SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ પાંડવ ચરિત્રમ્ સર્ગ - ૧ મુનિથી દુષ્પ્રાપ્ય સમ્યક્ત્વ મૂલરૂપ બારવ્રત રૂપ ધર્મને પ્રાપ્ત કર્યો (સ્વીકાર્યો). ધર્મની પ્રાપ્તિ થયા પછી મારી સખીએ (ગંગાએ) ગંગા નદીને કાંઠે નવીન ઉદ્યાન ઊભું કર્યું. આ ઉદ્યાનમાં શ્રીઋષભદેવનું મંદિર (દેરાસર) કરાવ્યું છે. મંદિરમાં પ્રસન્ન મનવાળી તેણી દ૨૨ોજ જિનપૂજાને કરતી સુખે કરીને દિવસો પસાર કરે છે. એક દિવસ જહુ રાજાની સાથે આ વનમાં સત્યવાક્ નામનો નૈમિત્તિક આવ્યો. ત્યારે રાજાએ પૂછ્યું, હે સત્યવાક્ ! નૈમિત્તિક શિરોમણિ ! તું કહે, આ ગંગાને અનુરૂપ વર ક્યારે મળશે ? હે રાજન્ ! આ ગંગાના પુણ્યપ્રભાવથી મૃગલાની પાછળ આવતો હસ્તિનાપુરનો અધિપતિ શાન્તનુ રાજા પ્રાતઃ (સવારે) આવશે તે ગંગાના મનને ગમતો ભરથાર (પતિ) થશે. આ વચનો (વાણી) સાંભળીને ખુશીને ધારણ કરતો રાજા પોતાના સ્થાને ગયો. તેના વચનને સાંભળવાથી મહેલની અગાશીમાં આવીને અમે બંને તમારા આગમનના માર્ગને જોતાં ઊભા રહેલા, અમે તમારા દર્શનથી વાંછિત ફળને પામ્યા છીએ. પછી રાજાએ કહ્યું : “હે ગંગા ! હે મૃગલોચની ! મૃગ પણ મારો મહાઉપકારી થયો. જેણે મને તારા જેવી નેત્ર કૌમુદિનીના દર્શન કરાવ્યા યાને મેળાપ કરાવ્યો. હે પ્રિયે ! લોકો વિવિધ ઉપાયો વડે કરીને જે લક્ષ્મીને ઇચ્છે છે તે મને સ્વયમેવ ચાહવાવાળી બની છે. પ્રિયા માટે કરીને તારા વચનને ન ઉલ્લંઘવાનો હું સ્વીકાર કરું છું. રોગી એમની શાંતિ માટે વૈદ્યનું કહેલું જ કરે છે, તેથી હું જાતે જ તારી સાથે વરુ છું અર્થાત્ હું જાતે જ તને પરણું છું. હવે કહે, તારું કરેલું હું શું કરું? તેણી (ગંગા) એ કહ્યું, મારા વચનને પાળવું. ત્યારે રાજાએ કહ્યું, પાળીશ. ગંગાએ કહ્યું, મારા વચનનું ઉલ્લંઘન થતાં હું સ્વસ્થાન એવા મારા પિતાના ઘેર ચાલી જઈશ. રાજાએ તે કબુલ્યું. પછી ગંગાએ સખી દ્વારા જદ્દુ રાજાને બોલાવીને બંનેએ સૈન્ય સ્વજનના સમાગમાદિપૂર્વક મહોત્સવ સાથે લગ્ન કર્યા. મેળાપ થતાં બંનેના હૃદયમાં પ્રિતી ગાઢ બની (પાંગળી). પછી લગ્નના ઉત્સવથી નિવૃત્ત થતાં જઠુ વિદ્યાધર પિતાએ ગંગાના કરમોચન સમયે હાથી, ઘોડા, સુવર્ણ, રત, મણિ, માણિક્યાદિ પોતાના કુલને ઉચિત ધનને આપ્યું. તે ધનને લઈને ગંગાની સાથે શાન્તનું રાજા હસ્તિનાપુર નગરમાં આવ્યો. ત્યાં તે દંપતિ પ્રેમને અનુરૂપ રાજ્ય ઉચિત (યોગ્ય) સુખને ભોગવે છે (અનુભવે છે). એક વખત ગાઢ પ્રેમના બંધનવાળા શાન્તનુની પત્ની ગંગા ગર્ભવતી બની. જેમ પૃથ્વી નિધાન ગર્ભવાળી હોય તેમ તે ગર્ભને ધારણ કરતાં ગંગાનું શ૨ી૨ સૂર્ય જેવું તેજસ્વી દુઃખે કરીને જોઈ શકાય તેવું બન્યું. ગર્ભવતી એવી તે ગંગા ગર્ભના પ્રભાવથી મેરુ પર્વતને દડા જેવો અને સમુદ્રને ગાયની ખરી (ખાબોચિયા) જેટલો માને છે. તે સાંભળીને શાન્તનું રાજા અત્યંત ખુશ થયો. નવ માસ ને સાડા સાત દિવસ પસાર થયે શુભમુહૂર્તો, શુભલગ્ન અને શુભયોગે રાણી ગંગાએ ગાંગેય (સુવર્ણ) વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રથમ દિવસે તેના કુળને ઉચિત સ્થિતિપતિકા (વ્યવહાર) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy