SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૭ ૩૭૩ પાંડવ ચરિત્રમ્ તેં મારા ભાઈ પાંડવોની પત્નીનું હરણ કરી પાપ આચર્યું છે (કર્યું છે). જો તારે જીવવું હોય તો દ્રૌપદીને પાછી આપ. અથવા જો તારામાં કંઈ પણ બાહુબલનો મદ-ઉન્માદ હોય તો તૈયાર થઈ મારી સાથે યુદ્ધ કર. હું પાંચ પાંડવો સહિત છ રથો સાથે તારી સાથે યુદ્ધ મેદાનમાં ઉભો છું. આથી તું ઉદ્યાનમાં આવ. મારી સાથે સંગ્રામ (યુદ્ધ)ને કર.” દારૂકની આવી વાણી સાંભળીને લેખ વાંચીને અને લેખને ફાડીને તેની સામે નાખ્યો અને કહ્યું : “જંબુદ્રીપમાં ભયંકર આ કૃષ્ણ મારી આગળ બિચારો (કાય૨) છે અને આ નોકર શું કરશે ?” તું તારા સ્થાને જા. તારી પાછળ હું જ આવું છું. એમ કહીને વિદાય કરેલા દૂતે કૃષ્ણને પદ્મનાભે કહેલું બધું જ કહ્યું. તે પછી તૈયાર થયેલા પદ્મનાભ સેનારૂપી તરંગો વડે દિશાઓને પૂરતો કૃષ્ણની સાથે યુદ્ધની ઇચ્છાવાળો તે નગરની બહાર નીકળ્યો. તે સૈન્યને આવેલું જાણીને કૃષ્ણે પાંડવોને કહ્યું : “હે પાંડવો ? આ વિરોધી (શત્રુ)ની સાથે તમે યુદ્ધ કરો અથવા હું એમની સાથે યુદ્ધ કરૂં. તમે જુઓ.’” ત્યારે પાંડવોએ કહ્યું : “હે સ્વામિન્ ! કાગડા સાથે આવો તમારો કેવો પ્રયત્ન ? આપની આજ્ઞાથી આપની સામે તેઓની સાથે અમે લડીશું. અમે અથવા તે જયને પ્રાપ્ત કરશે.” કૃષ્ણના જોતાં પાંડવો પદ્મનાભના સૈન્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. પછી તેઓનું પૃથ્વીને હચમચાવી નાખે તેવું ભયંકર યુદ્ધ જામ્યું. તે મહાભયંકર યુદ્ધ થતાં પાંડવોથી પદ્મનાભના સૈનિકો ભાગી ગયા. નાસીને પદ્મનાભના શરણે આવી ગયા. તેથી પદ્મનાભ પાંડવો પર બાણ વરસાવતો ઉભો રહ્યો. પદ્મનાભના બાણો વડે તિરસ્કૃત થયેલા પાંડવો હણાયેલા ન હોવા છતાં વચન બલથી નિરાશ થયેલા યુદ્ધભૂમિને છોડીને કૃષ્ણના શરણે ગયા અને કહ્યું : “હે કૃષ્ણ ! અમે એને જીતવા સમર્થ નથી, પરંતુ આ યુદ્ધભૂમિમાં તમે જ ખરેખર શક્તિશાળી છો.’’ પછી હાસ્યપૂર્વક કૃષ્ણે કહ્યું : “હે બંધુઓ ! તમે ત્યારે જ શત્રુથી જીતાઈ ગયા હતા. જ્યારે યુદ્ધ માટે તમે જતાં તે જય પામશે અથવા અમે જય પામીશું, એવી વાણી ઉચ્ચારી હતી.’ હવે મારા યુદ્ધનું કૌશલ્ય (કૌતુક) તમે જુઓ. હું આ પદ્મનાભને જીતીશ. પરંતુ તે મને કોઈપણ રીતિએ જીતવા સમર્થ નહિ થાય. એમ કહીને કૃષ્ણે અનેક રાજાઓને ક્ષોભિત (આકુળવ્યાકુળ) કરતો પંચજન્ય શંખ વગાડ્યો. તે શંખના અવાજથી પદ્મનાભના રાજાનું ત્રીજા ભાગનું સૈન્ય નાસી ગયું. પછી ધનુષ્ય પર બાણને ચડાવીને ક્રોધપૂર્વક વિસ્ફોટ (ટંકાર) કર્યો. તે નાદથી ત્રીજા ભાગનું સૈન્ય નાસી ગયું. તેથી પદ્મનાભ બાકી સૈન્યની સાથે નાસીને પોતાની નગરીમાં પ્રવેશી ગયો. પછી ડરી ગયેલા પદ્મનાભે પુરી(નગર)માં પ્રવેશીને લોખંડના દરવાજા લગાવી દીધા. તે પછી લોખંડની અર્ગલા મારી દીધી (તાળું મારી દીધું). ડરેલો પદ્મનાભ દ્રૌપદીના શરણે ગયો. રથમાં બેઠેલા કૃષ્ણ જ્યાં દ૨વાજા સુધી આવ્યા, પછી તે દરવાજાને આપેલી અર્ગલાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy