SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ પાંડવ ચરિત્રમ્ ૩૭૪ સર્ગ - ૧૭. જોઈને કોપથી લાલ આંખવાળા કૃષ્ણ ભયંકર દાઢાવાળું મુખ બનાવી નર અને સિંહના રૂપવાળું શરીર બનાવ્યું. પગ પછાડવા પૂર્વક પૃથ્વીને કંપાવતા, પર્વતો હલાવતાં, શિખરોની ટોચને પાડતા, મઠ, દેવકુલ, મકાનોને ગબડાવતાં (પાડતાં) તે પાદ પ્રહારના અવાજથી હાથીઓએ બંધનોને તોડી નાખ્યા. કેટલાક શૂરવીરો મૂચ્છ પામ્યા. ડરી ગયેલો પદ્મનાભ દ્રૌપદીના ચરણ કમલમાં પડતો કંપતા શરીરે બોલ્યો : “હે દેવી! મારું રક્ષણ કરો ! મને બચાવો. હું તમારો દાસ છું.” તેણી(દ્રૌપદી)એ કહ્યું : “વહુ (સ્ત્રી)નો વેશ પહેરીને મને આગળ કરીને કૃષ્ણનું શરણું જો સ્વીકારે તો તારૂં જીવિત રહે છે. નહીં તો જીવન રહેશે નહિ.” એ સાંભળીને ભયથી કંપતો નારીરૂપ કરીને કૃષ્ણના પગમાં પડ્યો. ભયથી દુઃખી લોકો શું શું સ્વીકારતા નથી ? નારી રૂપ જોઈને છોડી દીધેલા નરસિંહ રૂપવાળા કૃષ્ણ ડર નહિ, એમ કહીને પદ્મનાભને છોડી મૂક્યો. સ્વસ્થ મનવાળા બંનેય સભાસ્થાનમાં આવી ગયા. પછી કૃષ્ણ દ્રૌપદીના હરણથી ઉત્પન્ન થયેલી પૂર્વની કથનીને પૂછી. પદ્મનાભે કહ્યું : “હે દેવ ! એક દિવસ હું અંતઃપુરમાં જ્યાં પ્રિયાઓ સાથે સ્વેચ્છાએ ક્રીડા કરતો હતો, તેટલામાં એકાએક જ નારદ મુનિ ત્યાં આવ્યા. જ્યાં હું ક્રીડા કરતો હતો. મેં ઊભા થવા વગેરે રૂપ સન્માન કરવાથી તે નારદને પ્રીતિ ઉત્પન્ન થઈ. તેથી મેં પૂછ્યું : હે મુને ! તમે સકલ ભૂમંડલ પર ફરતાં કોઈપણ સ્થાને કોઈનું પણ આવું અંતઃપુર જોયું છે. મારા અંતઃપુર જેવું ? તેથી તેણે કંઈક હસીને મને કહ્યું, હે રાજન્ ! તમે કૂવાના દેડકા જેવું કેમ બોલો છો?” કહ્યું છે કે રે પક્ષી ! તું અહીંયા ક્યાંથી આવ્યું છે. તારું સરોવર કેટલું વિશાળ છે અને શું મારા સ્થાનથી મોટું છે. નહિ નહિ હે મહાપાપી ! ખોટું બોલ નહિ. એ પ્રમાણે કૂવામાં રહેલા દેડકાએ કિનારે આવેલા રાજહંસને કહ્યું. કહેવત છે કે જેને બીજા પ્રદેશ જોયા નથી, એવા પુરુષો અલ્પ મલવા માત્રથી અહંકારી બને છે. હસ્તિનાપુરે પાંડવની પત્ની દ્રૌપદીની આગળ તારી પત્નીઓની શી વિસાત છે? એ પ્રમાણે મારી આગળ કહીને આકાશમાર્ગે નારદ બીજે ચાલ્યા ગયા.” દ્રૌપદીના ગુણથી ખેંચાયેલા મેં પૌષધશાળામાં અઠ્ઠમ તપ વડે પૂર્વભવના મિત્ર ભવનવાસી દેવની આરાધના કરી દ્રૌપદીને લાવવાની વિનંતી કરી. દેવે કહ્યું: “હે મૂઢમતિ ! એ સતીઓમાં શિખર જેવી, મનથી પણ અન્ય પુરુષને ઇચ્છતી નથી. તમારો પ્રયત નિષ્ફળ જશે તો પણ તમારા પરની પ્રીતિથી તેને હું લઈ આવીશ.” એમ કહીને વિદાય થઈ ગયેલા દેવે ઘરમાં યુધિષ્ઠિરની નજીકમાં સૂતેલી દ્રૌપદીને જોઈને તે બેઉને અવસ્થાપિની નિદ્રાને આપીને દ્રૌપદીનું અપહરણ કર્યું. તેને લાવીને મારા પ્રમદ વનમાં (ઉદ્યાનમાં) મૂકીને મને કહીને દેવ પોતાના સ્થાને જતો રહ્યો. પછી જાગેલી તેણે પોતાના મહેલમાં રાજાને સમીપ ન જોતાં વિચારે છે. શું ઇન્દ્રજાળ દેખાય છે અથવા શું મારો મતભ્રમ છે ? એ પ્રમાણે ભયથી ડરેલી જ્યાં વિચારે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy