SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૭ ૩૮૫ પાંડવ ચરિત્રમ્ જેમ કે મનથી, વચનથી અને કાયાથી અમારા વડે જે પાપ બંધાયું હોય તે ત્રિવિધ ત્રિવિધે મિથ્યા થાઓ ! અમે સમસ્ત જીવોને ખમાવીએ છીએ. તે પણ સર્વ અમને ખમાવો. ભૂલ માફ કરો ! સર્વ પ્રાણીઓ પર અમારો મૈત્રીભાવ વર્તી રહો. કોઈ પર અમને વૈરભાવ નથી. આજથી લઈ આજીવન અમારે ત્યારે પ્રકારના આહારના ત્યાગની પ્રતિજ્ઞા હો. એમ કહીને તેઓએ અનશન સ્વીકારી લીધું. સ્વીકારેલા અનશનવાળા વસુદેવ, દેવકી, રોહિણી આદિ સાનંદ પંચપરમેષ્ઠીનું વારંવાર સ્મરણ કરે છે. એ પ્રમાણે તેઓ અનશન કરીને રહ્યા. પછી તેઓની રજા પામેલો હું બલભદ્ર સાથે પાછળ પાછળ જોતો જાઉં છું. ત્યારે જ અર્ધ બળેલો દરવાજાનો ઉપરનો ભાગ તેઓની ઉપર પડ્યો. તે ત્રણે નમસ્કાર મંત્રને ગણતાં મૃત્યુ પામી દેવલોકમાં ગયા. તે પછી હું બલભદ્રની સાથે લોકોનું આક્રંદ સાંભળતો મહાદુઃખથી ભરેલો હાહાકાર અને આ.... રે.. રે... કરતો સળગતી દ્વારિકાને જોતો નગરીના લોકોને જોરથી રોતાં, કકળતાં, બોલતાં, સાંભળતો. તેથી કાન ફાટી ગયેલા જેવો (કાનમાં ધાક પડી ગયેલો) ભૂખથી, તૃષાથી પીડાતો જીર્ણ થયેલા બગીચામાં આવ્યો. ત્યાં અમે બેઉએ ચિંતવ્યું. અરેરે ! નસીબે શું કર્યું ? એ પ્રમાણે દુઃખમાં ડૂબેલો મને જોઈને બલભદ્રે કહ્યું : “હે બંધુ ! ખેદને કર નહિ. પ્રભુએ કહેલું સંસારનું આ નાટક શું ન સાંભળ્યું ! જો ન સાંભળ્યું હોય તો ફરી સાવધાન થઈને હમણાં સાંભળ.” જેમ કે કર્મ પરિણામરૂપ સૂત્રધાર (નાયક) અટક્યા વિના વિવિધ વેશને ધારણ કરતાં નાટકના પાત્રરૂપ પ્રાણીઓને ઉશૃંખલ ઉત્સાહવાળો તે પોતાની બુદ્ધિ પ્રમાણે આપેલી ભૂમિકા હર્ષ-શોક આદિ ભાવના પરિવર્તન દ્વારા નચાવે છે. ll૧-૨ (યુમ) વળી ભવરૂપ રંગમંડપમાં રહેલા સર્વ પ્રાણીઓને તે સૂત્રધારે બાંધેલા છે. તેથી હે કૃષ્ણ ! ખેદને ન કર ! એ પ્રમાણે બલભદ્ર કહેલું સાંભળીને કૃષ્ણ કહ્યું : “હે ભાઈ ! હવે આપણે શું કરવું ? ક્યાં જવું? કારણ કે બધાય રાજાઓ આપણા શત્રુ થયા છે.” બલભદ્રે કહ્યું : “હમણાં આપણે ફરી પાંડવોની પાસે જવું. કારણ કે તે મહાત્માઓ અને ભાઈઓ ઉપકાર કરનારાઓનો ઉપકાર ભૂલનારા નથી. એટલે કે કૃતજ્ઞ છે.” કહ્યું છે કે : બે પુરુષોએ પૃથ્વીને ધારી રાખી છે. બે પુરુષોને પૃથ્વીએ ધાર્યા છે. જેનામાં ઉપકાર કરવાની બુદ્ધિ છે અને ઉપકારીઓનો ઉપકાર ભૂલતા નથી. અપકાર કરવા છતાં સર્જન પુરુષો પોતાના સૌજન્યને પણ છોડતા નથી. જેમ બાળવા છતાં પણ કપૂર પોતાની સુગંધને ત્યજતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy