SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૫ ૩િ૪૩) પાંડવ ચરિત્રમ્ હવે શીલની વાત કરે છે : અતિ પાપી પામરો પણ દાન આપી શકે છે. પરંતુ શીલનું પાલન શક્ય બનતું નથી (કરી શકતા નથી.) ૧/ હવે તપની વાત કરે છે :બાહ્ય અને અત્યંતર ભેદથી બાર પ્રકારનો છે. તેમાં બાહ્ય કહે છે. તે આ પ્રમાણે... જેવી રીતે - (૧) અનશન, (૨) ઊણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયક્લેશ અને (૬) સંલિનતા જે બાહ્યતપ છે. (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવૃત્ય, (૪) સઝાય, (૫) ધ્યાન તથા (૬) કાઉસ્સગ્ગ જે અત્યંતર તપ છે. આ બાર પ્રકારનો તપ સારી રીતે કરાયેલો મોક્ષ આપનારો થાય છે. આ પૃથ્વી ઉપર પણ તપ ઇષ્ટાર્થની સિદ્ધિને માટે થાય છે. તે ઉપર તમારા પોતાના વડે જોવાયેલ જયદ્રથ રાજાનું દૃષ્ટાંત સાંભળો :- દ્રૌપદીના હરણમાં પરાભવ પામીને તમારા વધની ઇચ્છાથી તે કષ્ટપૂર્વક તપ કરવા લાગ્યો. તે તપ વડે સંતુષ્ટ થયેલ કોઈક દેવતાએ આવીને તેને કહ્યું: “હે વત્સ ! વરદાન માગ.” તેણે કહ્યું : “મને જો આ દુષ્કર તપનું ફળ હોય તો હું પાંડવોના વધને કરનારો થાઉં.” દેવતાએ કહ્યું : “તેઓનો વધ કરવા માટે ઈન્દ્ર પણ સમર્થ નથી. તેઓ ચરમ શરીરી નિરૂપક્રમ આયુષ્યવાળા દીક્ષા ગ્રહણ કરીને નેમિનાથના તીર્થમાં સિદ્ધ થશે. તેથી તેઓના વધ માટેના ફોગટ મનોરથ કર નહિ, પરંતુ આ દુષ્કર તપનું ફળ તને ભવિષ્યમાં મળશે.” એ પ્રમાણે કહીને તે દેવતા અંતર્ધાન થયા. હે કૌન્તય ! આ તપધર્મનું ફળ મેં તને કહ્યું. હવે ભાવને સમજાવતાં કહે છે :- ચુનાના પાસ (લગાવ્યા) વિના પાનમાં જેવી રીતે રંગ આવતો નથી, તેવી રીતે દાન, શીલ, તપ, ભાવનાઓ ભાવ વિના સફળ થતી નથી. ભરત ચક્રવર્તી, બલભદ્ર, મૃગાપુત્ર, શ્રેયાંસકુમાર, ઇલાપુત્ર (ઈલાચીકુમાર), જીર્ણશ્રેષ્ઠી, મૃગાવતી, ગૃહપતિ એવા ભાવદેવ. મરૂદેવા માતા પ્રશંસનીય છે અને અંડરૂદ્રાચાર્યનો નૂતન શિષ્ય ઇત્યાદિ ભાવનાથી શોભતાઓ કોને આશ્ચર્ય કરનારા નથી. દેવ ન કાષ્ઠમાં, ન પથ્થરમાં, ન કાદવમાં, દેવ માત્ર ભાવમાં રહ્યા છે. તેથી ભાવ જ કારણ છે. હે કુન્તીના પુત્રો ! આવા ચાર પ્રકારના ધર્મથી ક્રમે કરીને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. પછી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy