SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ (૩૯૪ સર્ગ - ૧૮ પહેલી લતાના પારણે વિગઈ, એ પ્રમાણે બીજી લતાના પારણે નીવિ, એમ ત્રીજી લતાના પારણે સૂકી વસ્તુઓ (ખાખરા, પૂરી વગેરે) અને ચોથી લતાના પારણે આયંબિલ કરે. હવે શાન્તનું નામના બીજા સાધુએ રત્નાવલિ તપ કર્યો હતો. જેવી રીતે કનકાવલિ તેવી રીતે રત્નાવલિ પણ માત્ર ફરક એટલો કે ત્રણેય સ્થાનમાં છઠ્ઠ તપ કરવો. એને એક લતાનો કાળ કહે છે. તે આ પ્રમાણે :- એક વર્ષ, ત્રણ મહિના, બાવીસ અહોરાત્રિ સારી રીતે આરાધના થાય છે. એમ ચાર લતાઓનો મળીને કાળ પાંચ વર્ષ, બે મહિના, અઠ્યાવીશ દિવસે રત્નાવલિ તપ પૂર્ણ થાય. દેવ નામના ત્રીજા મુનિએ મુક્તાવલિ તપ કર્યો હતો. તે આ પ્રમાણે : જેમ કે, એક પારણે, બે-બે પારણે, ત્રણ.... એ પ્રમાણે એક એક વૃદ્ધિ કરતાં સોળ ઉપવાસ સુધી પહોંચવું. પછી સોળ કરી પારણે પંદર, એમ એક એક ઓછા કરતાં એક સુધી આવે. તેના પારણા પછી છઠ્ઠ કરવો. તે આ એક લતા થઈ. ઉપર મુજબ પારણા કરતાં ચાર વર્ષે આ મુક્તાવલિ તપ પૂર્ણ થાય.' હવે સુમતિ નામના ચોથા મુનિએ સિંહનિષ્ક્રીડિત તપ કર્યો હતો. તે આ પ્રમાણે :- પ્રથમ એક ઉપવાસ પછી બે, એક, ત્રણ, બે, ચાર-ત્રણ, પાંચ-ચાર, પાંચ-સાત, છ, આઠ, સાત નવ, આઠ, નવ, સાત, આઠ આ પ્રમાણે સિંહનિષ્ક્રીડિત તપ પૂર્ણ થાય.” પ્રાકૃત શ્લોકમાં કહ્યું છે કે – છે, સાત, પાંચ, ચાર, ચાર, પાંચ, ત્રણ, ચાર, બે, ત્રણ, એકબે પછી એક ઉપવાસ આ રીતે ઉપવાસ કરવાથી લઘુસિંહનિષ્ક્રીડિત તપ થાય. રા એક લતાના ૧૫૪ દિવસ ઉપવાસના અને તેત્રીશ પારણાના કુલ મળી-૧૮૭ દિવસ, એટલે કે છ મહિના અને સાત દિવસ થાય. ચાર લતાના મળીને બે વર્ષ અને અઠ્ઠાવીશ દિવસે સિંહનિષ્ક્રીડિત તપ પૂરો થાય. તેમાં પહેલી (૧) લતાના પારણે વિગઈ (ઘી-ગોળ-ખાંડાદિ), બીજી (૨) લતાનાં પારણે નીવિ વિગઈ, ત્રીજી (૩) લતાના પારણે સૂકી ચીજો અલેપ (ખાખરા-પૂરી-સેવાદિ) અને ચોથી (૪) લતાનાં પારણે આયંબિલ, આ રીતે લઘુસિંહનિષ્ક્રીડિત તપ પૂર્ણ થાય. હવે મહાસિંહનિષ્ક્રીડિત તપ કહે છે : પ્રથમ એક ઉપવાસ, પછી અનુક્રમે બે, એક, ત્રણ, બે, ચાર, ત્રણ, પાંચ, ચાર, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, દશ, નવ, પાંચ, ચાર, છ, પાંચ, સાત, સાત, છ, આઠ, સાત, નવ, દશ, નવ, અગિયાર, દશ, બાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy