SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૨ [૩૫]. પાંડવ ચરિત્રમ્ - કૃષ્ણ કહ્યું : “હે બંધુ ! તમે મારી માતાનો તિરસ્કાર કેમ કર્યો ? તેમજ તમે મારી માતાને દાસી, એ પ્રમાણે કહીને શા માટે તિરસ્કાર કર્યો ? માતાનો તિરસ્કાર કરવાનું કારણ મારા દુઃખનું કારણ છે.” રોહિણી નંદન (બલભદ્ર) કૃષ્ણને હાથથી પકડીને બાજુમાં બેસાડીને આ પ્રમાણે બોલ્યા : “યશોદા તારી માતા નથી, નંદ તારો પિતા નથી. પરંતુ આપણા બંનેના પિતા સૌભાગ્યશાલી વસુદેવ છે. તારી માતા દેવક રાજાની દેવકી નામની રાજપુત્રી છે. તેમજ કુશાવર્ત દેશના રાજા સમુદ્રવિજયાદિ રાજાઓ તારા કાકાઓ છે. બધા યાદવો તારી જ્ઞાતિના છે. તને અને મને જ્ઞાનીઓએ અર્ધભરતના અધિપતિ (વાસુદેવ) અને બલદેવ કહ્યા છે. તારા જેવા પુરુષનો આવા ગોપાલ કુલમાં જન્મ કેમ સંભવે ? (થાય) ? જેમ મરૂભૂમિમાં શું કલ્પવૃક્ષનો સંભવ હોય ? પરંતુ દેવકી અને વસુદેવે કંસના ભયથી આ ગાયથી ભરેલા ગોકુલમાં તને સંતાડ્યો હતો.” ત્યારે કૃષ્ણ કહ્યું : “હે ભાઈ ! આવો ભય શા માટે ? જેથી કરીને આ ગાયથી ભરેલા ગોકુલમાં પિતાએ મને નાંખ્યો (સંતાડ્યો).” પછી બલભદ્ર ભાઈઓનો વધ આદિ સર્વ વૃત્તાંત કૃષ્ણને કહ્યો. કારણ કે જેમ ખેડૂતે સમયે વાવેતુ બોજ ફળે છે. તેમ તેનું (બલભદ્ર)નું વચન ફલવાન થયું. હવે બંધુના વધથી ક્રોધે ભરાયેલ કૃષ્ણ બોલ્યા : “હે સિદ્ધ ગાંધર્વો ! હે દેવ દાનવો ! એક ક્ષણવાર મારા વચનો સાંભળો.” બધા રાજાઓના દેખતાં પાપી એવા કંસને જો હું ના હણું તો ત્યારે મને નક્કી તે ભૂણ હત્યાનું પાપ લાગે.. ઇત્યાદિ વચનો સાંભળીને સંતોષ પામેલા બલભદ્ર કૃષ્ણને કહ્યું : “હે બંધુ ! તે આપણા કુલમાં તિલકની જેમ આચરણ કર્યું છે. જે તે આવા પ્રકારની પ્રતિજ્ઞા કરી છે, તેથી ચાલ (આવો, આપણે હમણાં યમુના નદીના પાણીમાં સ્નાન કરીને મથુરા જઈએ.” એ પ્રમાણે કહીને બલભદ્ર કૃષ્ણને યમુના નદીએ લઈ ગયા. તેના પાણીમાં કાલિય નામનો દષ્ટિવિષ સર્પ હતો. યમુના નદી કાંઠે રહેનારા જાતે ક્રિડા કરતા કૃષ્ણને જોવા માટે દોડી આવ્યા. સામે આવતા સર્પને જોઈને સર્વ લોકોએ હાહાકાર મચાવી દીધો. તે પણ અત્યંત કાળા વર્ણવાળો, ફેલાવેલી વિશાળ ફણાવાળો, ભયંકર તેજીલા વિષથી જ્યાં કેશવ (કૃષ્ણ)ને ડેસે છે. તેટલામાં એણે તે સર્પને કમળની નાળની જેમ ગળાના ભાગથી પકડી લીધો. તે નાગને કમલ નાલથી બાંધીને, તેના પર બેસીને જાતિવાન ઘોડાની જેમ ચલાવ્યો. દુઃખે કરીને વશ કરી શકાય તેવા સર્પનું દમન કરતો જોઈને નભમાં ચાલતા વિદ્યાધરો વિમાનોને રોકીને આશ્ચર્ય પામેલા તે ઉભા રહ્યા. કૃષ્ણ તે સર્પને અહીં તહીં ભમાવીને એવું કર્યું કે જેથી વિષ વગરનો થયો. પછી કૃષ્ણ તેને મૃતપ્રાયઃ જોઈને દૂર ફેંકી દઈને નદીના પાણીમાં સ્નાન કરીને કાંઠે આવ્યો. પછી યમુના કાંઠે રહેનારા વિદ્યા વિનાના થઈ ગયેલા તપસ્વી (સાધુ)ઓએ યોગ્ય શબ્દમાં તેને (કૃષ્ણને) અભિનંદન આપ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy