SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ ( - અથ જીવ કયા પુદ્ગલોને દેશથી કે સર્વ આત્માવડે ગ્રહણ કરે? તે સ્વરૂપ - ) एगमवि गहणदवं, सव्वप्पणयाइ जीवदेसम्मि । सवप्पणया सव्वत्थ वावि सबे गहणखंधे ॥ २१ ॥ एकमपि ग्रहणद्रव्यम्, सर्वात्मना जीवदेशे। सर्वात्मना सर्वत्र वाऽपि सर्वे ग्रहणस्कन्धे ।। २१ ।। ગાથાર્થ :- એક જીવ પ્રદેશાવવાહિત એક ગ્રહણ પ્રાયોગ્ય દ્રવ્યને જીવ સર્વ પ્રદેશોવડે ગ્રહણ કરે છે, અને સર્વપ્રદેશાવગાહિત સર્વગ્રહણપ્રાયોગ્ય સ્કંધોને પણ જીવ સર્વપ્રદેશોવડે જ ગ્રહણ કરે છે. ટીકાર્થ - હવે પુદગલોને જીવ દેશથી ગ્રહણ કરે છે. અથવા સર્વ આત્મા વડે એ પ્રમાણે પ્રશ્ન અવકાશ થયે છતે કહે છે. - અહીં જીવ સ્વ પ્રદેશમાં અવગાહી રહેલ જ દલિકને ગ્રહણ કરે છે, પણ અનન્તર કે પરંપર પ્રદેશે અવગાહી (રહેલ દલિકને ગ્રહણ કરે) નહીં. એ પ્રમાણે એક જીવ પ્રદેશે અવગાહેલું જે ગ્રહણ પ્રાયોગ્ય એક પણ (દલિત) સર્વ આત્મ સર્વ જે આત્મપ્રદેશોવડે ગ્રહણ કરે છે. સર્વ જીવપ્રદેશો શૃંખલા અવયવની જેમ પરસ્પર સંબંધ વિશેષ હોવાથી સ્વ ક્ષેત્રમાં (આત્મપ્રદેશો જે આકાશપ્રદેશમાં અવગાહ્યા છે તે જ આકાશ પ્રદેશોમાં) અવગાહ કરી રહેલા ગ્રહણ પ્રાયોગ્ય દ્રવ્યને ગ્રહણ કરવાને માટે એક જ જીવ પ્રદેશ વ્યાપારિત થયે છતે અનંતર પરંપરા વડે તે દ્રવ્ય ગ્રહણ કરવાને માટે સર્વ પણ (આત્મપ્રદેશો પ્રયત્નશીલ થાય છે) જેમ ઘટાદિ પદાર્થને હસ્તના અગ્રભાગવડે ગ્રહણ કરતાં મણિબંધ, કોણી, ખભા આદિ અવયવો પ્રયત્નવાનું થાય છે. તથા સવ િવા વિ''ત્તિ સર્વ પણ જીવ પ્રદેશોને વિષે જે અવગાહ ગ્રહણ પ્રાયોગ્ય સ્કંધો છે તે બધાને જીવ સર્વ આત્માપ્રદેશોવડે ગ્રહણ કરે છે. એક એક પ્રદેશમાં રહેલ સ્કંધને ગ્રહણ કરવામાં સર્વ જીવ પ્રદેશોનું (અનંતર કે પરંપરાપણે) વ્યાપારપણું સિદ્ધ થાય છે. બધી જગ્યાએ રહેલ સ્કન્ધોને ગ્રહણ કરવામાં સર્વ જીવ પ્રદેશોનો વ્યાપારપણું સંગત છે. ( -: અથ સ્નેહ પ્રરૂપણા - ) णेहपच्चयफड्डग-मेगं अविभागवग्गणा णंता । દસેળ વહૂ વા, સંતોને કુળદીના ૨૨ | * स्नेहप्रत्ययस्पर्धक-मेकम् अविभागवर्गणा अनन्ताः । દૂર્લેન દવઃ વઢી, બસંઘે તો દિ દીનાઃ || ૨૦ | ગાથાર્થ :- નેહપ્રત્યય સ્પર્ધક એક જ છે., ને તેની અવિભાગ વર્ગણાઓ અનંત છે. તથા અલ્પસ્નેહ યુક્ત પગલો ઘણાં છે ને અસંખ્યલોકપ્રમાણ વર્ગણાને અતિક્રમતાં જે જે વર્ગણા આવે તેમાં દ્વિગુણહીન દ્વિગુણહીન પુદ્ગલો હોય છે. ટીકાર્ય :- અહીં પુદ્ગલ દ્રવ્યનો પરસ્પર સંબંધ સ્નેહથી થાય છે. તેથી સ્નેહપ્રરૂપણા કરવી જોઇએ. અને તે ત્રણ પ્રકારે છે. (૧) સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા. (૨) નામપ્રત્યયસ્પર્ધકપ્રરૂપણા. (૩) પ્રયોગપ્રત્યયસ્પર્ધકપ્રરૂપણા. (૧) ત્યાં નેહનિમિત્તક જે સ્પર્ધકની પ્રરૂપણા કરાય તે સ્નેહપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા. (૨) શરીર બંધન નામકર્મના ઉદયથી પરસ્પર બંધાયેલા શરીર પુદ્ગલોના સ્નેહની અપેક્ષાએ (સ્નેહ સંબંધી) જે પ્રરૂપણા કરાય તે નામપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા. ૩) પ્રકૃષ્ટ યોગ (ઉત્કૃષ્ટ યોગ) તે પ્રયોગ તેના નિમિત્ત વડે ગ્રહણ કરેલા જે પુલો તેના સ્નેહને અધિકારીને જે સ્પર્ધક પ્રરૂપણા કરવી તે પ્રયોગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005572
Book TitleKarm Prakruti Part 01
Original Sutra AuthorN/A
AuthorKailashchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy