાણે પણ ભય-જુગુપ્સાના ઉત્કૃષ્ટ પ્રદેશના સ્વામી કહેવા જોઇએ. છતાં અહીં કેમ કહ્યા નથી તે વિચારણીય છે. વળી પાંચમા કર્મગ્રંથ ગાથા-૯૨-૯૪ની ટીકામાં જણાવેલ છે કે - અબધ્યમાન કષાયનો ભાગ બધ્યમાન કષાયોને જ મલે, પરંતુ નોકષાયોને મલે નહીં, માટે આ બંન્ને પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના સ્વામી અનધ્યમાન મિથ્યાત્વનો ભાગ મલતો હોવાથી ૪ થી ૮માં ગુણસ્થાનક સુધીના જીવો છે. તેથી પમાં કર્મગ્રંથાદિના મતે અબધ્યમાન કષાયના ઈલકો શેષ બધ્યમાન કષાયોને જ મળે છે પરંતુ બધ્યમાન નોકષાયોને મળતાં નથી અને પંચસંગ્રહાદિના મતે અબધ્યમાન મિથ્યાત્વની જેમ અવધ્યમાન કષાયોનું લિક પણ બધ્યમાન કષાય તથા નોકષાય એમ બન્ને મલે છે. એમ સમજાય છે. પરંતુ જો એમ હોય તો હાસ્યાદિ બે યુગલમાં યથાસંભવ છઠ્ઠા આદિ ગુણસ્થાને મધ્યમના ૮ કષાયનો ભાગ મળી શકે તેથી તે ગુણસ્થાનકવર્તી જીવોજ આ ચારે પ્રકૃતિઓના સ્વામી કહેવા જોઇએ. છતાં તેમ ન કહેતા અવિરતિ સમ્યગુદષ્ટિ જ સ્વામી કેમ કહ્યા ? તે વિચારણીય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy