SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ - ૧૩ પાંડવ ચિરત્રમ્ ૩૧૦ હે સુભટ શિરોમણિ ! ત્યાં સુધી મુહૂર્તમાત્ર ઉભો રહે. બાણોને છોડ નહિ. જ્યાં સુધી ભૂમિમાંથી ખૂંપી ગયેલો રથ હું બહાર કાઢું નહિ ત્યાં સુધી તું બાણોને છોડ નહિ. થોડીવાર ઉભો રહે. એ પ્રમાણે કર્ણે કહેલું સાંભળીને શલ્યે કર્ણને કહ્યું : “હે કર્ણ ! તમે સારથિકુલને કલંકિત ન કરો. કારણ કે ક્ષત્રિયો મોટા પ્રાણનો સંદેહ આવી પડે તો પણ તારી જેમ શત્રુઓની આગળ દીન વચન બોલતા નથી. અહો ! દુષ્ટબુદ્ધિવાળા દુર્યોધને શું કર્યું ? તારા જેવા ડરપોક શિરોમણિ શિયાળીયાને સિંહ જેવો માન્યો. આ અર્જુન તારો મિત્ર નથી. જેની આગળ આવા પ્રકારની દીન વાણી બોલે છે. શું આ શત્રુ જેવો અર્જુન દીનતાભરી તારી વાણીથી તને છોડશે ? મરણને આવવા દે, દીન વાક્યને છોડ. કાય૨૫ણાથી પણ મરવું છે. બહાદુરપણાથી પણ મરવાનું. આથી તું બહાદુર (શૂરવીર) બન.’ એવી શલ્યની વાણી સાંભળી કર્ણ જ્યાં તૈયાર થાય છે, તેટલામાં કૃષ્ણે કર્ણને કહ્યું : ‘‘હે કર્ણ ! સંપૂર્ણ ધર્મ તારા વિના બીજો કોણ જાણે છે ? પરંતુ અભિમન્યુનો વધ થતાં તારા તે બધાં નીતિશાસ્ત્રોને તું શું ભૂલી ગયો છે ?'' જે તમોએ બધા ભેગા થઈને બાણથી ખંડિત કરેલા નાના બાળકને હણ્યો. ત્યારે તારી ધર્મનીતિ ક્યાં ગઈ હતી ? એ પ્રમાણે કર્ણને ઉપાલંભ આપીને કૃષ્ણે અર્જુનને કહ્યું : “હે અર્જુન ! શું વિચારે છે ? પ્રાણને લેનારા બાણોને છોડ.” તારા પુત્રને હણનારાને હણ. વિલંબ કર નહિ. ફરી આ પાછો તૈયાર થયેલો રથમાં બેસેલો અત્યંત દુર્જેય થશે (જીતવો મુશ્કેલ થશે.) કહ્યું છે કે : ગુફામાં ફરતો કેસરીને કોણ જીતી શકે છે ? આ અવસરે લેશ પણ તારો ક્ષત્રિય ધર્મ જતો નથી. અહીંયાં કાંઈક ધર્મનો લોપ થતો નથી. પરંતુ જયની ઇચ્છાવાળાએ બલવાન એવા વિરોધીને છિદ્ર મળે છતે શીઘ્ર હણવો જોઈએ. એવા કૃષ્ણના વચન સાંભળી ક્રોધથી લાલ આંખવાળા થયેલા અર્જુને ગાંડીવ ધનુષ્યને લઈને શીઘ્રાતીશીઘ્ર તીક્ષ્ણ બાણ વડે કર્ણનો શિરચ્છેદ કર્યો. મેં મિત્ર દુર્યોધનને માટે નાથું આપ્યું. એ પ્રમાણે હર્ષથી જાણે ત્યારે કર્ણનું ધડ પ્રીતિથી નાચવા લાગ્યું. ત્યારે પાંડવસેનામાં આનંદનો ચંદ્રા ઉદય પામ્યો. તે વખતે કૌરવરૂપ કમલનું વન મુરઝાઈ ગયું. તે ચંપાધિપતિ કર્ણનું છેદાયેલું શિર આકાશમાં ઉડતું જોઈને રાહુના ભયથી દુ:ખી થયેલો સૂર્ય અસ્તાચલના વનમાં જતો રહ્યો. કર્ણના કાનના બે કુંડલો ભૂમિ પર પડતાં પૃથ્વીની અંદર જતાં ચંદ્ર-સૂર્યના બિંબની જેમ ભીમે ગ્રહĒ કર્યા. પછી કૌરવો કર્ણને યુદ્ધભૂમિ પર મૂકીને સૂર્યાસ્ત સમયે ધીરે પગે પોતાની છાવણીમાં પહોંચી ગયા. તે કર્ણના કુંડલને લઈને પાંડવો ફરી હર્ષ પામેલા પોતાની છાવણીમાં ગયા. બે કુંડલો વડે માતાના બે પગને પૂજીને કર્ણના વધથી ખુશ થયેલા પાંડવોએ માતાને નમસ્કાર કર્યા. પછી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy