SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ કર્મપ્રકૃતિ [°ત્યાં સાતવેદનીય આદિ અધુવબંધિ પ્રવૃતિઓના જઘન્યાદિ ચારે પણ ભેદ સાદિ અધ્રુવ હોય છે. ધ્રુવબંધિની તો સંભવી અજઘન્ય - અનુત્કૃષ્ટ - અનાદિ - ધ્રુવ - સાદિ - અધ્રુવ પણ થાય છે. જઘન્ય ઉત્કૃષ્ટ તો ધ્રુવબંધિની પણ ક્યારેક સાદિ અધ્રુવ થાય છે] તથા મૂલપ્રકૃતિને વિષે આયુષ્યબંધ સાદિ અને અધ્રુવ જ હોય છે. વેદનીયનો અનાદિ-અધુવ અને ધ્રુવ, ત્યાં અનાદિપણું હંમેશપણે હોય છે. ધ્રુવ-અભવ્યોને ક્યારે પણ વિચ્છેદના અભાવથી, અધ્રુવ ભવ્યોને અયોગીમાં વિચ્છેદ થવાથી હોય છે. બાકીના કર્મોની સાદિ-આદિ ચાર પ્રકારે ત્યાં ઉપશાંતમોહ ગુણસ્થાનથી પડતાં સાદિ. તે સ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અભવ્ય, અધુવ-ભવ્યની અપેક્ષાએ હોય છે. ઉત્તર પ્રકૃતિને વિષે ઘૂવબંધી સર્વ પણ ૪૭ પ્રકૃતિ સાદિ આદિ ચાર ભેદે ત્યાં પોત પોતાના અબંધસ્થાન ભ્રષ્ટોને સાદિ, અને તેઓની મધ્યે મિથ્યાત્વનો - સાસ્વાદનાદિ - ગુણઠાણે, થીણદ્વિત્રિક, અનંતાનુબંધિ-૭ પ્રકૃતિનો મિશ્રાદિ ગુણઠાણે, બીજો કષાય - દેશવિરતાદિ ગુણઠાણે, ત્રીજો કષાય પ્રમત્તાદિ ગુણઠાણે, નિદ્રા – પ્રચલા - અગુરુલઘુ - નિર્માણ - તેજસ - ઉપઘાત - વર્ણાદિ ચતુષ્ક - કાર્પણ - ભય - જુગુપ્સા - અનિવૃત્તિ બાદરાદિ ગુણઠાણે, સંવલનનો સુક્ષ્મસંપાયાદિ ગુણઠાણે, જ્ઞાનાવરણ પંચક - અંતરાય પંચક - દર્શનાવરણ-૪ ઉપશાંતમોહગુણસ્થાનાદિ ગુણઠાણે અબંધ હોય છે. માટે ત્યાંથી પડીને ફરીથી બંધ શરૂ કરે તેને સાદિ, તથા પોતપોતાના અબંધસ્થાન અપ્રાપ્તને અનાદિ, ધ્રુવ-અભવ્યોને અને અધ્રુવ ભવ્યોને અધૂવબંધીનીમાં ૭૩ સાદિ-અધુવ જ યુક્ત છે. તથા નરકત્રિક, દેવત્રિક, વૈક્રિયદ્ધિક-૮ પ્રકૃતિઓના બંધમાં વિકસેન્દ્રિય એકેન્દ્રિય યોગ્ય નથી, તેની ઇતર(પ્રકૃતિઓ)ના જ બંધસ્વામી છે. તથા મનુષ્યત્રિક-ઉચ્ચગોત્ર, અને પૂર્વે કહીં તે ૮ = ૧૨ પ્રકૃતિઓના બંધમાં તેઉકાય-વાઉકાય અયોગ્ય છે. આહારકદ્ધિક-જિનનામ બંધમાં સર્વે પણ તિર્યંચો અયોગ્ય છે. વૈક્રિયદ્ધિક - આહારકદ્ધિક – નરકત્રિક - દેવત્રિક - સુક્ષ્મત્રિક – વિકલત્રિક રૂ૫ ૧૬ પ્રકૃતિઓના બંધમાં દેવો અયોગ્ય છે. આ ૧૬ આતા - સ્થાવર-એકેન્દ્રિયજાતિ સહિત ૧૯ પ્રકૃતિઓના બંધમાં નારક અયોગ્ય છે. અને તેથી તેઉ-વાઉકાય ૧૦૫ પ્રકૃતિઓના બંધસ્વામી છે. બાકીના એકેન્દ્રિય-વિકલેન્દ્રિય ૧૦૯ પ્રકૃતિઓના બંધસ્વામી છે. પંચેન્દ્રિય તિર્યંચ ૧૧૭ પ્રકૃતિઓના, દેવો ૧૦૪ પ્રકૃતિઓના, અને નારકો ૧૦૧ પ્રકૃતિઓના બંધસ્વામી છે. બીજા પણ વિશેષો અન્ય ગ્રન્થથી (ત્રીજા કર્મગ્રન્થથી) જાણવાં. વિસ્તારના ભયથી કહેતાં નથી. (યંત્ર નં. ૧૦ -૧૧-૧૨ જુઓ) | ઇતિ પ્રકૃતિબંધાદિ ૪ ની ભાવના અને પ્રકૃતિબંધનું સ્વરૂપ સમાપ્ત ચિત્ર નં ૬ની સમજુતી :- શરીરસ્થાનમાં પ્રથમ શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં રહેલા દરેક પુદ્ગલમાં સર્વ જીવથી અનંતગુણ સ્નેહાણ છે. આ બિન્દુઓથી બતાવ્યું છે. ઉત્તરોત્તર એ સ્પર્ધકની વર્ગણાઓમાં ૧-૧નેહાણ વધતા જાય છે. પ્રથમ શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પુદ્ગલો અભવ્યથી અનંતગણ અને સિદ્ધના અનંતમાં ભાગે છે. અને ઉત્તરોત્તર વર્ગણાઓમાં પુદ્ગલો ઘટતાં જાય છે. અને તે અનંતમા ભાગ જેટલાં ઘટે છે. ૧ સ્પર્ધકમાં વર્ગણાઓ અભવ્યથી અનંતગુણ છે. પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણા પછી સર્વ જીવથી અનંતગુણ જેટલાં નેહાણનું અત્તર પડે છે. તેથી પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણાના સ્નેહાણુઓ કરતાં બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ડબલ સ્નેહાણુઓ હોય છે. પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણા કરતાં બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં પુદગલો એક અનંતમો ભાગ પૂર્વની જેમ ઘટે છે. તે રીતે દ્વિતીયાદિ સ્પર્ધકો જાણવાં. આવા અનંતા શરીર સ્પર્ધકો થાય ત્યારે એક શરીરસ્થાન થાય છે. પહેલા સ્પર્ધકની પહેલી વર્ગણાના સ્નેહાણ કરતાં કેટલામું સ્પર્ધક લઇએ તેટલાં ગુણા તે સ્પર્ધકની પહેલી વર્ગણામાં સ્નેહાણુ હોય. જેમ ત્રીજામા ત્રિગુણ વિગેરે. | ઇતિ ચિત્ર નં. ૬ની સમજુતી સમાપ્ત ८० "तबाध्रुवबन्धिनीनां सातवेदनीयादीनां जघन्यादयश्चत्वारोऽपि भेदाः सादयोऽध्रुवाश्च भवन्ति । ध्रुववन्धिनीनां तु संभविनावजघन्यानुत्कृष्टावनादी ध्रुवौ સાધવાર રમવતઃ વયોવૃ1શવચિનીનાની ફવિતાન્તન સાથદુવા મવતઃ' આ પ્રમાણે ટીકામાં જે લખેલ છે, તે વિવલા વિશેષથી બરોબર છે. પરંતુ સામાન્યથી પ્રત્યેક મૂળ તથા ઉત્તર પ્રવૃતિઓમાં જઘન્યાદિ ભેદ ન હોય. તેથી તેના સાઘાદિન આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy