SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ ૩િ૧૧] પાંડવ ચરિત્રમ્ કુન્તીએ પોતાના બે કુંડલો ઓળખીને અકસ્માત કુન્તી અશ્રુ વડે કરીને વારંવાર વરસવા લાગી. તે માતાને રોતી જોઈને યુધિષ્ઠિર બોલ્યા : “હે માતા ! તમારા આનંદના પર્વમાં અકાલમાં પણ શોક આકુલતા કેવી ! આજે મોટા યુદ્ધમાં કર્ણને હણીને અને જય પામીને આવેલો અર્જુન તમોને આનંદ આપનાર શું ન થયો ?” તે સાંભળીને કુન્તીએ કહ્યું : “હે પુત્રો ! તમારો જય મને આનંદ આપનારો છે તો પણ હું મંદ ભાગ્યવાળી તમારી આગળ કંઈક કહું છું.” તે આ પ્રમાણે : કર્ણ પાડુરાજાનો તેજનો પહેલો અંકુરો છે. તમારો સગો ભાઈ છે. તેજરૂ૫ પાણીનો દરિયો છે. પરંતુ કોઈપણ કારણથી જન્મતાં જ તેને મેં આ બે કુંડલો સાથે સનાથ કરીને છોડી દીધો હતો. હે માત ! આ મારો ભાઈ કર્ણને તે કયા કારણે કંડલની સાથે ત્યજી દીધો ! એ પ્રમાણે આશ્ચર્યકારી ચિત્તવાળા પાડુ પુત્રે કુન્તીને પૂછ્યું : સ્ત્રી સ્વભાવથી લજ્જાથી નમ્ર બનેલી જ્યાં કંઈપણ પ્રત્યુત્તર ન આપ્યો, ત્યાં પૂર્વ વૃત્તાન્તને જાણનારા કૃષ્ણ સમસ્ત કર્ણનો વૃત્તાન્ત પાંડવોને કહ્યો.” પાંડવોએ કહ્યું : હે કૃષ્ણ ! જો આ કર્ણ અમારો ભાઈ છે, તો તે આટલા કાળ સુધી કેમ ન જણાવ્યું ? તથા તે આ ભ્રાતૃહત્યા અમારી પાસે કેમ કરાવી ! અમારી આ ભ્રાતૃહત્યાના પાપની વિશુદ્ધિ કેવી રીતે થશે ? એ પ્રમાણે દુઃખી હૃદયવાળા પાણ્ડપુત્રોને બંધુહત્યાથી મલિન થયેલા દુઃખી થયેલા જાણીને સ્પષ્ટ શબ્દોમાં કૃષ્ણ કહ્યું: “હે પાંડવો ? આ ભ્રાતૃવધના પાપને વિશે દુઃખી ન થાવ. કારણ કે શૂરવીરનો આ ધર્મ છે. મારવાની ઇચ્છાવાળા પુરુષને મારવો જોઈએ. આ વિશે કંઈપણ વિચારણા ન કરવી. આ કર્ણ તારો દુશ્મન નિશ્ચિત હણવા યોગ્ય જ છે.” કારણ કે ત્યારે દૂતરૂપે કુન્તીના કહેવાથી દૂતકાર્ય માટે હસ્તિનાપુર જતાં કર્ણની આગળ કર્ણની ઉત્પત્તિનું વૃત્તાંત કહેવા છતાં પણ તેને અલ્પ પણ સંતોષ ન થયો. તેથી મેં ફરી કહ્યું : “હે કર્ણ! તારે ભાઈની સંગતી કરવી ઉચિત છે. તેનો વિરોધ ન કરવો.” કૌરવોની સેવા કરવા માટે તું યોગ્ય નથી. કણે કહ્યું: “હે કૃષ્ણ ! તેં કહ્યું કે પાર્ટુપુત્રો (પાંડવો) તારા ભાઈઓ છે, તે બધું સાચું. પરંતુ કર્ણ... કર્ણ એ પ્રમાણેની ખ્યાતિ જેનાથી મેં પ્રાપ્ત કરી છે, અને ચંપા રાજ્ય ઉપર મારી સ્થાપના કરી છે. તે દુર્યોધનને હું કેવી રીતે છોડું. કારણ કે જે આપત્તિકાલે મિત્રને છોડે છે, તેને સજ્જનની પંક્તિમાં ગણાય (મૂકાય) ખરો ? અર્થાત્ ન મૂકાય. આથી એને હું નહિ છોડું.” મેં દુર્યોધન આગળ આ પ્રતિજ્ઞા કરી છે. જે આપના કાર્યમાં નિશ્ચિત મારા પ્રાણોને છોડીશ, એથી વળી વધુ શું ? અર્જુનને છોડી બીજા ભાઈઓને હણીશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy