SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૫ ૩૪૪ પાંડવ ચિરત્રમ્ કર્મક્ષય થાય, કર્મક્ષયથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય. પછી યથાખ્યાત ચારિત્ર મેળવીને ચૌદમા ગુણસ્થાન પર ચડેલા અંતે મોક્ષને પામે છે. ઇત્યાદિ ગાંગેય મુનિના મુખથી ધર્મદેશના સાંભળીને યુધિષ્ઠિરાદિ પાંડવો વાદળના ગર્જવાથી મયૂરની જેમ આનંદનું તાંડવ કરીને આનંદ પામ્યા. અને આ પ્રમાણે બોલ્યા : “હે પ્રભો ! તમે અમને બોધ આપ્યો. તમારા પ્રભાવે (કારણે) અમે કૃતકૃત્ય થયા છીએ.’’ એ પ્રમાણે જ્યાં કહે છે, ત્યાં તે જ સમયે ભદ્રગુપ્તાચાર્યે મહામુનિ ગાંગેયને કહ્યું કે : “હે મહાભાગ ! તમારો અંત સમય નજીકમાં છે. આથી તમે આરાધનાને કરો. જેથી તમારી આરાધનાથી સ્વર્ગ પ્રાપ્ત થાય.” ત્યારે મહામુનિ ગાંગેયે કહ્યું : “હે પ્રભો ! મને આરાધના કરાવો.''ભદ્રગુપ્તાચાર્ય ગુરુ આ પ્રમાણે આરાધના કરાવે છે. જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ આચારમાં પ્રત્યેકના આઠે પ્રકારમાં જે કાંઈ ઉલ્ટું આચરણ આચર્યું હોય તો તે પાપ દૂર થાઓ. તે જ કહે છે. જેમ કે કાળસમયે, વિનયપૂર્વક, બહુમાનપૂર્વક, ઉપધાનમાં અને વિદ્યાદાતાને છૂપાવનાર, વ્યંજન, અર્થ અને તે બંનેય મળી જ્ઞાનના આઠ આચાર છે. દર્શનાચાર કહે છે : (૧) શંકા રહિત, (૨) કાંક્ષારહિત, (૩) સાધુ-સાધ્વીની દુર્ગંચ્છા રહિત, (૪) મૂઢતા રહિત, (૫) ઉપબૃહણા (પ્રશંસા) કરવી, (૬) સ્થિરીકરણ, (૭) સ્વામિવાત્સલ્ય, (૮) પ્રભાવના આ આઠ દર્શનાચારના પ્રકાર છે. ચારિત્રાચાર કહે છે : પ્રણીધાન યોગથી યુક્ત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠ એ ચારિત્રાચારના આઠ પ્રકાર જાણવા. એ પ્રકારે બાર પ્રકારના તપના વિષયમાં જે કાંઈ વિરાધના ક્યારેક થઈ હોય, તેની પણ આજ પ્રયત્નપૂર્વક નિંદા કરો એવી રીતે સૂક્ષ્મ, બાદર અને ત્રસ, સ્થાવરની હિંસાના વિષયે આ જન્મથી પણ તમે જે કંઈપણ પાપ આચર્યું હોય તે તમારૂં નાશ પામો. યુદ્ધાદિમાં મનુષ્ય હાથી, ઘોડાદિની હત્યામાં લાગેલું પાપ નાશ પામો; વળી એ પ્રમાણે સર્વથી હાસ્ય, લોભ, ભય, ક્રોધાદિ વડે બીજાને પીડાકારી જે મૃષા બોલ્યા હોય તે પણ પાપ નાશ પામો. અલ્પ કે વધારે જે કાંઈ બીજાનું આ જન્મથી પણ નહિ આપેલું દાન ગ્રહણ કર્યું હોય તે પણ પાપ નાશ પામો. તમે તો બાલ્યકાળથી પણ બ્રહ્મચારી છો, તો પણ તિર્યંચ, મનુષ્ય, દેવ સંબંધી જે કાંઈ ત્રણે પ્રકારનું ત્રણે પ્રકારે મૈથુન આચર્યું હોય તે પણ તમારૂં પાપ દૂર થાઓ. બધા પ્રકારનું વાસ્તુ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy