SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩િ૭૮) સર્ગ - ૧૭. તારા પાંડવ બંધુઓ ક્યાં રહે ? આ અર્ધ ભારતની સર્વ પૃથ્વી તારી જ છે. આથી પ્રસન્ન થઈ સ્વબંધુઓને કોઈપણ સ્થાનમાં રહેવા માટેનો આદેશ કરો. એટલે કે રહેવા માટે સ્થાન આપો. જ્યાં તે પાંડવો તારી છત્રછાયામાં સુખપૂર્વક રહે.” કૃષ્ણ કુન્તીને કહ્યું : “હે ફોઈ ! વિવેક વિનાના અને જેને ઉપકાર ઉપર અપકાર કર્યો છે (કૃતઘી), એવા તે પાંડવો તમારી વિનંતીથી દક્ષિણ સમુદ્રના કિનારા પર નવી પાડુ મથુરાને બનાવીને સુખપૂર્વક રહે.” આવા પ્રકારનું કૃષ્ણના મુખથી સાંભળીને હસ્તિનાપુર આવીને તે વૃત્તાંત પુત્રોની આગળ કહ્યો. પછી તે પાંડવો ત્યાં દક્ષિણ સમુદ્રના કિનારે જઈને પાંડુ મથુરા નામની નવી નગરી બનાવીને સુખપૂર્વક રહ્યા. હવે કૃષ્ણ હસ્તિનાપુરને સ્વામિ વિનાનું જાણીને પોતાના ભાણેજ (અભિમન્યુ) અને ઉત્તરાનો પુત્ર અને સુભદ્રાર્જુનનો પૌત્ર પરિક્ષિત નામવાળા પૌત્રને તે રાજ્ય પર બેસાડ્યો. એ પ્રમાણે કૃષ્ણ, પાંડવ, પરીક્ષિતાદિના પોતપોતાના રાજ્યનું પાલન કરતાં દિવસો પસાર કરે છે. એક દિવસ સહસાવને નેમિજિન સમોસર્યા. ભગવાનનું સમવસરણ જોઈને ઉદ્યાનપાલકે સમાચાર આપ્યા (વધામણી આપી). કૃષ્ણ તેને દાન આપીને વંદન માટે દ્વારિકામાંથી બહાર નીકળ્યા. ભગવાનની દેશના સાંભળીને દેશના પૂર્ણ થયે સ્વામિને નમીને પૂછ્યું : “હે ભગવન્! આ દ્વારિકા નગરીની શોભાનો ઝગમગાટ કયા નિમિત્તથી વિનાશ પામશે. મારું પણ મૃત્યુ કોના હાથે થશે. એ કહો !” સ્વામિએ કહ્યું: “હે કૃષ્ણ ! આ દ્વારિકા નગરી દારૂના કારણથી દૈપાયન ઋષિથી વિનાશ પામશે. પીડા કરાયેલા તે દ્વારિકાનો વિનાશ કરવા માટે નિયાણું કરી મરીને અગ્નિકુમાર દેવમાં ઉત્પન્ન થયેલા આ દ્વારિકાને યાદવો સહિત લોકોની સાથે ભસ્મસાત્ કરશે.” હવે તારું મૃત્યુ આ આગળ બેઠેલા તારા અત્યંત પ્રેમવાળા ભાઈ જરાકુમારથી થશે. ઇત્યાદિ પ્રભુની વાણી સાંભળીને સર્વે સભાજનો હૃદયમાં દુઃખી થયેલા શ્યામ મુખી થયા. અહો ! મરણની બીક કેવી છે ? જેમ કે મુસાફરી જેવી જરા (વૃદ્ધત્વ) નથી, દારિદ્ર સમો પરાભવ નથી. મરણ સમો ભય નથી અને ભૂખ સમી કોઈ વેદના નથી. તેવી રીતે બધાય યાદવોની ક્રૂર દૃષ્ટિ જ્યારે જરાકુમાર પર પડી અને ચિંતવે છે - આ જરાકુમારને ધિક્કાર હો. ગાઢ સ્નેહીબંધુ કૃષ્ણને હણશે. ધિક્કાર હો સંસારને, આવા પ્રકારની પણ દેવે બનાવેલી દ્વારિકા વિનાશને પામશે. અહો ! સંસાર અનિત્ય છે. કહ્યું છે કે મસ્તક પર મૃત્યુ રહ્યું છે. જો એને લોકો જુએ તો આહાર પણ ખાવો ન ગમે, તો પછી પાપકારી કૃત્યો પણ કેમ ગમે? સંપત્તિ જલતરંગ જેવી છે, યવન ત્રણ-ચાર દિવસનું છે. શરદઋતુના વાદળા જેવું આયુષ્ય ચંચળ છે, તો પછી ધન વડે શું? શુદ્ધ ધર્મને કરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy