SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ 9 (૪) અંતર પ્રરૂપણા - અને અંતરો તેઓના એક રૂપ ઉન (ઓછું) સ્પર્ધક તુલ્ય છે. જેથી ચારના અંતરો ત્રણ જ થાય છે. તથા વર્ગણાઓને વિષે અનંતરવૃદ્ધિ બે થાય છે, અને એક એક અવિભાગવૃદ્ધિ અને અનંતાનંત અવિભાગવૃદ્ધિ. ત્યાં સ્પર્ધકગત વર્ગણાઓમાં અનુક્રમે એક એક અવિભાગવૃદ્ધિ જ છે. અને પૂર્વે સ્પર્ધકગત ચરમ વર્ગણાની અપેક્ષાએ આગળના સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં અનંતાનંત અવિભાગવૃદ્ધિ છે. પરંપરવૃદ્ધિ તો પ્રથમ સ્પર્ધકગત પ્રથમ વર્ગણાની અપેક્ષાએ છ પ્રકારે પણ વૃદ્ધિ જાણવી.'તે પ્રમાણે વર્ગણા સ્પર્ધક અંતર પ્રરૂપણા કરી. (૫) વર્ગણાગત પુગલ સ્નેહાવિભાગ સમુદાય પ્રરૂપણા - કરાય છે, ત્યાં પ્રથમ શરીરસ્થાનની પ્રથમ વર્ગણાને વિષે સર્વથી થોડા નેહાવિભાગ. તેથી બીજા શરીરસ્થાનની પ્રથમ વર્ગણાને વિષે અનંતગુણ.*તેથી પણ ત્રીજા શરીરસ્થાનની પ્રથમવર્ગણાને વિષે અનંતગુણ. એ પ્રમાણે સર્વ પણ સ્થાનોને વિષે અનંતગુણ જ કહેવું. હવે તે તે બંધનને યોગ્ય એવા શરીર પરમાણુઓનું અલ્પબદુત્વ કહેવાય છે. ત્યાં ઔદારિક બંધન યોગ્ય પુદ્ગલો સર્વથી થોડા, તેથી ઔદારિક તેજસ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ દારિક કાર્મણબંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ ઔદારિક - તેજસ - કાર્મણ બંધન યોગ્ય અનંતગુણ હોય છે. તથા વૈક્રિય - વૈક્રિય બંધન યોગ્ય પુદ્ગલો સર્વથી થોડા, તેથી પણ વૈક્રિય - તેજસ બંધન યોગ્ય પગલો અનંતગુણ, તેથી પણ વૈક્રિય કાર્મણ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ વૈક્રિય - તેજસ કાર્પણ બંધન યોગ્ય પગલો અનંતગુણ હોય છે. તથા આહારક આહારક બંધન યોગ્ય પગલો સર્વથી થોડા, તેથી આહારક તેજસ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ આહારક કાર્પણ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ આહારક તૈજસ - કાર્પણ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ તૈજસ - તેજસ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ તૈજસ - કાર્પણ બંધન યોગ્ય અનંતગુણ, તેથી પણ કાર્યણ - કાર્પણ બંધન યોગ્ય અનંતગુણ હોય છે. હવે - (૬) સ્થાન પ્રરૂપણા - ત્યાં પ્રથમ સ્પર્ધકથી શરૂ કરીને અભવ્યથી અનંતગણ સિદ્ધથી અનંતભાગ પ્રમાણ અનંત સ્પર્ધકોથી પ્રથમ શરીર* પ્રાયોગ્ય સ્થાન થાય છે. પછી તેટલાં જ સ્પર્ધકોથી અનંતભાગ વૃદ્ધિથી બીજું શરીરસ્થાન, ફરી તેટલાં જ સ્પર્ધક અનંતભાગ વૃદ્ધિથી ત્રીજું શરીરસ્થાન, એ પ્રમાણે નિરન્તર અનંતભાગ વૃદ્ધ શરીરસ્થાનો અંગુલમાત્ર ક્ષેત્ર અસંખ્યયભાગગત પ્રદેશ રાશિપ્રમાણ કહેવાં. આ સ્થાનોનો સમુદાય તે એક પ્રથમ 'કંડક કહેવાય, કહેલ પ્રમાણ સંખ્યા જ શાસ્ત્રીય પરિભાષાથી કંડક કહેવાય છે. અને આ કંડક ઉપર જે શરીરસ્થાન પ્રથમ કંડકગત ચરમ શરીરસ્થાનની અપેક્ષાએ અસંખ્યયભાગવૃદ્ધ છે. તેથી આગળના શરીરસ્થાનો યથા ઉત્તરક્રમથી અનંતભાગવૃદ્ધ કહેવાં. અને આ સમુદાય તે બીજું કંડક. તે બીજા કંડક ઉપર જે અન્ય શરીરસ્થાન તે બીજા કંડકગત ચરમ શરીરસ્થાનની અપેક્ષાએ અસંખ્યયભાગવૃદ્ધ છે. પછી ફરી પણ કંડક માત્ર અનંતભાગ વૃદ્ધ કંડકો કહેવાં. તે સમુદાય તે ત્રીજું કંડક. એ પ્રમાણે અસંખ્યયભાગ અન્તરિત અનંતભાગ વૃદ્ધ કંડકો ત્યાં સુધી કહેવાં, જ્યાં સુધી અંતરાલભાવિ અસંખ્યયભાગવુદ્ધ સ્થાનોનું કંડક પરિસમાપ્ત =પૂર્ણ થાય. પછી ચરમ અસંખ્યયભાગાધિક સ્થાનથી બીજા યથા ઉત્તર અનંતભાગ વૃદ્ધ કંડક માત્ર શરીરસ્થાનો કહેવાં. તેથી આગળ એક સંખ્યયભાગવૃદ્ધ સ્થાન પછી મૂલથી આરંભીને જેટલાં સ્થાનો પૂર્વે અતિક્રાન્ત કર્યા તેટલાં તે પ્રમાણે કહીને ફરી પણ એક સંખ્યયભાગાધિક સ્થાન કહેવું અને આ સંખ્યયભાગાધિક (સ્થાનો) ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી કંડક પરિપૂર્ણ થાય. પછી કહેલા ક્રમ પ્રમાણે ફરી પણ સંખ્યયભાગાધિક સ્થાન પ્રસંગે સંખ્યયગુણાધિક સ્થાન એક કહેવું. પછી ફરી પણ મૂલથી શરૂ કરીને તેટલાં શરીરસ્થાનો કહેવાં. પછી ફરી પણ એક સંખ્યયગુણાધિક સ્થાન કહેવું. આ પણ તે પ્રમાણે સંખ્યયગુણાધિક સ્થાનો ત્યાં સુધી કહેવાં, જ્યાં સુધી કંડક માત્ર થાય. પછી પૂર્વેની રીતે સંખ્યયગુણાધિક સ્થાન પ્રસંગે અસંખ્યયગુણાધિક સ્થાન કહેવું. પછી ફરી પણ મૂલથી શરૂ કરીને પૂર્વ અતિક્રાન્ત કર્યા તે કહેવાં. પછી ફરી પણ ૭૧ તે આ પ્રમાણે અનંતાભાગવૃદ્ધિ - અસંખ્ય ભાગવૃદ્ધિ - સંખે ભાગવૃદ્ધિ-સંખે ગુણવૃદ્ધિ - અસંખ્ય ગુણવૃદ્ધિ ને અનંતગુણવૃદ્ધિ. અહીં દરેક વૃદ્ધિ અનંતવર્ગશાઓ સુધી પમાય છે. ૭૨ પ્રથમ સ્થાનની પ્રથમવર્ગણા તથા બીજા સ્થાનની પ્રથમવર્ગણા એ એના અંતરાલમાં સર્વજીવાતંતગુણ અવિભાગ યુક્ત અત્તરસ્થાન પ્રાપ્ત હોવાથી. ૭૩ પૂર્વોક્ત સ્નેહસંબંધી નામપ્રત્યય સ્પર્ધકોમાંના પ્રથમ રસસ્પર્ધકથી. ૭૪ સર્વજઘન્ય સ્નેહયુક્ત એક જ દેહમાં જે દેહપુગલો છે. તે સર્વમાં એક સરખો સ્નેહ નથી. પરંતુ ભિન્ન ભિન્ન પ્રકારનો સ્નેહ છે. તે તે ભિન્નતા પણ અનંત પ્રકારની છે. ને તે અનંત પ્રકારની ભિન્નતાવાળા સ્નેહવિભાગ યુક્ત પુગલોના સમુદાયરૂપ એક દેહસ્થાન કહેવાય. ઇતિ ભાવાર્થ. ૭૫ કંડક એ અંગુલના અસંખ્યાતમાભાગ પ્રમાણ અસંખ્યદર્શક સંજ્ઞાશબ્દ જૈનપરિભાષાએ જાણવો જે આગળ કહેવાશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy