SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૬). સર્ગ - ૨ હવે ગોકુલથી આવેલા ગોપાલ બાલકોથી પરિવરેલા બલભદ્ર અને કૃષ્ણ આશ્ચર્યથી ખૂલી ગયેલા નયનોવાળા નગરજનોથી જોવાતાં જ્યાં મથુરાના દ્વાર પર આવ્યા, ત્યાં જ મદથી ભરેલા મહાતોફાની, મદોન્મત્ત, બીજા હાથીને સહન ન કરનારા ગંધહસ્તિ ત્યાં બાંધેલા હતા. કંસથી આદેશ કરાયેલા મહાવતથી પ્રેરિત થયેલા પદ્યોત્તર અને ચંપક નામના ગંધહસ્તિઓ બલભદ્ર અને કૃષ્ણને હણવા માટે દોડ્યા. પોત્તર નામનો હાથી કૃષ્ણને હણવા માટે દોડ્યો. ચંપક નામનો હાથી બલભદ્રને હણવા. માટે દોડ્યો. હાથીને શિક્ષણ આપવામાં વિચક્ષણ કૃષ્ણ હાથીને રમાડ્યો. પછી તે દુષ્ટ હાથીને નિષ્ફર મુષ્ટિથી ખતમ કરી નાખ્યો. બલભદ્ર પણ ચંપક નામના બીજા હાથીને જોઈને સિંહની જેમ ઉછાળીને કુંભસ્થલને ભેદીને તેણે હણી નાખ્યો. પછી બલભદ્ર અને કૃષ્ણ મથુરામાં જતાં ઉડેલ રેતીથી છવાયેલા પુષ્પોના શણગારથી શોભતા મલ્લ મંડપમાં ગયા. બલભદ્ર સાથે કૃષ્ણ રંગમંડપમાં પ્રવેશ કરે છે. ત્યાં લોકોની દૃષ્ટિ આશ્ચર્યથી વિકસ્વર થઈ. તે બધા લોકો કૃષ્ણને જોઈને પરસ્પર આ પ્રમાણે બોલ્યા. આ તે છે કે જેને કેશી નામના ઘોડાને હણ્યો હતો અને બળદને પણ તે હણનારો છે. ગોપાલતિલક હાથીનો ઘાતક તે આ છે અને સર્પના અભિમાનને હણનારો તે આ નંદનો પુત્ર કૃષ્ણ છે. એ પ્રમાણે પ્રશંસા કરતાં લોકો પરસ્પર એકબીજાને બતાવે છે. તે મંડપમાં કૃષ્ણ જઈને બીજા લોકોને છોડીને એકલો દુ:ખે કરીને ચડી શકાય તેવા ઊંચા મંચ પર ચઢી ગયો. પછી બલભદ્ર કૃષ્ણને કહ્યું : “હે વત્સ ! હે બંધુવત્સલ ! આ બાજુ દૃષ્ટિને ફેરવો. મુગુટ, બાજુબંધ, કુંડલ, હારથી શોભતો (યુક્ત) ઊંચા આસને બેઠેલો તારા ભાઈઓનો ઘાતક આ કંસ છે, એમ તું જાણ (તારે જાણવો). આ બાજુ પણ સ્વબંધુ વર્ગને પ્રેમની દૃષ્ટિથી જો. આ સમુદ્રવિજય તારો મોટો કાકો છે અને આ વિશ્વવિખ્યાત યશવાળા વિદ્યાધરી રાજકુમારીના પ્રાણપ્રિય તારા પિતા વસુદેવ છે. આ અક્રૂર વગેરે શૌર્ય સિન્ધવ તારા બંધુ (ભાઈ) છે. હે બાંધવ ! આ બાજુ જો સમુદ્રવિજય આદિ દશાહ તને સૌમ્યદૃષ્ટિથી જુએ છે.” એ પ્રમાણે બલભદ્ર કહેતાં ક્રોધથી વિહ્વલ બનેલી દષ્ટિ વડે કંસને જોઈને મૂક બની ગયો. ત્યાં બ્રહસ્પતિ મંત્રીને કંસે કહ્યું કે : “હે મંત્રીન્ ! મુનિના વચનો નિષ્ફલ થયા. કારણ કે આ મલ્લયુદ્ધ મંડપમાં મારો કોઈ દુશ્મન જ નથી, તેથી કોઈ આવ્યો નથી.” મંત્રીએ કહ્યું : “સ્વામિન્ ! આવ્યો હશે. પરંતુ તે જણાતો નથી. પછી ચાણૂર અને મૌષ્ટિક પરસ્પર યુદ્ધ કરતાં બધા રાજાઓના જોતાં જમણા હાથને ઊંચો કરીને ચાણૂર કૃષ્ણને કટાક્ષ કરતી વાણીથી બોલ્યો : “હે રાજાઓ ! હે ક્ષત્રિયો ! આ બધાની વચ્ચે જે કોઈપણ પોતાને શૂરવીર, પરાક્રમી, અભિમાની પુરુષ માનતો હોય તે મારી સાથે મલ્લયુદ્ધથી યુદ્ધ કરે ? જો બધી સ્ત્રીઓ હોય તો મૌની બનો (મૂક રહો).” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy