SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૯ સર્ગ - ૧૨ પાંડવ ચરિત્રમ્ થઈ છું, તેવી રીતે હાલમાં મને પ્રસિદ્ધ કરજે. કેટલીક સ્ત્રીઓ પોતાના પ્રીતમને પ્રેમપૂર્વક આ પ્રમાણે કહે છે : “હે પ્રાણેશ ! દુશ્મનોના હાથીના કુંભસ્થલમાં ઉત્પન્ન થયેલા મુક્તાફલનો હાર બનાવીને મારા કંઠમાં આરોપણ કરજો. હે નાથ ! તમે યુદ્ધમાં એવું કરો કે જેથી તમને જોતી સૈનિકોની સ્ત્રીઓ તમારી ઝંખનાવાળી બને.” કેટલાક વૃદ્ધ સૈનિકો પોતાના પુત્રોને આ પ્રમાણે કહે છે : “હે પુત્રો ! સ્વામીના કાર્યમાં યુદ્ધમાં મરણની ચિંતા ન કરવી.” કહ્યું છે કે “જીતવાથી લક્ષ્મી મળે છે અને મરણ થયે પણ દેવીઓ મળે છે. કાયા ક્ષણવારમાં નાશ પામનારી છે. યુદ્ધ મેદાનમાં મરણની શી ચિંતા?” કેટલાક સૈનિકો પોતાના નાના ભાઈઓને આ પ્રમાણે કહે છે : “હે બંધુઓ ! સ્વામિના કાર્યમાં ક્યારેય કાયાપણું ન લાવવું. કેટલાક શૂરવીરોએ લોહ બખ્તર પહેર્યા. કેટલાક લોકોએ શિર પર શિરરક્ષણ કવચ (ટોપો-હેલ્મટ) પહેરેલ છે.” કેટલાક હાથમાં તલવાર લઈને નચાવે છે, કેટલાક સુભટો અવાજ કરતી સોનાની શૃંખલા (સાંકળીવાળી ઘંટડીઓના ઘેઘુર અવાજથી મદરૂપ પાણી વડે ભૂતલને કાદવ જેવું કરતાં હાથીઓને ગુડા (ઢીંચણ) વડે ધક્કો મારતા હતા. કેટલાક સુભટો સમુદ્રના તરંગો જેવા ચંચલ સૂર્યના ઘોડાઓનું અનુકરણ કરતા ઘોડાઓને બખ્તરથી યુક્ત કરે છે. કેટલાક સુભટ સારથિઓએ દેવરથનું અનુકરણ કરતા, સુવર્ણ મણિઓથી શોભતા, ૩૬ (છત્રીશ) પ્રકારના દંડાયુધથી ભરેલા, ઘંટનાદ (અવાજ)થી દિશાઓને ગજાવતા રથસમૂહો (રથો)ને તૈયાર કર્યા. પગે ચાલનારા કેટલાક સૈનિકો તલવાર અને ઢાલ ધરેલા સ્વામિના કાર્યમાં યુદ્ધ શૂરવીરો ખૂબ નાચવા લાગ્યા (રાજી થયા). કેટલાક અહીં-તહીં દોડતા પોતાના સ્વામીને પોતપોતાનું પરાક્રમ બતાવવા લાગ્યા. એ પ્રમાણે તે રાત્રિએ બધાય રાજાઓ અને સૈનિક લોકો તૈયાર થઈ રહ્યા. હવે પાંડવો કેવા તે કહેવાય છે – વિવિધ પ્રકારના શસ્ત્રોને ધરનારા પાંચ પાંડવો, તેજીલી ઘણી વીજળીવાળા કલ્પાન્તકાળના વાદળોની જેમ શોભી રહ્યા છે. વળી તેઓ દેવો વડે જેમ ઇન્દ્ર સેવાય છે, તેમ રથમાં બેઠેલા અને ઘોડા પર બેઠેલા ચારે બાજુથી રાજાઓથી સેવાય છે. એ પ્રમાણે સૈન્ય સમૂહથી પરિવરેલા યુધિષ્ઠિર સૂર્યોદય વખતે ઉત્તર દિશામાં જ્યાં જુએ છે, તેટલામાં તે પાંડવોએ આકાશમાં ઘણા દિવ્ય વિમાનો જોયા. તે વિમાનમાંથી ઉતરીને અનેક વિદ્યાધરો યુધિષ્ઠિર પાસે આવ્યા અને તેમને નમસ્કાર કર્યા. તેઓના નામો આ પ્રમાણે છે : મણિચૂડ, સહસ્ત્રાક્ષ, ચંદ્રાપીડ, મહાબલ, ચિત્રાંગદ, જેને પહેલાં દુર્યોધનને બાંધ્યો હતો, એવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005571
Book TitlePandav Charitram yane Jain Mahabharat
Original Sutra AuthorN/A
AuthorKalpyashsuri
PublisherJiravala Parshwanath 24 Tirthankar Trust
Publication Year2009
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy