SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનકરણ - અથ ૧લી સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા:- ) ત્યાં પ્રથમ સ્નેહપ્રત્યયસ્પર્ધકની પ્રરૂપણા કરવાની ઇચ્છાવાલા કહે છે. એક એક સ્નેહાવિભાગ વૃદ્ધિ યુક્ત પુગલ વર્ગણાઓનો સમુદાય રૂપ-સ્નેહ નિમિત્ત સ્પર્ધક (જે સ્પર્ધક પ્રરૂપણામાં માત્ર સ્નેહ એ જ નિમિત્ત ભૂત છે. તે સ્નેહપ્રત્યયસ્પર્ધક) તે સ્નેહપ્રત્યયસ્પર્ધક એક જ છે. અને તે સ્પર્ધકમાં અવિભાગ વર્ગણા એક એક “સ્નેહાવિભાગ અધિક પરમાણુ સમુદાય રૂ૫(વર્ગણાઓ) અનંત જાણવી. ત્યાં અલ્પ સ્નેહ વડે બંધાયેલા પુદ્ગલો તે ઘણાં હોય છે, અર્થાતુ ઘણાં નેહ વડે બંધાયેલા (પગલો) ઓછા હોય છે. તથા અસંખ્યલોકે દ્વિગુણહીના = પ્રથમ વર્ગણાથી આગળ અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ વર્ગણાઓ અતિક્રાન્ત કરી જે અગ્રિમ (અનંતર) વર્ગણા આવે તેના પુદ્ગલો પ્રથમ વર્ગણામાં રહેલ પુદ્ગલની અપેક્ષાએ દ્વિગુણહીન (અર્ધા) હોય છે. તેથી પણ તેટલાં પ્રમાણની વર્ગણાઓ અતિક્રાન્ત કરીને અગ્રિમ (અનંતર) વર્ગણામાં દ્વિગુણહીન હોય છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી વક્ષ્યમાણ (આગળ કહેવાશે.) સંખ્ય ભાગ હાનિગત અંતિમ વર્ગણા પ્રાપ્ત થાય. અહી ભાવાર્થ આ પ્રમાણે છે : જે સર્વ ઉત્કૃષ્ટ નેહનો કેવલિ પ્રજ્ઞારૂપ શસ્ત્ર વડે છેદીને નિર્વિભાગ ભાગ કરાય તે સ્નેહાવિભાગ. ત્યાં કેટલાક પરમાણુ જગતમાં એક સ્નેહાવિભાગથી યુક્ત હોય, તેઓના સમુદાય તે પ્રથમ વર્ગણા, બે સ્નેહાવિભાગ વડે યુક્ત જે પરમાણુ હોય તેઓના સમુદાય તે બીજી વર્ગણા. એ પ્રમાણે સંખ્યાત સ્નેહાવિભાગ વડે યુક્ત હોય તે સંખ્યય વર્ગણા કહેવી, અસંખ્ય સ્નેહાવિભાગ વડે યુક્ત હોય તે અસંખ્ય વર્ગણા, અને અનંત સ્નેહાવિભાગ વડે યુક્ત હોય તે અનંત વર્ગણા. અને તે સર્વ વર્ગણાનું એક સ્પર્ધક થાય છે, વચ્ચે એક એક અવિભાગ વૃદ્ધિ વ્યવચ્છેદના = અભાવથી એક એક અવિભાગ વૃદ્ધિ વ્યવેચ્છેદ તે સ્પર્ધકની પરિસમાપ્તિ થાય છે. અને કહ્યું છે કે “વૃત્તાવડૂતો છેમો ફા” તિ હવે આ વર્ગણાની પ્રરૂપણા બે પ્રકારે થાય છે. (૧) અનંતરોપનિધા અને (૨) પરંપરોપનિધા ત્યાં પ્રથમ - (૧) અનંતરોપનિધા:- પ્રરૂપણા કરાય છે. એક સ્નેહાવિભાગ યુક્ત પુદ્ગલ સમુદાયરૂપ પ્રથમ વર્ગણામાં જેટલાં પુદ્ગલો તેની અપેક્ષાએ બીજી વર્ગણામાં અસંખ્યયભાગહીન હોય છે. તેથી પણ ત્રીજી વર્ગણામાં અસંખ્યયભાગહીન હોય છે. એ પ્રમાણે દરેક વર્ગણાને અસંખ્યયભાગહીન પુદ્ગલો ત્યાં સુધી કહેવાં જ્યાં સુધી અનંત વર્ગણા જાય. તેથી અનંતર વર્ગણામાં પુદ્ગલો પૂર્વે કહી તે વણાગત પુદગલની અપેક્ષાએ સંખ્યયભાગહીન, તેથી આગળની વર્ગણામાં પુગલો સંખે ભાગહીન, એ પ્રમાણે સંખ્યયભાગહીન પણ અનંત વર્ગણા કહેવી. તેથી ઉપરની વર્ગણામાં પુદગલો પહેલા કહી તે વર્ગણાગત પુદ્ગલ અપેક્ષાએ સંખ્યયગુણહીન હોય છે. તેથી આગળની વર્ગણામાં પુગલો સંખ્યયગુણહીન, એ પ્રમાણે સંખ્યયગુણહીન પણ અનંત વર્ગણા કહેવી. તેથી અનંતર વર્ગણામાં પુગલો પહેલા કહી તે વર્ગણાગત પુદ્ગલ અપેક્ષાએ અસંખ્ય ગુણહીન હોય છે, તેથી આગળની વર્ગણામાં પુદ્ગલો અસંખ્યયગુણહીન, એ પ્રમાણે અસંખ્યયગુણહીન પણ અનંત વર્ગણા કહેવી. તેથી અનંતર વર્ગણામાં પુદ્ગલો પહેલા કહી તે વર્ગણાગત પુદ્ગલો અપેક્ષાએ અનંતગુણહીન હોય છે, તેથી આગળની વર્ગણામાં પુદ્ગલો અનંતગુણહીન કહેવાં, એ પ્રમાણે અનંતગુણહીન પણ અનંત વર્ગણા કહેવી જ્યાં સુધી સર્વ ઉત્કૃષ્ટ વર્ગણા થાય. તે પ્રમાણે અનંતરોપનિધા પ્રરૂપણા કરી. ૬૪, પુદ્ગલોનો પરસ્પર સંબંધ સ્નેહથી થાય છે. તેથી અહીં સ્નેહનો વિચાર કરવામાં આવે છે. તત્વાર્થાધિરમસુત્ર પંચમ અધ્યાય સુત્ર ૩૨ માં ““ઘિક્ષતાકુનઃ' થી નિગ્ધતા અને રુક્ષતા એ બંને પુદગલોનો પરસ્પર સંબંધ થવામાં કારણ કહેલ છે અને અહીં તો રુલતાની વિચારણા કરવામાં આવી જ નથી તેનું કારણ સ્નિગ્ધતાના ઉપલક્ષણથી રુલતાનું પણ ગ્રહણ કર્યું હોય તેમ લાગે છે. અથવા તો વ્યવહારમાં કોઈ પણ વસ્તુઓ પરસ્પર સંબંધ થવામાં ચીકાશને કારણ માનવામાં આવે છે, તેથી અહીં સ્નિગ્ધતાની જેમ રુક્ષતાને પણ સ્નેહ શબ્દથી બતાવેલ હોય તેમ લાગે છે. તેમજ સ્નિગ્ધ અને રુક્ષ એ સ્પર્શ વિશેષ છે, અને અહી એ બન્ને સ્પર્શીને સ્નેહશબ્દથી કહ્યા હોય તેમ લાગે છે. ' જગતમાં રહેલ કોઇપણ પુગલોનો પરસ્પર સંબંધ થવામાં પુગલોમાં જે કુદરતી સ્નેહ છે તેનો વિચાર સ્નેહપ્રત્યયસ્પર્ધકમાં કરવામાં આવશે. પંદર પ્રકારના બંધનનામકર્મના ઉદયથી પૂર્વે ગ્રહણ કરાયેલ અને નવીન ગ્રહણ કરાતાં પુદ્ગલોનો પરસ્પર સંબંધ થતી વખતે તે સંબંધ થવાના કારણભૂત જીવના સામર્થ્ય વિશેષથી પુદ્ગલોમાં જે સ્નેહ ઉત્પન્ન થાય છે. તેનું સ્વરૂપ નામપ્રત્યયસ્પર્ધકમાં અને યોગથી કર્મરૂપે ગ્રહણ કરાતી કાર્મસવર્ગણાના પગલોનો આત્મપ્રદેશો સાથે એકાકારરૂપે સંબંધ થવામાં કારણભૂત જીવના સામર્થવિશેષથી જે સ્નેહ ઉત્પન્ન થાય છે. તેનો વિચાર પ્રયોગપ્રત્યયસ્પર્ધકમાં કરવામાં આવશે. ટીકામાં ઘણે ઠેકાણે સ્નેહને બદલે રસ શબ્દ વાપરેલ છે. પરંતુ રસથી આ સ્નેહ જ સમજવાનો છે. અને તેનાથી જ સ્કંધો અને વર્ગનાઓ બને છે, માટે પ્રથમ સ્નેહપ્રત્યયસ્પર્ધકનું અને પછી આત્માના સામર્થ્ય વિશેષથી ગ્રહણ કરાતાં પુદ્ગલોમાં જે વધારે સ્નેહ ઉત્પન્ન થાય છે તે સ્નેહનું સ્વરૂપ નામપ્રત્યય અને પ્રયોગપ્રત્યય સ્પર્ધકમાં કરવામાં આવશે. પરંતુ કર્મપરમાણુઓમાં શુભાશુભ ફળ આપવાની શક્તિરૂપ જે રસ છે, તે રસ આત્માના કાષાયિક અધ્યવસાયો દ્વારા ગ્રહણ કરતી વખતે અધ્યવસાયોને અનુરૂપ ઓછો છે કે વધારે ઉત્પન્ન થાય છે, અને તેનું સ્વરૂપ હવે પછી અનુભાગબંધના સ્વરૂપમાં ગ્રંથકાર પોતે બતાવવાના છે તેથી અહીં રસ શબ્દથી તે રસ સમજવાનો નથી પણ સ્નેહ સમજવાનો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy