SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૮ પાંડવ ચરિત્રમ્ કહ્યું છે કે :- અનુક્રમે ઘાતિકર્મોને ખમાવીને અને માતાની સાથે સમયમાત્રમાં અંતકૃત કેવલજ્ઞાનના પ્રકાશવાળા બનેલા તે પાંડવોએ મુક્તિમહેલનો આશ્રય કર્યો. પાંડવોની પાછળ અનંત ચતુષ્યને પ્રાપ્ત કરેલા બે હજારને પાંચશો મુનિઓ શિવસઘને પામ્યા. અત્યંત પુણ્યશાળી દ્રૌપદીએ પાંચમો દેવલોક પ્રાપ્ત કર્યો અને બીજા મુનિઓમાં પણ કેટલાક મુનિઓએ સ્વર્ગ અને કેટલાક મુનિઓએ મોક્ષને પ્રાપ્ત કર્યું. હવે નારદ દેવમુનિએ, દ્વારકાનો દાહ અને નેમિનાથનું નિર્વાણ સાંભળીને તે જ શ્રી શત્રુંજયની ટોચે ભવનાશક અનશન સ્વીકાર્યું. પછી ચારનું શરણ લઈને ચાર મંગલનું પણ હૃદયમાં ધ્યાન ધરીને મન, વચન અને કાયાની શુદ્ધિ વડે ચાર કષાયોને ત્યજીને સમ્યક્ત અને ભાવચારિત્રને સ્વીકાર્યું. ચાર પ્રકારના ધર્મનો આશ્રય કરતાં ચોથા ધ્યાનમાં રહેલા શુક્લધ્યાનનો ચોથો અંશ પામીને નારદ મુનિ પંચમી ગતિ (મોક્ષ)ને પામ્યા. તેની પાછળ નિર્મળ અનશનથી પવિત્ર બનેલી દ્રૌપદી અનશનપૂર્વક વિધિવત્ મૃત્યુ પામીને પાંચમા દેવલોક (બ્રહ્મલોક)માં દેવપણું પામી. યાને દેવ બની. તે ગિરિના શિખર પર તે પાંડવ મુનિઓનો નિર્વાણ ઉત્સવ દેવોએ કર્યો. જેમ કે દેવોએ કલ્પવૃક્ષના કાષ્ટના અગ્નિ વડે ભક્તિપૂર્વક તે તે પ્રકારની વિધિ સાચવીને, તે શરીરધારીઓનો અગ્નિસંસ્કાર કર્યો અને જગતને ઇચ્છિત તે પર્વતની ટોચ પર નૃત્ય કરતી દેવાંગનાઓના સંગીતયુક્ત નિર્વાણ મહિમાને બતાવતો મહોત્સવ કર્યો. આ પાંડવ ચરિત્ર મહાશાસ્ત્ર છે. કારણ કે એકપણ મહાત્માનું ચરિત્ર જે શાસ્ત્રમાં હોય છે, તે કલ્યાણના ઘરરૂપ મહાશાસ્ત્ર કહેવાય છે. જે શાસ્ત્રમાં શ્રી નેમિ, હરિ (કૃષ્ણ) પ્રતિવાસુદેવ, બલભદ્ર, પાંડવો, કૌરવો, ભીખ, કર્ણ, કૃપા આદિ મહાપુરુષોનું વર્ણન કર્યું છે, તેનું શું કહેવું? તેની શી વાત કરવી ? છઠ્ઠું અંગ ઉપનિષત્રિષષ્ટિ ચરિત્રાદિ જોઈને કુતૂહલથી આ પાડુપુત્ર પાંડવોનું ચરિત્ર મેં વર્ણવ્યું છે, તેમાં અજ્ઞાનરૂપ અંધકારને વશ કંઈ ઉસૂત્ર લખાયું હોય તો મારા ઉપર ઉપકારની બુદ્ધિથી પંડિતજનોએ શુદ્ધિ કરવી. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી શ્રી શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર સંપ્રતિ વિજયમાન ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિ રાજ્ય પંડિત દેવવિજય ગણિએ રચેલું સુંદર ગદ્યબધા શ્રી પાંડવ ચરિત્રને વિષે પાંડવ દીક્ષા ગ્રહણ, શ્રી નેમિનાથનું નિર્વાણ પાંડવ મોક્ષગમન અને ગ્રંથપ્રશસ્તિ નામનો અઢારમો સર્ગ સમાપ્ત થયો. ઈતિ શ્રી પાંડવ ચરિત્ર સમાપ્ત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy