SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ ૭૩ ( - અથ પ્રકૃતિબન્ધાદિ ૪ ની ભાવના અને પ્રકૃતિબંધનું સ્વરૂપ:-). मूलुत्तरपगतीणं, अणुभागविसेसतो पगइभेदो । વિસિરસ ફિ૩, ફતંઘો મુળવો | ૨૪ | मूलोत्तर प्रकृतिनाम्, अनुमागविशेषतः प्रकृतिभेदः । માવશેષિત પ્રકૃતિખ્ત, પ્રકૃતિવંશો જ્ઞાતિઃ | ૨૪ | ગાથા:- મૂળ અથવા ઉત્તર પ્રકૃતિના ભેદ, અનુભાગ (સ્વભાવ) ભેદને લઇને થાય છે. પુનઃ અહીં પ્રકૃતિબંધ તે અવિવક્ષિત રસ પ્રકૃત્યાદિ રૂપ જાણવો. ટીકાર્થ :- પ્રમાણે પુગલોનો અરસપરસ સંબંધ, હેતુભૂત સ્નેહની પ્રરૂપણા કરી. હવે બંધનકરણ સામર્થ્યથી બંધાતા મૂલ-ઉત્તર પ્રવૃતિઓનો વિભાગ કારણ બતાવવા માટે પૃથુકપણે સ્પષ્ટતા કહે છે. મૂળ ઉત્તર પ્રવૃતિઓનો “દવા પચડી મે''ત્તિ એ પ્રમાણે ભાષ્યનું વચન હોવાથી, અથવા પ્રકૃતિ-ભેદ-પ્રકૃતિ શબ્દનો ભેદ પર્યાયપણું હોવાથી મૂલ-ઉત્તર ભેદોનો કર્મ સંબંધીઓનો અનુભાગ વિશેષથી જ્ઞાનાવરણપણા આદિ સ્વભાવ વૈચિત્ર્યથી ભેદ થાય છે. અનુભાગ શબ્દ અહીં સ્વભાવ પર્યાય ગણુમારો વિ સાવો'' એ પ્રમાણે ચૂર્ણિકારનું વચન હોવાથી. જેમ ઘાસ-દૂધ આદિ વસ્તુભેદ સ્વભાવ ભેદથી થાય છે. તે પ્રમાણે દલિયાના કર્મરૂપથી તુલ્યના પણ સ્વભાવ ભેદથી ભેદ છે. તથા અવિશેષતા - અવિવલિતા રસપ્રકૃતિ ઉપલક્ષણથી સ્થિતિ આદિ પણ જે પ્રકૃતિબંધ જાણવો. “1'' શબ્દનો અધિક અર્થ સૂચકપણું હોવાથી અવિવક્ષિત રસ-પ્રકૃતિ-પ્રદેશ સ્થિતિબંઘ, અવિવક્ષિત પ્રકૃતિ-સ્થિતિ-પ્રદેશ રસબંધ તથા અવિવક્ષિત પ્રકૃતિ-સ્થિતિ-રસ પ્રદેશબંધ એ પ્રમાણે જાણવું. અને અહીં કર્મોનું પ્રકૃતિ આદિ મોદક દૃષ્ટાન્તથી લક્ષણ જાણવું. તે આ પ્રમાણે કહે છે - મોદકનો જેમ વાયુ આદિ વિનાશપણાનો સ્વભાવ છે. તે પ્રમાણે જ્ઞાનાવરણ આદિ સ્વભાવ તે પ્રકૃતિ, જે પ્રમાણે તેની સ્થિતિ એક-બે આદિ દિનની અવસ્થા છે તે પ્રમાણે કર્મોની સ્થિતિ પ્રતિનિયત કાલ અવસ્થા રૂ૫ છે, જે પ્રમાણે તેનો રસ નિગ્ધ, મધુર આદિ છે તે પ્રમાણે કર્મોની સ્થિતિ પણ શુભ-અશુભ આદિ રસ છે, જે પ્રમાણે તેના પ્રદેશો એક બે પસલી આદિ પ્રમાણ છે. તે પ્રમાણે કર્મોની પણ બહુતર બહુતમ આદિ વિભાગરૂપે છે. પંચસંગ્રહ બંધનકરણની ગાથા ૪૦ માં કહ્યું છે - ““ફિસંધુ રત્નસ રિર્ડ, પાસવંઘો પસંદvi iા તાપ રસો અનુમાનો, તત્સમુરાગો પફવંઘો '' અર્થ - સ્થિતિબંધ એટલે દલિકની સ્થિતિ, પ્રદેશોનું જે ગ્રહણ તે પ્રદેશબંધ કહેવાય છે. તેઓનો જે રસ તે અનુભાગબંધ અને તેઓના સમુદાયને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. આ પ્રમાણે પંચસંગ્રહમાં પ્રકૃતિબંધનું લક્ષણ કહ્યું છે, કાષાયિક કર્મ આશ્રયીને સંભવી શકે પરંતુ અહીં તેનો ઉપયોગ નથી. સ્થિતિ આદિ સમુદાયરૂપે પ્રકૃતિબંધના વિચારમાં સ્થિતિ આદિ અંશની અવિવક્ષા કરવી અશક્ય છે. અને પ્રકૃતિબંધે ૧૨૦નો અધિકાર છે. ભૂયસ્કાર આદિ વિશેષ આગળ બતાવશે. અને આ પ્રતિબંધ ચાર પ્રકારે છે. જઘન્ય-અજઘન્ય-ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ છે. ત્યાં જઘન્ય પ્રકૃતિબંધ ઉપશાંતમોહ આદિ ૩ ગુણસ્થાનકે હોય છે, ત્યાં પ્રકૃતિબંધને આશ્રયીને એક પ્રકૃતિબંધ હોવાથી જ સર્વથી અલ્પ બંધ થાય છે. તેથી જઘન્યપણું છે. ઉપશાંતમોહથી ભ્રષ્ટને અજઘન્યબંધ, મૂલપ્રકૃતિ આશ્રયીને ૬ આદિનો, ઉત્તરપ્રકૃતિ આશ્રયીને ૧૭ આદિનો બંધ સંભવ હોવાથી સંશિ મિથ્યાદૃષ્ટિ ઉત્કૃષ્ટ કૂલપ્રકૃતિ ૮ અને ઉત્તરપ્રકૃતિ ૭૪ બંધ હોવાથી. તેથી સ્ટોક-સ્તોતર મૂલ પ્રકૃતિ અને ઉત્તરપ્રકૃતિનો જે બંધ તે અનુત્કૃષ્ટબંધ. ઉત્કૃષ્ટબંધથી પરિણામ ઓછો થતાં પડતાં અનુત્કૃષ્ટબંધની સાદિ અથવા જઘન્યબંધથી પડતાં અજઘન્યબંધની સાદિ. આ પ્રમાણે સાદિપણાના વિશેષથી અજઘન્ય અનુકુષ્ટનો ભેદ વિચારવો. અથવા પૂર્વ-પશ્ચિમ દિશાની જેમ અવધિભેદથી જઘન્ય અધિકૃત કરીને જ્યાં સુધી ઉત્કૃષ્ટ થાય ત્યાં સુધી અજઘન્ય અને ઉત્કૃષ્ટને અધિકૃત કરીને જ્યાં સુધી જઘન્ય થાય ત્યાં સુધી અનુકુષ્ટ. આ જ વિશેષહેતુથી સાદિપણા વિશેષ અભાવે પણ અજઘન્ય. અનુત્કૃષ્ટ ભેદ ઓળખાય છે. જો કે પંચસંગ્રહ પમાં દ્વારની ગાથા ૨૪માં કહ્યું છે. “વોસા પડિ સાફ ગણુવોસગો નાગો | બંધાગો વિશે તમારે તો વિ વિસૈસા ા'' અર્થ :- ઉત્કૃષ્ટ બંધથી જ્યારે પડે ત્યારે અનુત્કૃષ્ટબંધ સાદિ થાય. અને જઘન્ય બંધથી પડે અથવા અબંધક થઇ ફરી બાંધે ત્યારે અજઘન્યબંધ સાદિ થાય. તેના અભાવમાં તે બંને સરખા જ છે. આ પ્રમાણે જે કહ્યું છે તે સાદિપણાને આશ્રયીને સ્પષ્ટ વિશેષ બતાવવાના અભિપ્રાયથી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy