SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦) પાંડવ ચરિત્રમ | સર્ગ - ૧૨ બીજા પણ વિદ્યાધર રાજાઓએ વિદ્યાધરોથી પરિવરેલા યુધિષ્ઠિરાદિ પાંડવોને નમીને આ પ્રમાણે વિનંતી કરી : “હે દેવ યુધિષ્ઠિર! તમે અને તમારા ભાઈઓએ આ વિદ્યાધરો ઉપર ઘણા ઉપકારો કર્યા છે. તેથી તે વિદ્યાધરો તમારા ગુણ ગાતા સેવા માટે આવ્યા છે. આપનું કૌરવો સાથે યુદ્ધ જાણીને તમને સહાય કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ, આથી આજ્ઞા કરો, અમે શું કરીએ? અમે આટલા તમારા સુભટો હોવા છતાં જાતે યુદ્ધનો આરંભ કેમ કર્યો ? એમ કહીને ભીમ, અર્જુનાદિ સાથે ક્રીડા કરતા વિચરે છે–ફરે છે. હવે ભીમપુત્ર ઘટોત્કચ વિદ્યાધર હિડિમ્બાપુત્ર વિદ્યાની તાકાતથી યુદ્ધ ઉપસ્થિત થયેલું જાણીને તે પણ આવી ગયો. પહેલાં યુધિષ્ઠિરને નમીને પછી ભીમાદિને નમસ્કાર કર્યા. તે બધાય પાંડવોને ભેટ્યા અને બોલ્યા. હર્ષ પામેલા ઘટોત્કચે પિતાની આજ્ઞાથી બખ્તર ગ્રહણ કર્યું. તે કેવા પ્રકારનો ઘટોત્કચ છે ? ઘોડાઓના હણહણવા(હૈષારવ)થી હર્ષવાળો, હાથીઓની ગર્જનાથી ઉર્જાવાળો, પ્રકૃષ્ટ વીરના સિંહનાદો વડે મદોન્મત્ત થયેલો. રથોના ચિત્કારથી આનંદિત થયેલો, લોકવાયકાઓની શ્રેણીને તોડતો, ગિરિ ગુફાઓને ફાડતો, મહાસમુદ્રોનું મંથન કરતો, પૃથ્વીના તળને કંપાવતો, પૃથ્વીના સંપુટને અદ્વૈત શબ્દમય જાણે કરતો. યુદ્ધ દુંદુભિના મહાનાદને ધારણ કરતો શોભી રહ્યો છે. હવે સકલ સૈન્યની સાથે, વિદ્યાધરોથી પરિવરેલા, શુભ શુકનોથી ઘેરાયેલા યુધિષ્ઠિર શસ્ત્રોથી ભરેલા રથમાં બેસીને ધૃષ્ટદ્યુમ્ન સેનાપતિને આગળ કરીને સૈન્યના પુરથી પૃથ્વીને જાણે ભીંજવતા હોય તેમ રણભૂમિ તરફ પ્રયાણ કર્યું. ચક્રપાણીએ પણ ધનંજયના રથનું સારથિપણું કરતાં આશ્ચર્યથી લોકોએ અરુણ (સૂર્ય) રથમાં અરુણસારથિની જેમ જોયો. તે માર્ગમાં ચાલતાં સૈન્યના સમૂહથી સારી રીતે ચૂર્ણ થયેલી પૃથ્વીની રજ (ધૂળ) અશ્વના ખુરથી ઉડતી આકાશમાં પ્રસરી ગઈ. તે સૈન્યના રથની ધજાઓ અનુકૂળ પવનથી ઉડતી અહીં જય, અહીં લક્ષ્મી, એ પ્રમાણે જાણે કહેતી શોભતી હતી. એવા પ્રકારની યુદ્ધ ભૂમિ પર યુધિષ્ઠિર આવતા કૌરવેન્દ્ર દુર્યોધને યુદ્ધનો શંખ વગાડ્યો. તે શંખ વાગતાં બધા કૌરવો તૈયાર થઈ ગયા. ખરેખર આ યુદ્ધમાં ભાવિ શું થશે ? એ પ્રમાણે કેટલાક વિચારતા તૈયાર થયા, કેટલાક રાજાઓ સ્ત્રીઓની સાથે વારંવાર આલિંગન કરે છે, કેટલાક યુદ્ધને માટે ઉતાવળ કરનારાઓને સ્ત્રીઓએ વારંવાર વાર્યા. સ્ત્રીઓએ વારેલા સુભટો મંદ આદરવાળા (ઢીલા) થયા, ત્યારે રાજ દ્વારપાળોની વારંવાર પ્રેરણાથી પાછા તૈયાર થયા. કેટલાક સુભટો અપશુકનથી અટકેલા વિચારે છે. આ દેવયોગે અમંગલ થતાં અમારું શું થશે? એ પ્રમાણે વિચારતા યુદ્ધ માટે ઢીલા પડેલા બખ્તર પહેરતા નથી. કેટલાક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy